SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पढमोउद्देसो मणुस्सेसु समाहाराइसत्तदारपरूवणं (ટી૦) ‘પુવિધાડ્યા' ઇત્યાદિ. પૃથિવીકાયિકો આહાર, કર્મ, વર્ણ અને લેશ્યાઓ વડે જેમ નૈયિકો કહ્યા છે તેમ કહેવા. પૃથિવીકાયિકોના આહારાદિવિષયક ચાર સૂત્રો નૈરયિકસૂત્રોની પેઠે પૃથિવીકાયિકના પાઠ વડે કહેવાં એ ભાવાર્થ છે. કેવળ આહારસૂત્રમાં આ વિચાર છે–પૃથિવીકાયિકોનું અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ શરીર છતાં પણ અલ્પશરીર અને મહાશ૨ી૨ આગમના વચનથી જાણવું. તે આગમ આ પ્રમાણે છે—‘‘પુવિધાણ પુવિધાઠ્યસ્ત ગોળાહળદુયા ચડડ્ડાળવડિÇ'' ઇત્યાદિ. પૃથિવીકાયિક પૃથિવીકાયિકની અપેક્ષાએ ચાર સ્થાનને પ્રાપ્ત થયેલ છે–ઇત્યાદિ. તેમાં મહાશરીરવાળા મહાશરી૨ હોવાથી લોમાહાર વડે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે અને ઘણા પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે લે છે. તથા વારંવાર આહાર કરે છે અને વારંવાર ઉચ્છ્વાસ લે છે. અને અલ્પ શ૨ી૨વાળાને અલ્પ શરીર હોવાથી અલ્પ આહાર અને અલ્પ ઉચ્છ્વાસ હોય છે. આહાર અને ઉચ્છ્વાસનું કદાચિત્પણું અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ સમજવું. હવે વેદનાસૂત્ર કહે છે—‘પુવિધાડ્યા મંતે! સવ્વ સમવેયળા'? હે ભગવન્! શું પૃથિવીકાયિકો બધા સમાનવેદનાવાળા છે’–ઇત્યાદિ. ‘અસંશી’ મિથ્યાદૃષ્ટિ અથવા મનરહિત, તેઓ અસંશીભૂત-અસંશીને જે વેદના પ્રાપ્ત થાય છે તેવી, તે અર્થને સ્પષ્ટ કરે છે—અનિયત–અનિશ્ચિત સ્વરૂપવાળી વેદના વેદે છે. અને વેદનાનો અનુભવ કરવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ હોવાથી કે મન રહિત હોવાર્થી મત્ત મૂર્છિતાદિની પેઠે ‘આ પૂર્વે બાંધેલા અશુભકર્મનો પરિણામ છે' એમ જાણતા નથી. ક્રિયાસૂત્રમાં માર્રમિિિદ્ધ'તિ માયીમિથ્યાસૃષ્ટિ છે, કારણ કે તેઓમાં પ્રાયઃ માયાવાળા ઉત્પન્ન થાય છે. એ સંબન્ધે શિવશર્મ સૂરિ કહે છે—‘સમ્મેળવેલો માનાસો મૂઢહિયયમાત્ત્તો સઢસીતો ય સસજ્જો તિરિયાનું બંધફ નીવો।।'—ઉન્માર્ગનો ઉપદેશક, માર્ગનો નાશક, ગૂઢહૃદયવાળો, માયાવાળો, શઠસ્વભાવવાળો અને શલ્યયુક્ત જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે. માટે તેઓ માયાવાળા કહેવાય છે. માયા અહીં સમસ્ત અનન્તાનુબંધી કષાયનું ઉપલક્ષણ (સૂચક) છે, તેથી માયાવાળા–અનન્તાનુબંધી કષાયના ઉદયવાળા અને એથીજ મિથ્યાદૃષ્ટિ હોય છે, તેઓને નિયત-અવશ્ય પાંચ જ ક્રિયાઓ હોય છે, પણ ત્રણ ક્રિયાઓ વગેરે નથી હોતી. ‘તે દ્રુમાં’ તે હેતુથી-ઇત્યાદિ નિગમન-ઉપસંહાર વાક્ય છે. એ પ્રમાણે યાવત્ ‘ચઉરિન્દ્રિય સુધી જાણવું.’ અહીં મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા પોતપોતાની અવગાહનાને અનુસારે જાણવા. આહાર બેઇન્દ્રિયાદિને પ્રક્ષેપરૂપ સમજવો. ‘પંવિંયિતિરિવગોળિયા નહા નેફ્યા' ઇતિ. પંચેન્દ્રિય તિર્યંચો નૈયિકોની પેઠે જાણવા' એ પ્રસિદ્ધ છે. પરન્તુ અહીં મહાશરીરવાળા વારંવાર આહાર કરે છે અને વારંવાર ઉચ્છ્વાસ લે છે તે સંખ્યાતા વરસના આયુષ્યવાળાની અપેક્ષાએ સમજવું, કારણ કે તે પ્રમાણે દેખાય છે, અસંખ્યાત વરસના આયુષ્યવાળાની અપેક્ષાએ ન સમજવું, કારણ કે તેઓનો પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહેલો છે. અલ્પશરીરવાળાને આહાર અને ઉચ્છ્વાસનું કદાચિત્૫ણું તે અપર્યાપ્તાવસ્થામાં લોમાહાર અને ઉચ્છ્વાસ નહિ હોવાથી અને પર્યાપ્તાવસ્થામાં હોવાથી જાણવું. પરન્તુ કર્મસૂત્રમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલાને અલ્પ કર્મ અને બીજાને મહાકર્મ તે આયુષ્ય વગેરે તે ભવમાં વેદવા યોગ્ય કર્મની અપેક્ષાએ સમજવું. વર્ણ અને લેશ્યાસૂત્રમાં પણ પૂર્વે ઉત્પન્ન થયેલાને શુભવર્ણાદિ કહ્યા છે તે તરુણપણાથી અને પછી ઉત્પન્ન થયેલાને અશુદ્ધ વર્ણાદિ કહ્યા છે તે બાલપણાની અપેક્ષાએ સમજવા. કારણ કે લોકમાં તેવી રીતે દેખાય છે. તથા ‘સંનયાસંનયા' ઇતિ. સંયતાસંયત સ્થૂલ પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત થયેલા હોવાને લીધે દેશવિરતિવાળા સમજવા, કારણ કે બીજા સૂક્ષ્મ પ્રાણાતિપાતાદિથી તેઓ નિવૃત્ત થયેલા નથી. ૫૮૪૮૨॥ ॥ मणुरसेसु समाहाराइसत्तदारपरूवणं || મગુસ્સા ાં ભંતે! સવ્વ સમાહારા? ગોયમા! જો ફળકે સમઢે તે જેટ્ટેાં? ગોયમા! મલ્લા વિહા પત્નત્તા, તં जहा-महासरीरा य अप्पसरीरा य । तत्थ णं जे ते महासरीरा ते णं बहुतराए पोग्गले आहारेंति, जाव बहुत `पोग्गले नीससंति, आहच्च आहारेंति, आहच्च नीससंति । तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले 32
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy