________________
श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पढमोउद्देसो सलेस्सेसु २४ दंडएसु ओहेणं विभागेणं समाहारासत्तदारपरूवणं
લેસ્યા સહિત કહેવા. પરન્તુ મનુષ્યો ક્રિયાઓમાં જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત બે પ્રકારના છે. પણ સરાગ અને વીતરાગ એવા ભેદ થતા નથી. વ્યત્તરો તેજોલેક્ષામાં અસુરકુમારની જેમ કહેવા. એમ જયોતિષિક અને વૈમાનિક સંબન્ધ પણ જાણવું. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે પદ્મશ્યાવાળા પણ કહેવા. પરન્તુ પદ્મવેશ્યા જેઓને હોય તેઓને કહેવી. શુક્લલેશ્યાવાળા પણ તેમજ જાણવા, પરન્ત શુક્લલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. બાકી બધું જેમ
ઔધિક-સામાન્ય આલાપક કહ્યો છે તેમજ કહેવો. પરન્તુ પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિકને જ જાણવી, બાકીના ને ન જાણવી. //૧૧/૪૮પી/
પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં સત્તરમા લેશ્યાપદનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત. (ટી0) હવે સલેશ્યપદરૂપ વિશેષણયુક્ત ચોવીશ દંડકનું આહારાદિ નવ પદવડે નિરૂપણ કરે છે–“સત્વેક્ષા અંતે ! નેરી' હે ભગવન્! વેશ્યાવાળા નૈરયિકો બધા સમાન આહારવાળા છે? ઇત્યાદિ. જેમ હમણાં ઔધિક-સામાન્ય, વિશેષણરહિત આલાપક પૂર્વે કહ્યો તેમ સલેશ્ય સંબન્ધી સમગ્ર આલાપક વૈમાનિકસુત્ર પર્યન્ત કહેવો, કારણ કે સલેશ્યપદરૂપ વિશેષણ સિવાય બીજું વિશેષણ ક્યાંઇ પણ ઘટતું નથી. હવે ભિન્ન ભિન્ન કૃષ્ણાદિ લેશ્યાના વિશેષણયુક્ત છ દંડકોનું આહારાદિ પદો વડે નિરૂપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકોર કહે છે–‘વ્હલ્લેસાં અંતે! નેરા'—હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા નરયિકો સમાન આહારવાળા હોય–ઇત્યાદિ. જેમ ઔધિક-વિશેષણરહિત સામાન્ય નૈરયિકો આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયા અને ઉપપાતરૂપ નવપદો વડે પૂર્વે કહ્યા છે તેમ કૃષ્ણલેશ્યાવાળા પણ કહેવા. પરન્તુ વેદના પદમાં નરયિકો આ પ્રમાણે કહેવા-“મારૂમિચ્છતીડવવન II , અમારૂદ્દિીડવવના ' માયી મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા. પરન્તુ ઑધિકસૂત્રમાં જેમ “ન મૂયા ' ‘સંજ્ઞીભૂત અને અસંશીભૂત' એ પાઠ ન કહેવો. (પ્ર0) શા માટે ન કહેવો? (૧૦)-અહીં અસંશી પ્રથમ નરક પૃથિવીમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે ‘સની વસ્તુ પઢ'–અસંજ્ઞી પ્રથમ નરકમૃથિવી સુધી ઉત્પન્ન થાય છે-એવું શાસ્ત્રનું વચન છે, અને પ્રથમ પૃથિવીમાં કૃષ્ણલેશ્યા નથી, જે પાંચમી વગેરે નરકમૃથિવીમાં કૃષ્ણલેશ્યા છે ત્યાં અસંજ્ઞી ઉપજતા નથી. તેમાં માયી મિથ્યાદૃષ્ટિ મહાવેદનાવાળા છે, કારણ કે પ્રકૃષ્ટ-છેવટની અશુભ સ્થિતિ તેઓ બાંધે છે અને પ્રકૃષ્ટ અશુભ સ્થિતિમાં મોટી વેદના હોય છે, તેથી વિપરીત બીજી સ્થિતિમાં અલ્પ વેદના હોય છે. અસુરકુમારથી માંડી વ્યન્તર સુધીના બધા જીવો જેમ ઔધિક-સામાન્યરૂપે કહ્યા છે તેમ કહેવા, પરન્તુ મનુષ્યોને ક્રિયાઓમાં વિશેષતા છે, તે વિશેષતા બતાવે છે 'તત્વ નું તે' ઇત્યાદિ. સમ્યગ્દષ્ટિ વગેરેમાં જે સમ્યગ્દષ્ટિ છે તેઓ ત્રણ પ્રકારના છે-સંયત, અસંયત અને સંયતાસંયત ઇત્યાદિ ‘નહીં ગોહિયાળ' ઇતિ–સામાન્યતઃ કહ્યું છે તેમ કૃષ્ણલેશ્યાવાળાને પણ કહેવું, જેમકે સંયતોને આરંભિકી અને માયાપ્રત્યયિકી એ બે ક્રિયાઓ હોય છે અને કૃષ્ણલેશ્યા પ્રમત્તસંયતોને હોય છે, પણ અપ્રમત્તસયતોને હોતી નથી. તેથી તેઓને પૂર્વોક્ત બેજ ક્રિયાઓ હોય છે. સંયતાસંયતને આરંભિકી, પારિગ્રહિતી અને માયાપત્યયિકી એ ત્રણ ક્રિયાઓ હોય છે. અને અસંયતને આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા એ ચાર ક્રિયાઓ હોય છે. જ્યોતિષિકો અને વૈમાનિકોને આદિની ત્રણ લેશ્યા સંબન્ધ ન પૂછવું. એટલે તે સંબન્ધ સૂત્ર ન કહેવું. કારણ કે પ્રથમની ત્રણ લેશ્યાઓ તેઓને હોતી નથી. જેમ કૃષ્ણલેશ્યા સંબન્ધ સૂત્ર કહ્યું તેમ નીલેશ્યા સંબન્ધ પણ કહેવું. કારણ કે તેમાં વિશેષતા નથી. એજ બાબત સૂત્રકાર કહે છે–‘પવું નહીં શિષ્યત્વેક્ષા વિવાડિયા તણી નીતજોસા વિવારે બ્રા' જેમ કૃષ્ણલેશ્યાનો વિચાર કર્યો તેમ નીલલેશ્યાનો પણ કરવો. નીલલેશ્યા વિષે સૂત્રપાઠ એ પ્રમાણે જ છે. માત્ર કૃષ્ણલેશ્યાપદને સ્થાને નીલલેશ્યાપદનો ઉચ્ચાર કરવો. ‘પોતજોસા' ઇત્યાદિ. કાપોતલેશ્યા સૂત્રથી નીલલેશ્યાના જેવી છે
અને તે નૈરયિકોથી આરંભી વ્યન્તરો સુધી કહેવી. પરન્તુ કાપોતલેશ્યામાં નરયિકો જેમ વેદનાસૂત્રમાં ઔધિક-સામાન્યરૂપે ' કહ્યા તેમ કહેવા–“રફયા વિહી નિત્તા-સનિમૂયા મનિપૂણા ' જેમકે નૈરયિકો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અસંશીભૂત-એ પ્રમાણે કહેવા. કારણ કે અસંજ્ઞી પણ પ્રથમ નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કાપોતલેશ્યા હોય છે. 36