SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पढमो उद्देसो पढमुद्देसस्स अत्थाहिगारा કારણ થશે, પણ સ્થિતિબન્ધનું કારણ નહિ થાય,' તે પણ અયુક્ત છે, કારણ કે તેને ઉ૫૨ કહેલા ભાવાર્થનું જ્ઞાન નથી. વળી લેશ્મા સ્થિતિનું કારણ નથી, પણ કષાયો છે. લેશ્યા તો કષાયોદયના અન્તર્ગત અનુભાગનું કારણ થાય છે. એ હેતુથી જ સ્થિતિપાવિશેષસ્તસ્ય મતિ જ્ઞેશ્યા વિશેષેળ'—સ્થિતિપાકવિશેષ લેશ્યાવિશેષથી થાય છે’–એમ કહ્યું છે. અહીં અનુભાગનો બોધ થવા માટે ‘પાક’ શબ્દનું ગ્રહણ કરેલું છે. આ બાબત કર્મપ્રકૃતિટીકાદિમાં સુનિશ્ચિત કરી છે. તેથી ઉ૫૨ની શઠ્ઠા કરનારને સિદ્ધાન્તનું પરિશાન પણ બરાબર નથી. વળી જે કહ્યું છે કે ‘વર્મનિ:ષ્યો જ્ઞેશ્યા'—લેશ્યા એ કર્મના નિઃષ્યન્તરૂપ છે, લેશ્મા નિઃષ્યન્દરૂપ હોય તો જ્યાં સુધી કષાયનો ઉદય છે ત્યાં સુધી નિઃષ્યન્ત પણ હોય છે, માટે કર્મસ્થિતિનું પણ કારણ થાય છે, તે પણ અયુક્ત છે. કારણ કે લેશ્યા અનુભાગબન્ધનું કારણ છે, પણ સ્થિતિબન્ધનું કારણ નથી. વળી કર્મનિઃષ્યન્દ એ શું છે? કર્મના કલ્ક—અસારરૂપ છે કે કર્મના સારરૂપ છે? કર્મના કલ્કરૂપ નથી, કારણ કે તે અસારરૂપ હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગબંધનું કા૨ણ થઇ શકશે નહિ. કલ્ક અસારરૂપ છે અને અસાર એ ઉત્કૃષ્ટ અનુભાગ બન્ધનું કારણ કેમ થાય? અને ઉત્કૃષ્ટ અનુભાગબન્ધનું કારણ પણ લેશ્યા થાય છે. હવે લેશ્યા એ કર્મના સારરૂપ છે એ પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો તે કયા કર્મનો સાર છે? યથા સંભવ આઠે કર્મના સારરૂપ છે એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે શાસ્ત્રમાં આઠે કર્મના વિપાકો વર્ણવવામાં આવ્યા છે, પણ કોઇ કર્મનો લેશ્યા રૂપ વિપાક વર્ણવવામાં આવ્યો નથી. માટે કર્મના સારરૂપ પક્ષને કેમ અંગીકાર કરી શકાય? માટે પૂર્વે કહેલો યોગાન્તર્ગત દ્રવ્યરૂપ પક્ષ જ શ્રેયંસ્કર છે. અને તેને હરિભદ્રસૂરિ વગેરેએ તે તે સ્થળે અંગીકાર કરેલો છે. આ લેશ્યાપદમાં છ ઉદ્દેશકો છે, તેમાં પ્રથમ ઉદ્દેશકના અર્થને સંગ્રહ કરનારી આ ગાથા છે—‘આહાર સમસરીરા’ ઇત્યાદિ. ગાથાના પૂર્વાર્ધમાં ‘સમ’ શબ્દ પ્રત્યેકની સાથે જોડાય છે. અને ઉત્તરાર્ધમાં તો દરેક પદની સાથે સમશબ્દનો સાક્ષાત્ સંબન્ધ કરેલો છે. તેથી આ અર્થ થાય છે—બધા સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છ્વાસવાળા છે’ એ પ્રશ્નસહિત પ્રથમ અધિકાર, ‘સમાનકર્મવાળા’ એ બીજો અધિકાર, ‘સમાનવર્ણવાળા' એ ત્રીજો અધિકાર, ‘સમાનલેશ્યાવાળા’ એ ચોથો અધિકાર, ‘સમાનવેદનાવાળા' એ પાંચમો અધિકાર, ‘સમાનક્રિયાવાળા’ એ છઠ્ઠો અધિકા૨, અને ‘સમાનઆયુષ્યવાળા' એ સાતમો અધિકાર છે. (પ્ર0)—અહીં લેશ્યાપરિણામનો અધિકાર છે, તેમાં આ ઉપ૨ બતાવેલા અર્થોનો કેમ ઉપન્યાસ કરવામાં આવ્યો છે? (0)—હમણાં પૂર્વના પ્રયોગપદમાં કહેવામાં આવ્યું છે કે—કેટલા પ્રકારનો ગતિપ્રપાત છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે—૧ પ્રયોગગતિ, ૨ તતગતિ, ૩ બંધનછેદનગતિ, ૪ ઉપપાતગતિ, ૫ વિહાયોગતિ, તેમાં ઉપપાતગતિ ત્રણ પ્રકારની છે— ં ક્ષેત્રોપપાતગતિ, ૨ ભવોપપાતગતિ, ૩ નોભવોપપાતગતિ. તેમાં ભવોપપાતગતિ ચાર પ્રકારની છે— નૈરયિકભવોપપાતગતિ, દેવભવોપપાતગતિ, તિર્યંચભવોપપાતગતિ અને મનુષ્યભવોપપાતગતિ. તેમાં નારકત્વાદિ ભવરૂપે ઉત્પન્ન થયેલા જીવોને ઉત્પત્તિ સમયથી માંડી આહારાદિ અર્થનો અવશ્ય સંભવ છે માટે લેશ્યાના અધિકારમાં પણ આહારાદિ અધિકારોનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે. || नेरइएस समाहाराइ सत्तदारपरूवणं || . णेरइया णं भंते! सव्वे समाहारा, सव्वे समसरीरा, सव्वे समुस्सासनिस्सासा ? गोयमा ! णो इणट्टे समट्टे । से hi भंते! एवं वच्चइ- 'नेरइया नो सव्वे समाहारा, जाव णो सव्वे समुस्सासनिस्सासा' ? गोयमा ! णेरइया दुविहा पन्नत्ता, , तं जहा -महासरीरा य अप्पसरीरा य । तत्थ णं जे ते महांसरीरा ते णं बहुतराए पोग्गले आहारेंति, बहुतराए पोग्गले परिणामेंति, बहुतराए पोग्गले उस्ससंति, बहुतराए पोग्गले नीससंति, अभिक्खणं आहारेंति, अभिक्खणं परिणामति, अभिक्खणं ऊससंति अभिक्खणं नीससंति। तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए 'पोग्गले आहारेंति, अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए पोग्गले ऊससंति, अप्पतराए पोग्गले नीससंति, · 22
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy