SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं વિભક્તિમાં પણ જ્યોદિતો' એવો પાંચમી વિભક્તિનો નિર્દેશ છે, તેથી એવા પ્રકારની વ્યાખ્યામાં દોષ નથી. તથા કયા જીવો કોનાથી વિશેષાધિક છે? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા છે, શુક્લરૂપ કે શુક્લદ્રવ્યથી ઉત્પન્ન થયેલી લેશ્યા જેઓને હોય છે તે શુક્લલેશ્યાવાળા જીવો કહેવાય છે. એ પ્રમાણે બાકીના સ્થાનોને વિષે પણ વિગ્રહનો વિચાર કરવો. કારણ કે કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્ય અને લાન્તકાદિ દેવોમાં શુક્લલેશ્યા હોય છે. તેથી પાલેશ્યાવાળા સંખ્યાતગુણા છે. કારણ કે સંખ્યાતગુણા તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકકલ્પવાસી દેવોમાં પદ્ગલેશ્યા હોય છે. (પ્ર0)–લાંતકાદિ દેવોથી સનસ્કુમારાદિ ત્રણ કલ્પમાં રહેનારા દેવો અસંખ્યાતગુણા છે, તેથી શંક્લલેશ્યાવાળા કરતાં પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા થાય, તો સંખ્યાતગુણા કેમ કહ્યા? (ઉ0)–અહીં જઘન્ય પદે પણ અસંખ્યાતા, સનકુમારાદિ ત્રણ કલ્પવાસી દેવોથી પણ અસંખ્યાતગુણા પંચેન્દ્રિય તિર્યંચોને શુક્લલેશ્યા હોય છે તેથી પદ્ગલેશ્યાના વિચારમાં સનસ્કુમારાદિ દેવોનો પ્રક્ષેપ કરીએ તો પણ અસખ્યાતગુણા થતા નથી, પરન્તુ જે તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાતગુણપણું છે તે જ રહે છે, એ માટે શુક્લલેશ્યાવાળા કરતાં પહ્મશ્યાવાળા સંખ્યાતગુણા છે. તેથી પણ સંખ્યાતગુણા તેજોવેશ્યાવાળા છે. કારણ કે બાદર પૃથિવીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયને તથા સંખ્યાતગુણા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને તથા ભવનપતિ, વન્તર, જયોતિષિક અને સૌધર્મ ઈશાન દેવોને તેજલેશ્યા હોય છે. સંખ્યાતગુણપણામાં પૂર્વની પેઠે અહીં પણ વિચાર કરવો. તેથી પણ લેશ્યરહિત અનન્તગુણા છે, કારણ કે વેશ્યારહિત સિદ્ધો પૂર્વ કરતાં અનન્તગુણા છે. તેથી પણ કાપોલેશ્યાવાળા અનન્તગુણા છે, કારણ કે સિદ્ધ કરતાં અનન્તગુણા વનસ્પતિકાયિકો કાપોતલેશ્યાવાળા છે. તેથી પણ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. કારણ કે ક્લિષ્ટ, ક્લિષ્ટતર અધ્યવસાયવાળા ઘણા જીવો હોય છે. કૃષ્ણલેશ્યાવાળા કરતાં પણ વેશ્યાવાળા વિશેષાધિક છે. કારણ કે તેમાં નીલલેશ્યાવાળા વગેરેનો પણ પ્રક્ષેપ થાય છે. એ પ્રમાણે સામાન્યથી અલ્પબહુતનો વિચાર કર્યો. ll૧૪૪૮૮. ||सलेरसेसु २४ दंडएसु अप्पाबहुयं || एएसि णं भंते! नेरइयाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा नेरइया कण्हलेस्सा, नीललेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा। एतेसिं णं भंते! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा सव्वत्थोवा तिरिक्खजोणिया सुक्कलेस्सा, एवं जहा ओहिया, नवरं अलेसवज्जा'। एएसिं एगिदियाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साणं तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा एगिंदिया तेउलेस्सा, काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। एएसि णं भंते! पुढविकाइयाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा४? गोयमा! जहा ओहिया एगिदिया, नवरं काउलेस्सा असंखेज्जगुणा। एवं आउकाइयाण वि। एतेसि णं भंते! तेउकाइयाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा तेउकाइया काउलेस्सा, नीललेस्सा, विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, एवं वाउकाइयाण वि। एतेसिंणं भंते! वणस्सइकाइयाणं कण्हलेस्साणं जाव ताउलेस्साण यजहा एगिदियओहियाणं। बेइंदियाणं तेइंदियाणंचउरिदियाणंजहा तेउकाइयाणं IIકૂ૦-૨૫ll૪૮૧iા (મૂ૦) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, - ૧. મને-સન્વેસર્વજ્ઞા વિના ઇતિ પાઠાન્તર (મ.વિ.) . 40
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy