________________
सत्तरसमं पयं पढमोउद्देसो सलेस्सेसु २४ दंडएसु ओहेणं विभागेणं समाहारासत्तदारपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ તેજોલેશ્યા સંબન્ધી સૂત્ર કહે છે–“તે જોસા ને અંતે! મયુરકુમાર' હે ભગવન્! તેજોવેશ્યાવાળા અસુરકુમારો' સમાનઆહારવાળા-વગેરે હોય છે? ઇત્યાદિ. અહીં નારકો, અગ્નિ, વાયુ અને વિકલેન્દ્રિયોને તેજોવેશ્યાનો સંભવ નથી, માટે પ્રથમથીજ અસુરકુમાર સંબન્ધી સૂત્ર કહ્યું. આ કારણથી અગ્નિ, વાયુ અને વિકલેન્દ્રિયસૂત્ર પણ ન કહેવું. અસુરકુમારો પણ પૂર્વે જેમ સામાન્યરૂપે કહ્યા છે તેમ કહેવા, પરન્તુ વેદનાપદમાં જેમ જ્યોતિષિકો કહ્યા છે તેમ કહેવા. અને સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત એમ ન કહેવા. પરન્તુ માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા હોય છે-એમ કહેવા, કારણ કે અસંજ્ઞી જીવો તેજોવેશ્યાવાળામાં ઉત્પન્ન થતા નથી. પૃથિવી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો જેમ પૂર્વે સામાન્યરૂપે કહ્યા છે તેમ કહેવા. પરન્તુ મનુષ્યો ક્રિયાઓમાં જે સંયત છે તેઓ પ્રમત્ત અને અપ્રમત્ત એમ બે પ્રકારના કહેવા, કારણ કે તે બન્નેને પણ તેજોવેશ્યાનો સંભવ છે. સરાગસંયત અને વીતરાગસંયત એ ભેદો ન કહેવા. કારણ કે વીતરાગને તેજલેશ્યાનો અસંભવ હોવાથી વીતરાગપદનો ઉપન્યાસ અને તેજલેશ્યા સરાગને અવશ્ય હોવાથી સરાગપંદનો ઉપન્યાસ નિરર્થક છે. વાળમંતર તેવત્તે નહીં મયુરકુમાર' વન્તરો તેજોલેશ્યામાં અસુરકુમારની પેઠે જાણવા. તેઓ પણ માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અભાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા છે એમ કહેવું. પણ સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત ન કહેવા. કારણ કે તેજોલેશ્યાવાળામાં અસંજ્ઞીની ઉત્પત્તિ થતી નથી. ‘પવું પડ્ડસ્લેક્ષાવિ માાિયબ્રા' એ પ્રમાણે પાલેશ્યા પણ કહેવી. એટલે તેજોલેશ્યાના પ્રકરણમાં કહેલા પ્રકારવડે પદ્ગલેશ્યા પણ કહેવી એ ભાવાર્થ છે. શું બધા જીવોને સામાન્યપણે કહેવી? નહિ. ‘નવર નેાિં અલ્થિ' પરન્તુ આ વિશેષતા છે-જેઓને પદ્મશ્યા છે તેઓને જ કહેવી, બાકીના જીવોને ન કહેવી. તેમાં પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વૈમાનિકોને પદ્ગલેશ્યા હોય છે, બાકીનાને હોતી નથી, માટે પાલેશ્યા સૂત્ર તેઓ સંબંધે જ હોય છે. શુક્લલેશ્યા પણ જેમ પદ્ગલેશ્યા કહી તેમજ કહેવી. અને તે પણ જેઓને હોય તેઓને કહેવી. જેમ
ઔધિક-સામાન્ય પાઠ કહ્યો છે તેમ બધું સૂત્ર કહેવું. પમલેશ્યા અને શુક્લલેશ્યા જેઓને હોય તેઓનો સાક્ષાત્ નિર્દેશ કરે છે‘નવરે પહકુવનનેસ્સામો' ઇત્યાદિ. સુગમ છે. II૧ ૧.૪૮પી
પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા વેશ્યાપદનો પ્રથમ ઉદેશક સમાપ્ત,
અરિહંતની ક્યારેય જોડી હોતી નથી. એક ક્ષેત્રમાં, એક કાળમાં એક જ અરિહંત હોય છે. તેમજ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ પણ એક એક જ હોય છે. અરિહંતનું શાસન એટલે જ અભયદાનની સરિતા, જલ જેમ જનતાને જીવાડે છે તેમ જિનશાસન પ્રત્યેક જીવાત્માને અભયદાન આપે છે. અરિહંતના શાસનના મેળવનારાઓનાં પુણ્ય કરતાં પણ એ શાસન મેળવીને એ શાસનને વફાદાર રહેનારાનું પુણ્ય ઘણું જ ઉચ્ચ કોટીનું હોય છે. અરિહંતના શાસનને વફાદાર રહેનારો કદાચ ભૌતિક સામગ્રીથી હિન હોઈ શકે છે. પણ એની અંતરંગ સામગ્રી રૂપ રત્નોની પેટીઓ તો એની પાસે ઘણી જ હોય છે તેથી જ એ ભાગ્યશાળી કહેવાય છે.
- જયાનંદ
37