SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पढमो उद्देसो नेरइएस समाहाराइ सत्तदारपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ समवन्ना'? गोयमा! णेरइया दुविहा पन्नत्ता, तं जहा - पुव्वोववन्नगा य पच्छोववन्नगा य । तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं विसुद्धवन्नतरागा, तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं अविसुद्धवन्नतरागा, से एएणद्वेणं गोयमा! एवं वुच्चइ-'नेरइया नो सव्वे समवन्ना'। एवं जहेव वन्नेण भणिया तहेव लेसासु विसुद्धलेसतरागा अविसुद्धलेसतरागा य भाणियव्वा । सू० - ३ || ४७७।। (મૂળ) હે ભગવન્! નૈયિકો બધા સમાનવર્ણવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ–યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી હે કહો છો કે ‘નૈરિયકો બધા સમાનવર્ણવાળા નથી’? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે—પૂર્વે ઉત્પન્ન થયેલા અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધતરવર્ણવાળા અને જે પાછળ ઉત્પન્ન થયેલા તે અવિશુદ્ધવર્ણવાળા છે, એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘નૈરિયકો બધા સમાનવર્ણવાળા નથી.’ એ પ્રમાણે જેમ વર્ણ સંબંધે કહ્યું તેમ લેશ્યા સંબંધે વિશુદ્ધલેશ્યાવાળા અને અવિશુદ્ધલેશ્યાવાળા કહેવા. ૫૩૪૭૭॥ (ટી૦) વર્ણસૂત્રમાં ‘વિશુદ્ધતરવળા:'—પૂર્વે ઉત્પન્ન થયેલા નૈરયિકો વિશુદ્ધતર વર્ણવાળા છે. શા હેતુથી ? નારકોને અપ્રશસ્ત વર્ણનામકર્મનો અશુભ અને તીવ્ર રસોદય ભવની અપેક્ષાએ છે. એ સંબન્ધે કહ્યું છે કે—‘અલમવવેત્તવેવવો ૩૬મો 'વિવાઞવિવાો'। કાળ, ભવ અને ક્ષેત્રની અપેક્ષાએ કર્મનો વિપાકસહિત કે વિપાક રહિત ઉદય હોય છે. (પ્ર0)– તેમાં માત્ર આયુષ્યકર્મ ભવવિપાકિની પ્રકૃતિ છે, તો અપ્રશસ્ત વર્ણનામકર્મનો ઉદય ભવસાપેક્ષ કેમ કહો છો? (ઉ0)–એ સત્ય છે, તો પણ આ અપ્રશસ્ત નામકર્મનો તીવ્રરસવાળો ધ્રુવ ઉદય પૂર્વાચાર્યોએ કહેલો છે. અને તે પૂર્વે ઉત્પન્ન થયેલા નારકોએ ભોગવી ઘણો ક્ષય કર્યો હોય છે, અને થોડો બાકી છે. અને વર્ણનામ કર્મ પુદ્ગલવિપાકિની પ્રકૃતિ છે, તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા નારકો વિશુદ્ધતર વર્ણવાળા છે, પાછળ ઉત્પન્ન થયેલા નારકોએ હજી સુધી ભોગવીને ઘણો ક્ષય કર્યો નથી, માટે તેઓ અવિશુદ્ધ વર્ણવાળા છે. આ હકીકત પણ સમાનસ્થિતિવાળા નારકોની અપેક્ષાએ સમજવી. અન્યથા પૂર્વે કહ્યા પ્રમાણે અનિયતપણાનો સંભવ છે. ‘વં નહેવ વન્દેળ મળિયાં' ઇત્યાદિ. એ પ્રમાણે જેમ વર્ણ સંબન્ધે કહ્યું તેમ લેશ્યા સંબન્ધે પણ કહેવું. તે આ પ્રમાણે—‘હે ભગવન્! બધા નૈયિકો સમાન લેશ્યાવાળા હોય છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી.' ઇત્યાદિ. પરંતુ પૂર્વે ઉત્પન્ન થયેલા વિશુદ્ધ લેશ્યાવાળા છે. કારણ કે પૂર્વે ઉત્પન્ન થયેલા ના૨કોએ ઘણા અપ્રશસ્ત લેશ્યાદ્રવ્યો અનુભવી અનુભવીને ક્ષીણ કર્યા છે, તે માટે તે વિશુદ્ધ લેશ્માવાળા છે અને બીજા પાછળ ઉત્પન્ન થયેલા હોવાથી તેથી વિપરીત અવિશુદ્ધલેશ્યાવાળા છે. આ લેશ્યાસૂત્ર પણ સમાન સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સમજવું. नेरइया णं भंते! सव्वे समवेदणा? गोयमा! नो इणट्टे समट्टे से केणद्वेगं भंते! एवं वुच्चति- 'नेरइया णो सव्वे समवेयणा'? गोयमा! नेरइया दुविहा पन्नत्ता, तं जहा- सन्निभूया य असन्निभूया य । तत्थ णं जे ते सन्निभूता ते णं महावेदणतरागा, तत्थ णं जे ते असन्निभूता ते णं अप्पवेदणतरागा, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- 'नेरइया નો સત્ત્વે સમવેય' સૢ૦-૪||૪૭૮|| (મૂળ) હે ભગવન્! નૈયિકો બધા સમાનવેદનાવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘નૈયિકો બધા સમાનવેદનાવાળા નથી?” હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના છે, તે આ પ્રમાણે–સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જેઓ સંશીભૂત છે તે મહાવેદનાવાળા છે અને અસંશીભૂત છે તે અલ્પવેદનાવાળા છે. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે–‘નૈરિયકો બધા સમાનવેદનાવાળા નથી.' ૪૫૪૭૮૫ (ટી૦) હવે સમાનવેદનાવાળા પદ વડે સૂચિત અર્થાધિકારનું પ્રતિપાદન કરવા માટે કહે છે—‘નેફ્યા અંતે! અવ્વ સમવેવા?' નૈયિકો બધા સમાનવેદના–સમાન પીડાવાળા છે?–ઇત્યાદિ. તેમાં જેઓ સંશીભૂત છે એટલે પૂર્વે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં નારકપણું પામ્યાં છે તેઓ મહાવેદનાવાળા છે, કારણ કે તીવ્ર અશુભ અધ્યવસાય વડે અશુભત૨ કર્મનો બન્ધ કરવાથી 25
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy