SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पढमो उद्देसो नेरइएसु समाहाराइ सत्तदारपरूवणं શરીરવાળા તે જાતના બીજા પ્રાણીની અપેક્ષાએ બહુ ઉચ્છવાસ અને નિ:શ્વાસવાળા હોય છે અને દુઃખી પણ હોય છે. તે પ્રમાણે નારકો દુઃખી હોય છે. આહારનું કાલની અપેક્ષાએ વિષપણું બતાવે છે-“મમg' અભીર્ણવારંવાર આહાર કરે છે. જેઓ જેનાથી મોટા શરીરવાળા છે તેઓ તેની અપેક્ષાએ શીધ્ર અતિશીધ્ર આહાર ગ્રહણ કરવાના સ્વભાવવાળા હોય છે, અજીર્ણ-વારંવાર ઉચ્છવાસ લે છે અને વારંવાર નિઃશ્વાસ મૂકે છે. મહાશરીરવાળા હોવાને લીધે અત્યન્ત દુઃખી હોવાથી નિરંતર ઉચ્છવાસાદિ ક્રિયા કરે છે એ ભાવાર્થ છે. “તત્વ છે ને તે' ઇત્યાદિ. અહીં “જે જેઓ કહેવા માત્રથી અર્થ સરે છે તો જે તે’ જેઓ-તેઓ કહેવાનું કારણ તેવા પ્રકારની ભાષાશૈલી છે. જેઓ અલ્પશરીરવાળા છે તેઓ અત્યન્ત અલ્પ પુગલોનો આહાર કરે છે એટલે જેઓ જેનાથી અલ્પશરીરવાળા છે તેઓ તેને ગ્રહણ કરવા લાયક પુદ્ગલોની અપેક્ષાએ અલ્પ શરીર હોવાથી ઘણા અલ્પ પુગલોનો આહાર કરે છે. ‘બાહષ્ય બહારયંતિ'–કદાચિત્ આહાર કરે છે અને કદાચિત્ આહાર કરતા નથી, કારણ કે મહાશરીરવાળાને આહારગ્રહણ કરવાનું અત્તર છે તેની અપેક્ષાએ તે બહુ કાળના અન્તર વડે આહાર કરે છે એ ભાવાર્થ છે. “માહત્ત્વ સમંતિ, ની અંતિ'–કદાચિત્ ઉચ્છવાસ લે છે અને કદાચિત્ મૂકે છે. કારણ કે તેઓ અલ્પ શરીરવાળા હોવાથી મહાશરીરવાળાની અપેક્ષાએ અલ્પ દુઃખવાળા હોવાથી આચ્ચ-કદાચિત્ એટલે સાન્તરપણે ઉચ્છવાસાદિ ક્રિયા કરે છે એ ભાવાર્થ છે. અથવા અપર્યાપ્તિકાળે-અપર્યાપ્તાવસ્થામાં અલ્પશરીરવાળા લોમાહારની અપેક્ષાએ આહાર કરતા નથી, અને ઉચ્છવાસપર્યાપ્તિ વડે અપર્યાપ્તા હોવાથી ઉચ્છવાસ લેતા નથી, અન્ય કાળે આહાર ગ્રહણ કરે છે અને ઉચ્છવાસ લે છે, માટે કહ્યું છે કે–ગાહષ્ય માહીતિ ગાઈશ્વ સસંતિ' કદાચિત્ આહાર લે છે અને કદાચિત્ ઉચ્છવાસ લે છે.” તે હેતુથી' ઇત્યાદિ નિગમન વાક્ય સુગમ છે. नेरइया णं भंते! सव्वे समकम्मा? गोयमा! नो इणढे समढे। से केणटेणं भंते! एवं वुच्चइ-'नेरइया नो सव्वे समकम्मा। गोयमा! नेरइया दुविहा पन्नत्ता, तं जहा-पुव्वोववनगा य पच्छोववनगा य। तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं अप्पकम्मतरागा, तत्थ णंजे ते पच्छोववन्नगा ते णं महाकम्मतरागा, से तेणटेणं गोयमा! एवं ગુખ્યરૂ-નેરફયા છો તળે સમગ્મા' Iટૂ-રા૪૭૬ાા (મૂ૦) હે ભગવન્! નરયિકો બધા સમાનકર્મવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે “નરયિકો બધા સમાનકર્મવાળા નથી? હે ગૌતમ! નૈરિયકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પૂર્વે ઉત્પન્ન . થયેલા, અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે અલ્પકર્મવાળા અને પાછળ ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે. તે હેતથી હે ગૌતમ! એમ કહું છું કે “નૈરયિકો બધા સમાન કર્મવાળા નથી.' ર II૪૭૬ / (ટી0) હવે સમાનકર્મપણાનો અધિકાર કહે છે—જેને '' હે ભગવન્! નૈરયિકો બધા સમાન કર્મવાળા છે-ઇત્યાદિ. બધા નરયિકો સમાન કર્મવાળા નથી તેનું કારણ બતાવે છે–નરયિકો બે પ્રકારના છે–“પુત્રોવના ય પચ્છોવત્ર ૨' પૂર્વે ઉત્પન્ન થયેલા અને પશ્ચાત્-પછી ઉત્પન્ન થયેલા. પૂર્વે ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા નરયિકોમાં જેઓ પૂર્વે ઉત્પન્ન થયેલા છે તેઓએ નરકાયુષ્ય, નરકગતિ અને અસતાવેદનીય ઘણા કર્મની નિર્જરા કરી હોય છે અને થોડાં કર્મ બાકી હોય છે. તેથી તેઓ અલ્પ કર્મવાળા હોય છે. બીજા તેનાથી વિપરીત હોવાથી મહાકર્મવાળા છે. આ હકીકત સમાન સ્થિતિવાળા જે નારકો છે તેને આશ્રયી કહેલી સમજવી, જો એમ ન હોય તો રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકનું ઘણું આયુષ્ય ક્ષીણ થયું હોય અને પલ્યોપમનું આયુષ્ય બાકી હોય ત્યારે તે જ રત્નપ્રભામાં દશ હજાર વર્ષની સ્થિતિવાળો અન્ય કોઈ નારક ઉત્પન્ન થાય તે પૂર્વે ઉત્પન્ન થયેલા અને પલ્યોપમ બાકી રહેલા આયુષ્યવાળા નારકની અપેક્ષાએ મહાકર્મવાળો કહી શકાય? l/ર/૪૭૬/ नेरइयां णं भंते! सव्वे समवन्ना? गोयमा! णो इणढे सम?। से केणटेणं भंते! एवं वुच्चइ-'नेरइया नो सव्वे 24
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy