________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं पढमोउद्देसो भवणवासिसु समाहाराइ सत्तदारपरूवणं
લેશ્યાઓનું અન્તર્મુહૂર્ત ગયા પછી અને અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલી લેશ્યા લડે જીવો પરલોકમાં જાય છે. કેવળ તિર્યંચ અને મનુષ્યો આગામી ભવની લેશ્માનું અન્તર્મુહૂર્ત ગયા પછી અને દેવ અને નારકો પોતાના ભવની લેશ્યાનું અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરલોકમાં જાય છે. એમ દેવો સંબન્ધે પણ જાણવું. તથા લેશ્યાઅધ્યયનમાં નારકાદિને વિષે કૃષ્ણાદિ લેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે કહી છે—‘કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજા૨ વરસની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. નીલ લેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની છે. એ નૈરયિકોની લેશ્યાની સ્થિતિ વર્ણવી. તે પછી તિર્યંચ, મનુષ્ય અને દેવોની સ્થિતિ કહીશ—
" अन्तोमुहुत्तमद्धा लेसाण ठिई जहिं जहिं जा उ । तिरियनराणं वा वज्जित्ता केवलं लेसं ॥
તિર્યંચ અને મનુષ્યમાં જેને જેને વિષે જે લેશ્યાઓ હોય છે તેઓની કેવળ–શુક્લ લેશ્યાને છોડી અન્તર્મુહૂર્તની સ્થિતિ છે. આ ગાથાનો અક્ષરાર્થ આ છે—જે જે પૃથિવીકાયિકાદિમાં કે સંમૂર્ચ્છિમ મનુષ્યાદિમાં જે કૃષ્ણાદિ લેશ્યાઓ છે તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. એ લેશ્યાઓ કોઇને વિષે કોઇ હોય છે–પૃથિવી, પાણી અને વનસ્પતિને કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા રૂપ ચાર લેશ્યાઓ હોય છે, અગ્નિ, વાયુ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિંદ્રિય, સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યાઓ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને છ એ લેશ્યાઓ હોય છે. પરન્તુ એ પ્રમાણે શુક્લલેશ્યાની સ્થિતિ અન્તર્મુહૂર્તની થાય. એ આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે “જેવાં શુદ્ધભેશ્યા' -શુક્લલેશ્યાને છોડીને સમજવું. તે શુક્લલેશ્યાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ નવ વરસ ન્યૂન પૂર્વકોટિ વર્ષની જાણવી. આ તિર્યંચ અને મનુષ્યની લૈશ્યાની સ્થિતિ વર્ણવી છે અને ત્યાર બાદ દેવોની લેશ્યાની સ્થિતિ કહીશ—દસ હજાર વર્ષની કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. જે કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને સમયાધિક કરતાં નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. ત્યારબાદ દેવોની તેજોલેશ્યાની સ્થિતિ કહીશ–ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને તેજોલેશ્યાની દસ દજાર વર્ષની જધન્ય સ્થિતિ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. જે તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને સમયાધિક કરતા પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમની જાણવી. અહીં અન્તર્મુહૂર્ત અધિક કહ્યું છે તે પૂર્વભવનું અન્તર્મુહૂર્ત અને પછીના ભવનું અન્તર્મુહૂર્ત એમ બે અન્તર્મુહૂર્તની એક વિવક્ષા કરીને કહ્યું કારણ કે દેવ અને નૈરિયકોને લેશ્યા પૂર્વભવના અને ઉત્તરભવના બે અન્તર્મુહૂર્ત અધિક પોતાના આયુષના કાલપ્રમાણ સ્થિતિવાળી હોય છે. તથા જે પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને સમયાધિક કરતાં શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અને અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. તેથી પૂર્વે કહેલા આ લેશ્યાની સ્થિતિના પરિમાણથી અને ત્રીજા લેશ્યોદેશકમાં કહેવામાં આવશે તે સૂત્રથી જણાય છે કે દેવો અને નૈરયિકોને લેશ્યાદ્રવ્યનો પરિણામ ઉત્પત્તિના સમયથી આરંભી ભવના અન્ત સુધી નિરન્તર હોય છે. પૂર્વે ઉત્પન્ન થયેલા અસુકુમારોએ ઘણાં અને તીવ્રરસવાળાં લેશ્યાદ્રવ્યો અનુભવી અનુભવીને ક્ષય કર્યાં છે અને થોડાં મન્દરસવાળાં બાકી છે તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા અવિશુદ્ધલેશ્યાવાળા હોય છે અને પછી ઉત્પન્ન થયેલા તેથી વિપરીત હોવાથી વિશુદ્ધલેશ્યાવાળા હોય છે. ‘વેયળાણ્ ના નેરયા' ઇતિ. વેદનામાં જેમ નૈયિકો કહ્યા તેમ અસુકુમારો પણ કહેવા, કારણ કે ત્યાં પણ અસંજ્ઞીની ઉત્પત્તિ હોય છે. તેમાં જો કે વેદનાસૂત્રનો પાઠ નારકોની પેઠે અસુકુમારોને છે, તો પણ ભાવાર્થમાં વિશેષતા છે. તે આ પ્રમાણે—જેઓ સંશીભૂત છે તે સમ્યગ્દષ્ટિ હોવાથી મહાવેદનાવાળા છે, કારણ કે ચારિત્રની વિરાધનાથી તેઓના ચિત્તને સંતાપ થાય છે. બીજા અસંશીભૂત છે, તે મિથ્યાદૃષ્ટિ હોવાથી અલ્પવેદનાવાળા છે, કારણ કે તેને ઉપર કહ્યા પ્રમાણે ચિત્તનો સંતાપ નથી. અથવા સંશીભૂત-પૂર્વભવમાં સંશી હોય
30