SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पढमो उद्देसो पढमुद्देसस्स अत्थाहिगारा श्री प्रज्ञापना सूत्र भाग २ | || રરરરસમંવયં- પઢમો ઘેરો |. || पढमद्देसरस अत्थाहिगारा || आहार समसरीरा उस्सासे कम्मवन्नलेसासु। समवेदण समकिरिया समाउया चेव बोद्धव्वा ।।१।। ૧ સમ આહાર સમ શરીર અને સમ ઉચ્છવાસ, ૨ સમ કર્મ, ૩ સમ વર્ણ, ૪ સમ લેશ્યા, ૫ સમ વેદના, ૬ સમ ક્રિયા અને ૭ સમ આયુષ્ય-એ સાત અધિકારો પ્રથમ ઉદેશકમાં છે. એમ સોળમું પ્રયોગપદ કહ્યું, હવે સત્તરમા પદનો પ્રારંભ કરાય છે. તેનો આ સંબન્ધ છે–અહીં પૂર્વના પદમાં પ્રયોગપરિણામ સંબધે કહ્યું. હવે પરિણામની સમાનતાથી લેગ્યા પરિણામ કહેવાય છે. વેશ્યાનો શબ્દાર્થ શો છે? ‘ત્રિતે માત્મા ના સદ મનયા' જે વડે આત્મા કર્મની સાથે લેવાય તે વેશ્યા. એટલે કૃષ્ણાદિ દ્રવ્યના પ્રધાનપણાથી આત્માનો પરિણામ વિશેષ. કહ્યું છે કે ___ "कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः। स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्त्तते''। કૃષ્ણાદિ દ્રવ્યના પ્રધાનપણાથી–નિમિત્તપણાથી સ્ફટિકની જેવા આત્માનો જે પરિણામ થાય તેમાં આ વેશ્યાશબ્દની પ્રવૃત્તિ થાય છે. (પ્ર0)-કયા કૃષ્ણાદિ દ્રવ્યો છે? (ઉ0)–અહીં યોગ હોય છે ત્યારે વેશ્યા હોય છે, યોગના અભાવમાં નથી હોતી, માટે યોગની સાથે અન્વય અને વ્યતિરેક સંબન્ધ જણાવાથી વેશ્યાનું કારણ યોગ છે એમ નિશ્ચય થાય છે. કેમકે બધે કાર્યકારણભાવનો નિશ્ચય 'અન્વય અને વ્યતિરેકના દર્શનથી થાય છે. વેશ્યા યોગનિમિત્તક છે તેમાં બે વિકલ્પ છે-લેશ્યા યોગના અન્તર્ગત દ્રવ્યરૂપ છે કે યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ છે? તેમાં પ્રથમ યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ નથી, કારણ કે તેમાં બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ થતો નથી. તે આ પ્રમાણે-લેશ્યા યોગના નિમિત્ત ભૂત નર્મદ્રવ્યરૂપ હોય તો તે ઘાતી કર્મદ્રવ્યરૂપ છે કે અઘાતી કર્મદ્રવ્યરૂપ છે? ઘાતી કર્મદ્રવ્યરૂપ તો નથી, કારણ કે ઘાતી કર્મનો અભાવ છતાં સયોગી કેવલીને લેશ્યા હોય છે. અઘાતી કર્મદ્રવ્યરૂપ પણ નથી, કારણ કે અઘાતી કર્મ હોવા છતાં અયોગી કેવલીને વેશ્યા નથી, તેથી પરિશેષ ન્યાયથી લેણ્યા યોગાન્તર્ગત દ્રવ્યરૂપ માનવી જોઇએ. તે યોગાન્તર્ગત દ્રવ્યો જયાં સુધી કષાયો છે ત્યાં સુધી તેના ઉદયને વધારે છે. યોગાન્તર્ગત દ્રવ્યોનું કષાયના ઉદયને વધારવાનું સામર્થ્ય છે, જેમકે પિત્તદ્રવ્યનું. તે આ પ્રમાણેપિત્તના પ્રકોપથી ક્રોધ અત્યન્ત વધતો જણાય છે. વળી બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદય અને ક્ષયોપશમાદિમાં કારણરૂપે જણાય છે. જેમકે બ્રાહ્મી ઔષધી જ્ઞાનાવરણના ક્ષયોપશમનું અને મદિરાપાન જ્ઞાનવરણના ઉદયનું કારણ છે. જો જ્ઞાનાવરણના ઉદયનું કારણ ન હોય તો મદિરાપાનથી મનુષ્ય યુક્ત અને અયુક્તના વિવેકરહિત કેમ થાય? દહીં નિદ્રારૂપ દર્શનાવરણના ઉદયનું કારણ થાય છે. તો પછી યોગદ્રવ્યો કષાયોદયનું કારણ કેમ ન હોય? તેથી વેશ્યાથી સ્થિતિ પાકવિશેષ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તે બરોબર ઘટે છે. કારણ કે સ્થિતિ પાકવિશેષ એટલે અનભાગ. તેનું નિમિત્ત કષાયોદયના અન્તર્ગત કુષ્ણાદિ વેશ્યાના પરિણામો છે. અને તે વાસ્તવિક રીતે તેના અન્તર્ગત હોવાથી કષાયોદયરૂપ જ છે. કેવળ યોગાન્તર્ગત દ્રવ્યરૂપ સહકારી કારણના ભેદ અને તેની વિચિત્રતા લીધે કૃષ્ણાદિ ભેદો વડે ભિન્ન અને પ્રત્યેકના તારતમ્ય ભેદથી વિચિત્ર પરિણામો થાય છે. તેથી કર્મપ્રકૃતિકાર ભગવન્ત શિવશર્મસૂરિએ શતકમાં જે કહ્યું છે–“ગિજુભા સાયો ' સ્થિતિ અને અનુભાગ કષાયથી કરે છે, તે પણ યુક્ત છે. કારણ કે કષાયોદયના અન્તર્ગત કૃષ્ણાદિ લેશ્યાના પરિણામો પણ કષાયરૂપ છે. તેથી કોઈ એમ કહે છે કે લેશ્યાને યોગના પરિણામરૂપ માનવામાં આવે તો ના પવિપક્ષે ત્રિકુમાર સાો ગરૂ' યોગથી પ્રતિબંધ અને પ્રદેશબન્ધ કરે છે અને કષાયથી સ્થિતિ અને અનુભાગબન્ધ કરે છે–એ વચનથી લેશ્યા પ્રકૃતિબન્ધ અને પ્રદેશ બન્ધનું ૧. તત્સત્વે તત્સત્વન્તિ:, તપાવે તભાવઃ વ્યતિ:, તેની વિદ્યમાનતા તેનું હોવું તે અન્વય અને તેના અભાવમાં તેનો અભાવ થવો તે વ્યતિરેક, - 21
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy