________________
सत्तरसमं पयं पढमोउद्देसो मणुस्सेसु समाहाराइसत्तदारपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ आहारेंति, जाव अप्पतराए पोग्गले नीससंति, अभिक्खणं आहारेंति, जाव अभिक्खणं नीससंति, से तेणद्वेणं गोयमा! एवं वुच्चति-'मणुस्सा सव्वे णो समाहारा' । सेसं जहा नेरइयाणं, नवरं किरियाहिं मणूसा तिविहा પન્નત્તા, તં નહા-સમ્મીિ, મિચ્છાટ્ટિી, સમ્માન∞ાવેટ્ટી તત્ત્વ ાં ને તે સમ્મલ્દિી તે તિવિહા પત્નત્તા, તંનહાसंयता, असंयता, संयतासंयता। तत्थ णं जे ते संयता ते दुविहा पन्नत्ता, तं जहा सरागसंयता य वीयरागसंयता य। तत्थ णं जे ते वीयरागसंयता ते णं अकिरिया, तत्थ णं जे ते सरागसंयता ते दुविहा पन्नत्ता, तं जहापमत्तसंयता य अपमत्तसंयता य । तत्थ णं जे ते अपमत्तसंजया तेसिं एगा मायावत्तिया किरिया कज्जति । तत्थ णं जे ते पमत्तसंजया तेसिं दो किरियाओ कज्जंति, तं जहा- आरंभिया मायावत्तिया य । तत्थ णं जे ते संजयासंजया तेसिं तिन्नि किरियाओ कज्जंति, तं जहा- आरंभिया परिग्गहिया मायावत्तिया । तत्थ णं जे ते असंजया तेसिं चत्तारि किरियाओ कज्जति, तं जहा- आरंभिया परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया । तत्थ णं जे ते मिच्छदिट्ठी जे सम्मामिच्छदिट्ठी तेसिं नियइयाओ पंच किरियाओ कज्जंति, तं जहा- आरंभिया परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया मिच्छादंसणवत्तिता, सेसं जहा नेरइयाणं । सू० - ९ ।। ४८३ ।।
(મૂળ) હે ભગવન્! બધા મનુષ્યો સમાન આહારવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે, તે આ પ્રમાણે—મહાશરીરવાળા અને અલ્પશીરવાળા. તેમાં જેઓ મહાશ૨ી૨વાળા છે તેઓ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્–ધણા પુદ્ગલોને નિ:શ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે છે અને કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. તેમાં જેઓ અલ્પશ૨ી૨વાળા છે તેઓ થોડા પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્ અલ્પ પુદ્ગલોનો નિઃશ્વાસ મૂકે છે. વારંવાર આહાર કરે છે, યાવત્ વારંવાર નિઃશ્વાસ મૂકે છે. તે કારણથી કે ગૌતમ! એમ કહું છું કે મનુષ્યો બધા સમાન આહારવાળા નથી. બાકી બધું નૈયિકોની પેઠે જાણવું, પરન્તુ ક્રિયાઓમાં મનુષ્યો ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સભ્યગ્મિથ્યાદૃષ્ટિ. તેમાં જેઓ સમ્યદૃષ્ટિ છે તે ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે–સંયત, અસંયત અને સંયતાસંયત. તેમાં જેઓ સંયત છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે—સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયારહિત છે. તેમાં જેઓ સરાગસંયત છે તે બે પ્રકારના છે—પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તેઓને એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. અને જે પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે—આરંભિકી અને માયાપ્રત્યયિકી. જેઓ સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે, તે આ પ્રમાણે—આરંભિકી, પારિગ્રહિકી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ છે. તે આ પ્રમાણે—આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાદૃષ્ટિ અને સમિથ્યાદૃષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. બાકી બધું નૈયિકોની જેમ જાણવું. ૯૫૪૮૩॥
(ટી૦) હવે મનુષ્ય સંબન્ધી સૂત્ર કહે છે—‘મનુસ્યા ભંતે! સવ્વ સમાહારા'? હે ભગવન્! મનુષ્યો બધા સમાન– આહારવાળા છે? ઇત્યાદિ સુગમ છે, પરન્તુ ‘મહત્ત્વ આહતિ, મહત્ત્વ સમંતિ ઞહત્ત્વ નીસતિ' ઇતિ. કદાચિત્ આહાર ગ્રહણ કરે છે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે અને કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. મહાશીરવાળા દેવકુરુ આદિના યુગલિક મનુષ્યો છે, તેઓ કદાચિત્ જ કવલાહાર વડે આહાર કરે છે. કારણ કે ‘અનુમમત્તસ્ય બહારો' તેઓની આહાર અષ્ટમભક્તત્રણ દિવસ પછી હોય છે—એવું શાસ્ત્રવચન છે. તેઓનો ઉચ્છ્વાસ-નિઃશ્વાસ પણ બાકીના બીજા મનુષ્યની અપેક્ષાએ અતિસુખી હોવાથી કદાચિત્ જ હોય છે. અલ્પ શરીરવાળા વારંવાર અલ્પ આહાર કરે છે, કારણ કે બાલકો વગેરેને તેવા પ્રકારે જણાય
33