________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं पढमो उद्देसो नेरइएस समाहाराइ सत्तदारपरूवणं મહાનરકોમાં ઉત્પન્ન થયેલા છે. જેઓ અસંશીભૂત-અસંશી પંચેન્દ્રિય છતાં નૈરયિક ભાવને પ્રાપ્ત થયેલા છે તેઓ અલ્પવેદનાવાળા છે. અસંશી ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, કારણ કે તેને યોગ્ય આયુષ્યના બન્ધનો સંભવ છે. તે સંબન્ધે કહ્યું છે કે—‘વિદે નં મંતે! અસત્રિમા પન્નત્તે? ગોયમા! શ્વસન્દ્રિત્તે અત્રિમા પન્નત્તે, તું બહા-નેરશ્યઞક્ષત્રિઞાન, તિવિશ્વનોળિયઞક્ષત્રિઞાતળુ, મનુસ્સબોળિયઞક્ષત્રિઞાન, વેવઞક્ષત્રિઞાની' હે ભગવન્! કેટલા પ્રકારનું અસંજ્ઞી આયુષ્ય કહ્યું છે? હે ગૌતમ! અસંશી આયુષ્ય ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે—‘નૈરયિકઅસંજ્ઞીઆયુષ્ય, તિર્યંચયોનિઅસંજ્ઞીઆયુષ્ય, મનુષ્યયોનિઅસંશીઆયુષ્ય અને દેવઅસંજ્ઞીઆયુષ્ય. તેમાં દેવ અને નાકમાં અસંજ્ઞીના આયુષ્યની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તિર્યંચ અને મનુષ્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. એ પ્રમાણે અસંજ્ઞી છતાં જેઓ નરકમાં ઉત્પન્ન થાય છે તેઓ અતિ તીવ્ર અશુભ અધ્યવસાયના અભાવથી રત્નપ્રભામાં જ્યાં અતિ તીવ્ર વેદના નથી એવા નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ અલ્પ સ્થિતિવાળા હોય છે તેથી અલ્પવેદનાવાળા છે. અથવા સંશીભૂત-પર્યાપ્તા, તેઓ પર્યાપ્તા હોવાથી મહાવેદનાવાળા છે અને અસંશી અલ્પવેદનાવાળા છે, કારણ કે અપર્યાપ્તા હોવાથી પ્રાયઃ વેદનાનો અસંભવ છે. [મનરૂપ કરણના અભાવમાં વેદનાનો અનુભવ થતો નથી.] અથવા સંજ્ઞા-સમ્યગ્દર્શન, તે જેઓને છે તે સંજ્ઞી–સમ્યગ્દષ્ટિપણાને પ્રાપ્ત થયેલા, તેઓ મહાવેદનાવાળા છે, કારણ કે પૂર્વે કરેલા કર્મના વિપાકનું સ્મરણ કરતા તેઓને ‘અહો મોટું દુઃખ અમને પ્રાપ્ત થયું છે, અતિ વિષમ વિષયરૂપી વિષના ઉપભોગ(પરિભોગ) વડે વંચિત(ઠગાયેલો) ચિત્તવાળા અમે સકલ દુઃખનો ક્ષય કરનાર ભગવન્ત અર્હત્પ્રણીત ધર્મ ન કર્યો' આવા પ્રકારે મોટુંન્દુઃખ મનમાં થાય છે, તેથી મહાવેદનાવાળા છે. અસંશી-મિથ્યાદૃષ્ટિ તેઓ ‘પોતાના કરેલા કર્મનું આ ફળ છે' એમ જાણતા નથી, નહિ જાણતા તેઓ પશ્ચાત્તાપરહિત માનસવાળા હોય છે, તેથી અલ્પવેદનાવાળા હોય છે. 1181189611
. ખેરવા ાં ભંતે! સવ્વ સમજિરિયા? ગોયમા! નો ફટ્ટે સમઢે તે ઢેળ અંતે! વં વુતિ-'નેરફયા નો સબ્વે સમજિરિયા'? પોયમા! નેફ્યા તિવિહા પન્નત્તા, તં નહા-સમ્મદ્દિકી, મિદ્દિકી, સમ્મામિ∞ીિ। તથૅ ાં ને તે सम्मद्दिट्ठी सिणं चत्तारि किरियाओ कज्जंति, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया । तत्थ णं जे ते मिच्छद्द्द्दिट्ठी जे सम्मामिच्छद्दिट्ठी तेसि णं नियताओ पञ्च किरियाओ कज्जंति, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- 'नेरइया નો સત્ત્વે સમજિરિયા' સૂ॰-||૪૭૬||
(મૂળ) હે ભગવન્! બધા નૈયિકો સમાનક્રિયાવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘નૈરિયકો બધા સમાનક્રિયાવાળા નથી'? હે ગૌતમ! નૈરયિકો ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે–સમ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સભ્યગ્મિથ્યાદૃષ્ટિ. તેમાં જે સમ્યદૃષ્ટિ છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે−૧ આરંભિકી, ૨ પારિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી અને ૪ અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જે મિથ્યાદૃષ્ટિ અને સભ્યગ્મિથ્યાદૃષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે−૧ આરંભિકી, ૨ પારિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાનક્રિયા
અને ૫ મિથ્યાદર્શનપ્રત્યયિકી. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે ‘નૈયિકો બધા સમાનક્રિયાવાળા નથી.’ ।।૫।।૪૭૯।। (ટી૦) હવે ‘સમજિરિયા' સમાન ક્રિયા સંબન્ધી અધિકારનો વિચાર કરતા સૂત્રકાર કહે છે—‘નેરયા મંતે! સવ્વુ સમજિરિયા' હે ભગવન્! બધા નૈરયિકો સમાન ક્રિયાવાળા છે?–ઇત્યાદિ. સમ–તુલ્ય છે કર્મના હેતુભૂત આરંભિકી વગેરે ક્રિયાઓ જેઓને તે સમાનક્રિયાવાળા કહેવાય છે. આરંભ-પૃથિવ્યાદિ જીવની હિંસા તે પ્રયોજન જેનું છે તે આરંભિકી. ‘પરિરિયા' ઇતિ. ધર્મના ઉ૫ક૨ણ સિવાયની વસ્તુ રાખવી અને ધર્મોપકરણમાં પણ મૂર્છા રાખવી તે પરિગ્રહ, તે જેનું
26