SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं वेडव्वियसमुग्धाय समोहय जीवाईणं ओगाइफासाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ કહેવું. નાગકુમારાદિને વિષે અતિદેશ–સમાનપણું બતાવે છે—‘નન્હા અસુરમારે’ઇત્યાદિ. જેમ અસુરકુમારને વિષે કહ્યું છે તેમ નાગકુમારાદિને વિષે યાવત્ વૈમાનિક વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવું. પરન્તુ પૃથિવ્યાદિરૂપ એકેન્દ્રિયને વિષે જેમ સામાન્યપણે જીવપદમાં કહ્યું છે તેમ બધું કહેવું. તાત્પર્ય એ છે કે જેમ જીવપદને વિષે ચાર સમયની પણ વિગ્રહગતિ કહી છે તેમ પૃથિવ્યાદિ પાંચે સ્થાનોમાં કહેવી. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે મારણાન્તિક સમુદ્દાત કહ્યો. ।।૧૯।૭૧૦। || वेडव्वियसमुग्धाय समोहय जीवाईणं ओगाइफासाइ परूवणं || वेव्वयसमुग्घाएणं समोहए, समोहणित्ता जे पुग्गले णिच्छुभति तेहि णं भंते! पोग्गलेहिं केवतिए खेत्ते अफुण्णे, केवतिए खेत्ते फुडे ? गोयमा ! सरीरपमाणमेत्ते विक्खभ - बाहल्लेणं, आयामेणं जहण्णेणं. अंगुलस्स [अ]संखेज्जतिभागं उक्कोसेणं संखिज्जाई जोअणाई एगदिंसिं विदिसिं वा एवइए खेत्ते अफुण्णे, एवतिए खेत्ते फुडे। से णं भंते! खेत्ते केवतिकालस्स अफुण्णे, केवतिकालस्स फुडे ? गोयमा ! एगसमइएण वा दुसमइएण तिसमइएण वा विग्गहेणं एवतिकालस्स अफुण्णे, एवतिकालस्स फुडे, सेसं तं चैव जाव पंचकिरिया वि, एवं रइए वि, णवरं आयामेणं जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं संखिज्जाई जोअणाई एगदिसिं। एवतिए खेत्ते केवतिकालस्स तं चैव जहा जीवपदे । एवं जहा णेरइयस्स तहा असुरकुमारस्स, गवर एगदसिं विदिसिं वा, एवं जाव थणियकुमारस्स । वाउक्काइयस्स जहा जीवपदे, णवरं एगदिसिं । पंचिंदियतिरिक्खजोणियस्स णिरवसेसं जहा णेरइयस्स । मणूस - वाणमंतर - जोइसिय- वेमाणियस्स णिरवसेसं जहा અસુમારH IIR-૨૦૨/૭૬૬/ (મૂળ) હે ભગવન્! વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાતવાળો જીવ વૈક્રિય સમુદ્દાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે, તે પુદ્ગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લંબાઇમાં જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય. અથવા એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું ‘યાવત્ પાંચ ક્રિયાવાળા પણ હોય' ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણ નૈરયિક સંબન્ધ કહેવું. પરન્તુ લંબાઇમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય–ઇત્યાદિ જેમ જીવપદમાં કહ્યું છે તેમજ કહેવું. એ પ્રમાણે નૈરયિકને કહ્યું તેમ અસુરકુમારને કહેવું. પરન્તુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવત્ સ્તનિતકુમારને કહેવું. વાયુકાયિકને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ ક્ષેત્ર એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચને નૈરયિકની જેમ બધું કહેવું. મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષ્ઠ અને વૈમાનિકને બધું અસુરકુમારની પેઠે જાણવું. ૨૦૭૧૧ (ટી૦) હવે વૈક્રિય સમુદ્દાત સંબંધે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છ—‘નીવે ાં ભંતે! વેઽન્વિટ્' ઇત્યાદિ. હે ભગવન્! વૈક્રિયસમુદ્દાતવડે સમુદ્દાતવાળો જીવ સમુદ્દાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે–ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. પરન્તુ લંબાઇમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર હોય છે. એ વાયુકાયિક સિવાયના નૈરયિકાદિની અપેક્ષાએ જાણવું. કારણ કે તેઓ વૈક્રિયસમુદ્ધાતનો આરંભ કરતા તેવા પ્રકારના પ્રયત્ન વિશેષથી ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે, પણ અસંખ્યાતા યોજન પ્રમાણ કરતા નથી. વાયુકાયિકો તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ દંડ કરેછે અને ઉત્કૃષ્ટથી તેટલા પ્રમાણવાળો દંડ કરતા તેટલા પ્રદેશમાં રહેલા તૈજસાદિ શરીરના પુદ્ગલોને આત્મપ્રદેશોથી જુદા કરે છે. તે પુદ્ગલો વડે વ્યાપ્ત ક્ષેત્ર લંબાઇમાં ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતાજ યોજન હોય છે. એ એવા પ્રકારનું ક્ષેત્રપ્રમાણ કેવળ વૈક્રિયસમુદ્ઘાતથી 375
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy