SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं आहारगसमुग्धाय समोहय जीवाईणं ओगाहफासाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ મહાપ્રયત્નવાળા હોય છે માટે તૈજસસમુદ્લાતનો આરંભ કરવાને જઘન્યથી પણ લંબાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે, પરન્તુ સંખ્યાતમાં ભાગપ્રમાણ હોતું નથી. ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઉ૫૨ કહેલા પ્રમાણવાળું ક્ષેત્ર તિર્યંચ પંચેન્દ્રિય સિવાયના જીવોને એક દિશામાં કે એક વિદિશામાં કહેવું. અને તિર્યંચ પંચેન્દ્રિયોને તો દિશામાંજ કહેવું. અહીં પૂર્વે કહેલીજ યુક્તિ અનુસરવી. તે પ્રમાણે સૂત્રકાર કહે છે—‘ડ્યું વેકગ્વિયસમુ ખાય્ તદેવ' જેમ વૈક્રિય સમુદ્દાત કહ્યો, તેમ તેજસસમુદ્દાત કહેવો—ઇત્યાદિ. એ પ્રમાણે તૈજસસમુદ્દાત કહ્યો. ।।૨૧।।૭૧૨॥ | आहारगसमुग्धाय समोहय जीवाईणं ओगाहफासाइ परूवणं || भंते! आहारसमुग्घाएणं समोहए, समोहणित्ता जे पोग्गले णिच्छुब्भइ तेहि णं भंते! पोग्गलेहिं केवइए. खित्ते अफुण्णे, केवइए खेत्ते फुडे ? गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ- बाहल्लेणं, आयामेणं जहणणेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं संखेज्जाई जोयणाई एगदिसिं, एवति खेत्ते ० । एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं एवतिकालस्स अफुण्णे, एवतिकालस्स फुडे । ते णं भंते! पोग्गला केवतिकालस्स णिच्छुब्भति? गोयमा! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तस्स । सू० - २२ । ७१३ ।। (મૂળ) હે ભગવન્! આહા૨ક સમુદ્દાત વાળો જીવ સમુદ્દાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે, હે ભગવન્! તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? હે ગૌતમ!વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ માત્ર અને લંબાઇમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન એક દિશામાં, એટલું ક્ષેત્ર એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે? હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તમાં કાઢે. ૨૨૭૧૩ ते णं भंते! पोग्गला णिच्छूढा समाणा जाईं तत्थ पाणाई भूयाई जीवाई सत्ताई अभिहणंति जाव उद्दवेंति, તઓ(તત્તે) ખં મંતે! નીને તિવિ?િોયમા!સિયતિિિર, સિય ચતિિર, સિય પંચવિાિ તે ાં અંતે! નીવા तातो जीवाओ कतिकिरिया ? गोयमा ! एवं चेव । से णं भंते! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परपराघाएणं ઋતિવિયિા? ગોયમા! તિજિરિયા વિ પતિિરયા વિ પંચવિયિાવિ, વં મલે વિસૂ॰-૨૩।।૦૪।। (મૂળ) હે ભગવન્! બહાર કાઢેલા તે પુદ્ગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે છે યાવત્ તેના જીવિતનો નાશ ક૨ે છે તેને આશ્રયી જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય કદાચ ચાર ક્રિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો તે સમુદ્દાતવાળા જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! એમજ જાણવું. હે ભગવન્! તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર ક્રિયાવાળા પણ હોય અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સંબન્ધે પણ જાણવું. ૨૩૪૭૧૪॥ (ટી૦) હવે આહારકસમુઘાતનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—‘નીવે મંતે ' ઇત્યાદિ. હે ભગવન્! આહા૨ક સમુદ્ધાતવડે સમુદ્ધાતવાળો જીવ સમુદ્દાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે–ઇત્યાદિ. એ સૂત્ર તૈજસસમુદ્ધાતની પેઠે વિચારવું. પરન્તુ આહારક સમુદ્દાત મનુષ્યોને હોય છે. તેમાં પણ ચૌદ પૂર્વનું અધ્યયન કરવાને, તેમાં પણ કેટલાએક આહા૨કલબ્ધિવાળાને હોય છે પણ બાકીનાને હોતો નથી, અને તે આહારકસમુદ્દાતનો આરંભ કરતા જધન્યથી અને ઉત્કૃષ્ટથી લંબાઇમાં ઉપર કહેલા પ્રમાણવાળું ક્ષેત્ર આત્મપ્રદેશોથી જુદા થયેલા પુદ્ગલો વડે એક દિશામાં વ્યાપ્ત કરે છે, પણ વિદિશામાં વ્યાપ્ત કરતો નથી. વિદિશામાં તો અન્ય પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશના દંડનો વિસ્તાર અને પુદ્ગલો વડે વ્યાપ્ત કરવું થાય છે, પરન્તુ તેઓ પ્રયોજન નહિ હોવાથી અને ગંભીરપણાથી અન્ય પ્રયત્નનો આરંભ કરતા નથી. આહારક સમુદ્દાતને પ્રાપ્ત થયેલો 377
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy