________________
सत्तरसमं पयं पढमोउद्देसो भवणवासिसु समाहाराइ सत्तदारपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ જાણવી. અથવા લોમાહારની અપેક્ષાએ વારંવાર પ્રતિસમય મહાશરીરવાળા પર્યાપ્તાવસ્થામાં આહાર કરે છે. શ્વાસોચ્છવાસ પૂર્વોક્ત પ્રમાણ વડે હોવા છતાં પૂર્ણ ભવની અપેક્ષાએ વારંવાર કહેવાય છે. અપર્યાપ્તાવસ્થામાં તો અલ્પશરીરવાળા લોમાહારથી આહાર કરતા નથી, પણ ઓજાહારથી આહાર કરે છે. તેથી તેઓ કદાચિત્ આહાર કરે છે એમ કહેવાય છે. અપર્યાપ્તાવસ્થામાં ઉચ્છવાસ લેતા મૂકતા નથી બીજા સમયે લે છે, માટે કહેવામાં આવ્યું છે કે “કદાચિત્ ઉચ્છવાસ લે છે.'
હવે કર્મસૂત્ર કહે છે—'સસુરકુમારી અંતે! સવ્વ સ મ્મા હે ભગવન્! બધા અસુરકુમારો સમાન કર્મવાળા છે?-ઇત્યાદિ. અહીં નૈરયિકસૂત્રની અપેક્ષાએ વિપર્યાસ-ઊલટું કહ્યું છે. કારણ કે પૂર્વે ઉત્પન્ન થયેલા નૈરયિકો અલ્પકર્મવાળા અને બીજા મહાકર્મવાળા કહ્યા છે, અસુરકુમારો તો પૂર્વે ઉત્પન્ન થયેલા મહાકર્મવાળા અને પછી ઉત્પન્ન થયેલા અલ્પ કર્મવાળા છે. કેવી રીતે છે? તેનો ઉત્તર એ છે કે અસુરકુમારો પોતાના ભાવથી નીકળી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચમાં ઉત્પન્ન થતા કેટલાએક પૃથિવી, પાણી અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, અને કેટલાક પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, બાકીનામાં ઉત્પન્ન થતાં નથી. છ માસનું આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અને પરભવના આયુષના બંધસમયે એકાન્ત તિર્યંચ યોગ્ય કે એકાન્ત મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપચય કરે છે, તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા મહાકર્મવાળા છે. જેઓ પાછળ ઉત્પન્ન થયેલા છે તેઓએ હજી પણ પરભવનું આયુષ્ય બાંધ્યું નથી અને તિર્યંચ અને મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપચય કર્યો નથી, તેથી તેઓ અલ્પકર્મવાળા છે. આ સૂત્ર પણ સમાનસ્થિતિવાળા અને સમાનભવવાળા પરિમિત અસુરકુમાર સંબધે સમજવું. પૂર્વે ઉત્પન્ન થયેલા પણ જેણે પરભવનું આયુષ્ય બાંધ્યું છે એવા અને પછી ઉત્પન્ન થયેલા પણ જેણે પરભવનું આયુષ્ય બાંધ્યું નથી એવા થોડા કાળના અન્તરવાળા ગ્રહણ કરવા. અન્યથા તિર્યંચ અને મનુષ્ય યોગ્ય પ્રકૃતિનો બંધ કરવા છતાં પણ પૂર્વે ઉત્પન્ન થયેલાથી પછી ઉત્પન્ન થયેલો ઉત્કૃષ્ટસ્થિતિવાળો અને નવીન ઉત્પન્ન થયેલો અનન્ત સંસારી મહાકર્મવાળો અવશ્ય હોય છે.
વર્ણસૂત્રમાં જેઓ પૂર્વે ઉત્પન્ન થયેલા છે તેઓ અવિશુદ્ધ વર્ણવાળા છે. કેવી રીતે છે? અસુરકુમારોને ભવસાક્ષેપ પ્રશસ્ત વર્ણ નામકર્મનો શુભ અને તીવ્ર રસવાળો ઉદય છે. અને તે પૂર્વે ઉત્પન્ન થયેલાંનો ઘણો ક્ષીણ થયેલો છે, તેથી તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. તે સિવાય બીજા પછી ઉત્પન્ન થયેલા હોવાથી હજી સુધી પણ વર્ણ નામકર્મનો ઘણો ક્ષય કર્યો નથી માટે વિશુદ્ધવર્ણવાળા છે. આ સૂત્ર સમાનસ્થિતિવાળા અસુરકુમારની અપેક્ષાએ સમજવું. એવં ‘જોસા, વિ' ઇતિ. એમ વેશ્યા સંબધે પણ જાણવું-એટલે વર્ણસૂત્રની પેઠે વેશ્યાસૂત્ર પણ કહેવું. પૂર્વે ઉત્પન્ન થયેલા અવિશુદ્ધ વેશ્યાવાળા કહેવા અને પછી ઉત્પન્ન થયેલા વિશુદ્ધ વેશ્યાવાળા કહેવા એ ભાવાર્થ છે. અહીં આ તાત્પર્ય છે–અહીં દેવો અને નૈરયિકોને તેવા પ્રકારના ભવસ્વભાવથી વેશ્યાનો પરિણામ ઉત્પત્તિના સમયથી માંડી ભવના ક્ષય પર્યન્ત નિરન્તર હોય છે. જેથી ત્રીજા વેશ્યોદશકમાં કહેવામાં આવશે કે “સે નૂ અંતે! વ્હસ્તેસે નેરરૂપ વ્હસ્તે નેપણું ૩વવM, ડ્રન્સેસે ૩બ્રટ્ટ, નત્તેણે ૩વવM તત્તેરે ૩બૂટ્ટા'? ઇત્યાદિ. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો થઇ મરણ પામે? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો થઇ મરણ પામે? આ સૂત્રનો ભાવાર્થ આ છે-પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય આયુષ્ય ક્ષીણ થવાથી નૈરયિકાયુષ્ય વેદતો ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વિગ્રહગતિમાં વર્તતો હોય તો પણ નારકજ કહેવાય છે. તેને કૃષ્ણાદિલેશ્યાનો ઉદય પૂર્વભવનું અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારેજ હોય છે. એ સંબન્ધ કહ્યું છે કે
___ "अन्तमुहुत्तंमि गए अन्तमुहुत्तंमि सेसए चेव। लेस्साहि परिणयाहिं जीवा वच्चंति परलोय।" ૧. આગામી ભવની વેશ્યાના પ્રથમ સમયે પરભવાયુષ્યનો ઉદય થાય કે પૂર્વભવની વેશ્યાના અન્ત સમયે પરભવના આયુષ્યનો ઉદય થાય
અથવા બીજી રીતે થાય? એ શંકા દૂર કરવા માટે ભદ્રબાહુ સ્વામી કહે છે-“પરિણત થયેલી સર્વ વેશ્યાના પ્રથમ સમયે પરભવમાં કોઇ જીવની ઉત્પત્તિ થતી નથી, તેમ તેના છેલ્લા સમયે પણ પરભવમાં કોઇની ઉત્પત્તિ થતી નથી, પરન્તુ આગામી ભવની વેશ્યાનું અન્તર્મુહૂર્ત ગયા પછી તિર્યંચ અને મનુષ્યો અને સ્વભાવસંબન્ધી લેશ્યાનું અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે દેવ અને નારકો પરલોકમાં જાય છે. જુઓબૃહત્સંગ્રહણી ટીકા ૫, ૧૦૮-૯
29