________________
सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं
श्री प्रज्ञापना सूत्र भाग २ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા નૈરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા, એ તિર્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા તિર્યંચો શુક્લલેશ્યાવાળા છે-ઇત્યાદિ જેમ
ઔધિક-સામાન્ય લક્ષાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરંતુ વેશ્યા રહિતને વર્જવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિયો તેજોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજોલેશ્યાવાળા એ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ ઑધિક એકેન્દ્રિયો કહ્યા તેમ કહેવા. પરન્તુ કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા જાણવા. એ પ્રમાણે અપ્લાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ તેજસ્કાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા તેજસ્કાયિકો કાપોતલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. એ પ્રમાણે વાયુકાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા એ વનસ્પતિકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? જેમ સામાન્ય એકેન્દ્રિયો
સંબન્ધ કહ્યું છે તેમ કહેવું. બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને તેજસ્કાયિકોની પેઠે કહેવું. /૧૫ll૪૮૯ll (ટી.) હવે નૈરયિકોમાં વેશ્યા સંબધે અલ્પબદુત્વનો વિચાર કરે છે–પણસ અંતે! નેરડ્યાન' ઇત્યાદિ. નૈરયિકોને ત્રણ લેશ્યાઓ હોય છે. જેમકે કૃષ્ણ, નીલ, અને કાપોતલેશ્યા. કહ્યું છે કે-“કાપોતલેશ્યા પ્રથમની બે નરકમૃથિવીમાં, ત્રીજીમાં મિશ્ર-કાપોત અને નીલ એ બન્ને વેશ્યા, ચોથીમાં નીલલેશ્યા, પાંચમીમાં મિશ્ર–નીલ અને કૃષ્ણ બન્ને લેશ્યા, છઠ્ઠીમાં કૃષ્ણ અને તે પછી (સાતમીમાં) પરમ કૃષ્ણલેશ્યા હોય છે. તેથી અહીં ત્રણે પદોનો પરસ્પર અલ્પબહુત્વનો વિચાર કરવામાં આવ્યો છે. તેમાં સૌથી થોડા કૃષ્ણલેશ્યાવાળા નરયિકો છે, કારણ કે કેટલાએક પાંચમી પૃથિવીના નરકાવાસોમાં તથા છઠ્ઠી અને સાતમી નરક પૃથિવીમાં કૃષ્ણલેશ્યા હોય છે. તેથી અસંખ્યાતગુણા નીલલેશ્યાવાળા છે, કારણ કે કેટલાએક ત્રીજી પૃથિવીના નરકાવાસોમાં, ચોથી સમગ્ર નરક પૃથિવીમાં તથા પાંચમી નરકમૃથિવીના કેટલાએક નરકાવાસોમાં પૂર્વોક્તથી અસંખ્યાતગુણા નૈરયિકોને નીલલેશ્યા હોય છે. તેથી અસંખ્યાતણા કાપોતલેશ્યાવાળા છે. કારણ કે પ્રથમ અને બીજી નરકમૃથિવીમાં તથા ત્રીજી નરકમૃથિવીના કેટલાએક નરકાવાસમાં પૂર્વે કહેલાથી અસંખ્યાતગુણા નારકોને કાપોતલેશ્યા હોય છે. હવે તિર્યંચો સંબન્ધી અલ્પબદુત્વ કહે છે–“પતિ નું અંતે! રિવનોળિયાન' ઇત્યાદિ. પર્વ નહી મોહિયા' એ પ્રમાણે-પૂર્વે બતાવેલા પ્રકાર વડે જેમ પૂર્વે ઔધિક-સામાન્ય લક્ષાવાળા જીવ કહ્યા છે તેમ અહીં કહેવા. પરંતુ લેક્ષારહિતને વર્જવા, કારણ કે તિર્યંચોમાં લેશ્યરહિતનો અસમ્ભવ છે. તે આ પ્રમાણે–સૌથી થોડા શુક્લલેશ્યાવાળા તિર્યંચો છે, કારણ કે તેઓ જઘન્યપદે પણ અસંખ્યાતા જાણવા. તેથી સંખ્યાતગુણા પદ્ગલેશ્યાવાળા છે, તેથી પણ સંખ્યાતગુણા તેજોવેશ્યાવાળા છે, તેથી પણ અનન્તગુણા કાપોતલેશ્યાવાળા છે, તેથી પણ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી પણ વેશ્યાસહિત વિશેષાધિક છે. હવે એકેન્દ્રિયોને વિષે અલ્પબદુત્વ કહે છે–‘પfસ ને મંત! રિયાળ' ઇત્યાદિ. સૌથી થોડા તેજોવેશ્યાવાળા એકેન્દ્રિયો છે, કારણ કે કેટલાએક બાદર પૃથિવી, પાણી અને વનસ્પતિકાયિકોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે. તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, કારણ કે અનન્ત સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવોને કાપોતલેશ્યા હોય છે, તેથી પણ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. અહીં ભાવના પૂર્વે કહી છે. હવે પૃથિવીકાયાદિ સંબધે અલ્પબદુત્વ કહેવાનું છે–તેમાં પૃથિવી, પાણી અને વનસ્પતિકાયિકોને ચાર વેશ્યા હોય છે, અને અગ્નિ અને વાયુને ત્રણ લેશ્યાઓ હોય છે, તે પ્રકારે સૂત્ર કહે છે_*પત્તિ ને અંતે! પુદ્ધવિરૂયાળ' ઇત્યાદિ. “હે ભગવનું તેજોલેશ્યાવાળા'
41