SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं तेयगसमुग्घाय समोहय जीवाईणं ओगाहफासाइ परूवणं ઉત્પન્ન થનાર પ્રયત્નને આશ્રયી કહ્યું છે. પરન્તુ જ્યારે કોઇપણ વૈક્રિયસમુદ્ધાતને પ્રાપ્ત થયેલો મરણ સમુદુઘાતને પ્રાપ્ત થાય અને કોઇપણ રીતે ઉત્કૃષ્ટત્રણ સમયની વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને આવે છે ત્યારે અસંખ્યાતા યોજનપ્રમાણ આયામક્ષેત્ર-લંબાઈનું ક્ષેત્ર જાણવું. તેટલા પ્રમાણવાળું ક્ષેત્ર વ્યાપ્ત કરવું મરણસમુદ્ધાતના પ્રયત્નજન્ય હોવા છતાં પણ તેની વિવક્ષા કરી નથી. ‘લિસિ વિનિર્ષિ વા' રૂતિ તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ઉપર બતાવેલા પ્રમાણવાળું આયામક્ષેત્ર એકદિશામાં કેવિદિશામાં જાણવું. તેમાં નરયિકો, પંચેન્દ્રિય તિર્યંચો, અને વાયુકાયિકોને અવશ્ય એક દિશામાં હોય છે. કારણ કે નૈરયિકો પરવશ અને અલ્પ ઋદ્ધિવાળા છે, તિર્યંચ પંચેન્દ્રિય અલ્પ ઋદ્ધિવાળા જ હોય છે અને વાયુકાયિકો વિશિષ્ટ ચેતના રહિત હોય છે, તેથી વૈક્રિયસમુદ્ધાતનો આરંભ કરતા તેઓને જો કે તથા સ્વભાવથીજ આત્મપ્રદેશોના દંડનું નીકળવું થાય છે અને તે આત્મપ્રદેશોથી જુદા થઈને પુલોનું શ્રેણિને અનુસારેગમન થાય છે પણ વિશ્રેણિમાં થતું નથી. તેથી દિશામાંજ નૈરયિકો તિર્યંચ પંચેન્દ્રિયો અને વાયુકાયિકોનું લંબાઇમાં ક્ષેત્ર સમજવું, પણ વિદિશામાં ન જાણવું. જે ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક તથા મનુષ્યો છે તે સ્વેચ્છાચારી અને વિશિષ્ટ લબ્ધિસહિત હોય છે, તેથી તેઓ કદાચિત્ પ્રયત્નવિશેષથી વિદિશામાં પણ આત્મપ્રદેશોનો દંડ કરતાં ત્યાં તે આત્મપ્રદેશોથી પુદ્ગલો બહાર વિસ્તારે છે, માટે તેઓનું ક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. - વૈક્રિયસમુદ્દઘાતને પ્રાપ્ત થયેલો કોઈ કાળ પણ કરે અને વિગ્રહગતિવડે ઉત્પત્તિ સ્થાને પણ જાય, તેથી વિગ્રહગતિને આશ્રયી કાળનું નિરુપણ કરવા માટે કહે છે–“સે ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્!તે ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રયી ઉત્પત્તિ સ્થાન સુધી ‘ોવ ' કેટલા કાળે (અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વિભક્તિ થયેલી છે) વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલુ હોય? ભગવાનું કહે છ– હે ગૌતમ! એક સમય, બે સમય અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે ‘ક્ષેત્ર વ્યાપ્ત થાય અને સ્પર્શેલું હોય એ પદનો અધ્યાહાર સમજવો. તાત્પર્ય એ છે કે વિગ્રહગતિને આશ્રયી મરણ દેશથી આરંભી ઉત્પત્તિ સ્થાન સુધીનું ક્ષેત્ર વ્યાપ્ત થવું ઉત્કૃષ્ટથી ત્રણ સમયમાં થાય છે પણ ચોથે સમયે થતું નથી. કારણ કે વૈક્રિયસમુદ્યતને પ્રાપ્ત થયેલો વાયુકાયિક પણ પ્રાયઃ ત્રસનાડીમાંજ ઉત્પન્ન થાય છે અને ત્રસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની જ હોય છે. ઉપસંહાર વાક્ય કહે છ– “વફત'એટલા કાળે ઇત્યાદિ સુગમ છે. ‘i તે વેવ' એ પછીનું સૂત્ર જે પૂર્વવેદનાસમુદ્યાત સંબંધે કહ્યું છે, યાવત્ પાંચ ક્રિયાવાળા પણ હોય એ છેલ્લા પદ સુધી જાણવું. રવિ'‘એમ નરયિક પણ જાણવો' ઇત્યાદિ સૂત્ર સ્વયંવિચારવું. પરન્તુ દિશા અને વિદિશાની અપેક્ષાએ વિશેષ છે તે પૂર્વેજ બતાવેલ છે. ૨૦૭૧૧|| .. . || तेयगसमुग्घाय समोहय जीवाईणं ओगाहफासाइ परूवणं ।। जीवे णं भंते! तेयगसमुग्घारणं समोहए, समोहणित्ता जे पोग्गले णिच्छुब्भति तेहि णं भंते! पोग्गलेहिं केवतिए खेत्ते अफुण्णे, केवइए खेत्ते फुडे? एवं जहेव वेउव्विय समुग्घाए तहेव, णवरं आयामेणं जहण्णेण अंगुलस्स असंखेज्जतिभागं, [संखेज्जतिभागं] सेसं तं चेव। एवं जाव वेमाणियस्स, णवरं पंचेंदियतिरिक्खजोणियस्स एगदिसिं एवतिए खेत्ते अफुण्णे०[एवतिए खेत्तस्स फुडे।] ।।सू०-२१ ।।७१२।। (મૂળ) હે ભગવન્!તેજસ સમુદ્યાત વડે સમુદ્યાત વાળો જીવ અને તેજસ સમુઘાત કરીને જે પુલોને બહાર કાઢે, તે પુદ્ગલો - વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું સ્પર્શેલું હોય? ઇત્યાદિ જેમ વૈક્રિય સમુદ્દાત કહ્યો તેમજ કહેવો. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. બાકીનું બધું તેમજ કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકને કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. //ર ૧૭૧૨// (ટી.) હવે તેજસ સમુદ્યાત સંબંધે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે નીવે ને અંતે તેયામુપાળ' ઇત્યાદિ. હે ભગવન! તૈજસ સમુદ્દાત વડે સમુદ્યાતવાળો જીવ સમુઘાત કરી જે પુદ્ગલોને બહાર કાઢે છે, ઇત્યાદિ સુગમ છે. પરંતુ આ તૈજસસમુદ્ધાત ચાર દેવનિકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને સંભવે છે, બાકીનાને સંભવતો નથી. કારણ કે તેઓ 376
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy