SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पढमो उद्देसो नेरइएस समाहाराइ सत्तदारपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ आहच्च आहारेंति, आहच्च परिणामेंति, आहच्च ऊससंति, आहच्च नीससंति, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ-'नेरइया नो सव्वे समाहारा, नो सव्वे समसरीरा, णो सव्वे समुस्सासनिस्सासा।' ।।सू०-१।।४७५।। (મૂળ) હે ભગવન્! નૈયિકો બધા સમાન આહારવાળા, બધા સમાન શરીરવાળા અને બધા સમાન ઉચ્છ્વાસ—નિઃશ્વાસવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે ‘નૈરિયકો બધા સમાન આહારવાળા નથી, યાવત્ બધા સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા નથી'? હે ગૌતમ! નૈયિકો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેમહાશરીરવાળા અને અલ્પશરીરવાળા. તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણમાવે છે, ઘણા પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે અને ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે, વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણમાવે છે, વારંવાર ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે અને વારંવાર નિઃશ્વાસરૂપે મૂકે છે. તેમાં જે અલ્પશરીરવાળા છે તે અલ્પ પુદ્ગલોનો આહાર કરે છે, અલ્પ પુદ્ગલોને પરિણમાવે છે, અલ્પ પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે અને નિશ્વાસરૂપે મૂકે છે, બહત્ત્વ-કદાચિત્ આહાર ગ્રહણ કરે છે, કદાચિત્ પરિણમાવે છે, કદાચ ઉચ્છ્વાસ લે છે અને કદાચિત્ મૂકે છે, એ હેતુથી એમ કહું છું કે ‘નૈયિકો બધા સમાન આહારવાળા નથી, બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છ્વાસનિઃશ્વાસવાળા નથી'. ૧૪૭૫॥ (ટી૦) ‘યથોદેશં નિર્દેશ ' ઉદ્દેશના ક્રમ પ્રમાણે નિર્દેશ થાય છે—એ ન્યાયથી પ્રથમ ‘સમાન આહારવાળા’ એ પ્રશ્નસૂચિત અર્થાધિકાર કહે છે—‘નેરડ્યા નું મં! સવ્વ સમાહારા'? હે ભગવાન! બધા નૈરિયકો સમાન આહારવાળા છે–ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર કહે છે—‘યમા' ઇત્યાદિ−હે ગૌતમ! આ અર્થ સમર્થ-યુક્તિયુક્ત નથી. પુનઃ પ્રશ્ન કરે છે—‘તે જેટ્ટેનં’—શા હેતુથી એમ કહો છો? ઇત્યાદિ. ‘સે’ શબ્દ અથશબ્દના અર્થમાં છે. અથ વ્હેનાર્થેન—કયા પ્રયોજનથી હે ભગવન્! એમ કહો છો? ભગવાન કહે છે–‘હે ગૌતમ' ઇત્યાદિ. નૈરયિકો બે પ્રકારના છે–અલ્પશરીરવાળા અને મહાશરીરવાળા. અહીં અલ્પપણું અને મહત્વ-મહાપણું સાપેક્ષ છે. તેમાં જઘન્ય અલ્પપણું અંગુલના અસઁખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ મહત્વ પાંચસો ધનુષપ્રમાણ છે. આ ભવધારણીય (સ્વાભાવિક) શરીરની અપેક્ષાએ સમજવું. ઉત્તરવૈક્રિપ્રની અપેક્ષાએ જઘન્ય અલ્પપણું અંગુલના સંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ મહત્ત્વ હજાર ધનુષપ્રમાણ જાણવું. એ કથન વડે ‘સમશ૨ી૨વાળા હોય છે'? એ પ્રશ્નનો ઉત્તર કહ્યો. (પ્ર0)—અહીં પ્રથમ આહાર સંબન્ધુ પ્રશ્ન છે અને શરીર સંબન્ધે પ્રશ્ન બીજા સ્થાનમાં કહેલો છે, તો તેનો પ્રથમ ઉત્તર કેમ આપ્યો? (ઉ0)—શરીરની વિષમતા કહેવાથી આહાર અને ઉચ્છ્વાસની વિષમતા સારી રીતે કહી શકાય છે, માટે બીજા સ્થાનમાં કહેલા શરીરસંબન્ધુ પ્રશ્નનો પ્રથમ ઉત્તર આપ્યો છે. હવે આહાર અને ઉચ્છ્વાસનો ઉત્તર આપે છે—‘તત્વ નં' ઇત્યાદિ. તેમાં અલ્પશરીરવાળા અને મહાશરીરવાળા રાશિ બે રાશિમાં જેઓ જેનાથી મહાશ૨ી૨વાળા છે તેઓ તેની અપેક્ષાએ મોટા શરીરવાળા હોવાથી ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, લોકમાં પણ એમ દેખાય છે કે મોટા શરીરવાળો ઘણું ખાય છે, જેમકે હાથી, અને નાના શરીરવાળો સસલાની પેઠે અલ્પ ખાય છે. બહુલતાની અપેક્ષાએ આ ઉદાહરણ આપેલું છે, અન્યથા તેવા પ્રકારના મનુષ્યની પેઠે કોઇ મોટા શરીરવાળો પણ થોડું ખાય છે અને કોઇ નાના શરી૨વાળો પણ ઘણું ખાય છે. નારકો તો ઉ૫પાત વગે૨ે નિમિત્તે સાતાવેદનીયના ઉદય સિવાય અસાતાવેદનીયના ઉદયમાં વર્તતા હોવાથી જેમ મહાશરીરવાળા, દુઃખી અને તીવ્ર આહારની ઇચ્છાવાળા હોય છે તેમ અવશ્ય ઘણા પુદ્ગલોનો આહાર ક૨ે છે અને ઘણા પુદ્ગલોને પરિણમાવે છે, કારણ કે આહારના પુદ્ગલોને અનુસરી પરિણામ હોય છે. જો કે પરિણામ સંબન્ધે પ્રશ્ન નથી કર્યો છતાં તે આહારનું કાર્ય છે એમ ધારી ઉત્તર આપ્યો છે. તથા ‘બહુતરાણ પુનલે સસંતિ' તેમજ મોટું શરીર હોવાથી ઘણાં પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે અને ‘ની+સંતિ' નિઃશ્વાસરૂપે મૂકે છે. લોકમાં પણ દેખાય છે કે મોટાં ૧. અહીં તીર્થંકરના ઉ૫પાત-જન્મ વગે૨ે કલ્યાણક નિમિત્તે ના૨કોને ક્ષણ પર્યન્ત સાતાનો ઉદય હોય છે, તે સિવાય અસાતાનો નિરંતર ઉદય હોય છે. 23
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy