SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्तीसइमं परियारणापयं परियारणा दारं श्री प्रज्ञापना सूत्र भाग २ તૃપ્ત થાય છે. રૈવેયક અને અનુત્તર દેવો અપરિચારક-મન વડે પણ અપરિચાર-મૈથુન સેવન રહિત હોય છે. કારણ કે તેઓ અલ્પ મોહના ઉદયવાળા હોવાથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. (પ્ર)–જો એમ છે તો તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય? (૧૦) ચારિત્ર પરિણામના અભાવથી તેઓ બ્રહ્મચારી નથી. ‘સે તેnફેન' તે હેતુથી કેટલાક દેવો દેવી સહિત અને પરિચારસહિત હોય છે ઇત્યાદિ નિગમન વાક્ય છે. તેમાં જે કાયપરિચારક દેવો છે તેઓના કાયપરિચારનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ પ્રમાણે કહે છે–તત્વ ' ઇત્યાદિ. તે કાયપરિચારક વગેરે દેવોમાં જે કાયપરિચારક ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન દેવો છે તેઓને રૂછીમ:'—કાય વડે મૈથુન સેવન કરવાનું ઇચ્છાપ્રધાન મન થાય છે. કેવી રીતે થાય છે? “અમે અપ્સરાઓની સાથે કાયપરિચાર કરવાને ઇચ્છીએ છીએ. તે પછી તે દેવો ઉપર કહ્યા પ્રમાણે કાયપરિચારનો મનમાં વિચાર કરે છે, એટલે ‘ક્ષિપ્રમેવ' જલદીજ તે અપ્સરાઓ પોતપોતાને ઉપભોગ કરવા યોગ્ય દેવોનો અભિપ્રાય જાણીને વિષય સેવનની અભિલાષાથી ઉત્તરક્રિય રૂપો કરે છે–એ સબન્ધ છે. તે ઉત્તરક્રિય રૂપો કેવા પ્રકારના છે? ઉદાર-વિશાલ, પરન્તુ હીન અવયવવાળા નહિ, તે પણ પાળ'શૃંગાર-આભૂષણાદિ વડે શણગારવું, વિભૂષિત કરવું, એવા શૃંગાર યુક્ત હોય છે. અહીં અભ્રાદિથી ‘આ’ પ્રત્યય થયો છે. એટલે વિભૂષણાદિ વડે જેઓનો ઉદાર શંગાર કરાયેલો છે એવાં રે રૂપો કદાચિત કોઇને અમનોજ્ઞ હોય, એ માટે કહે છે-“મનોજ્ઞાની” પોતપોતાને ઉપભોગ્ય દેવના મનોગત ભાવને ગમે તેવાં, મનોજ્ઞ રૂપો લેશથી પણ સંભવે, તે માટે કહે છે કે “મનોહરાણિ–પોતપોતાના ઉપભોગ્ય દેવના મનને હરણ કરે અધીન કરે તેવાં, તે મનોહરપણું પ્રથમ આરંભ માત્રમાં હોય, તેથી કહે છે-“મનોરમાણિ” પોતપોતાના ઉપભોગ્ય દેવના મનને રમાડે–આનંદ પમાડે, પ્રતિસમય ઉત્તરોત્તર અનુરાગ સહિત કરે તેવાં, આવા પ્રકારના ઉત્તર વૈક્રિય રૂપો કરીને તે દેવોની પાસે પ્રગટ થાય છે–આવે છે. તે પછી જેમ મનુષ્ય મનુષ્યસ્ત્રી સાથે સેવન કરે છે તેમ તે દેવો તે અપ્સરાઓની સાથે કાયપરિચારણા-સર્વ અંગના કાયક્લેશપૂર્વક મૈથન સેવન કરે છે. કારણ કે એ પ્રમાણેજ તેઓના વેદની ઉપશાંતિ થાય છે. આજ બાબત દૃષ્ટાંત વડે દઢ કરે છે–‘સે નાનામ શબ્દ અથ શબ્દના અર્થમાં છે, અને અથ શબ્દ વાક્યના પ્રારંભમાં વપરાય છે. “યથાનામ' તે વિવક્ષિત શીતપુદ્ગલો શીત-શીતયોનિ વાળા પ્રાણીને પ્રાપ્ય-આશ્રયી તમેa' શીત પણેજ ગતિવ્ર' અતિશય પરિણમીને રહે છે. તાત્પર્ય એ છે કે શીત પુદ્ગલો શીતયોનિ વાળા પ્રાણીના વિશેષતઃ સુખને માટે થાય છે, અને ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણ-ઉષ્ણયોનિ વાળા પ્રાણીને આશ્રયી ૩wામેવ-ઉષ્ણપણે ‘તિવ્રન્ય' અતિશય પરિણમીને રહે છે, અર્થાત્ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી તેના વિશેષતઃ સુખને માટે થાય છે એ ભાવાર્થ છે. ‘પવમેવ' એ પ્રમાણે તે દેવોએ તે અપ્સરાઓની સાથે કાય પરિચારણા કર્યું છતે ‘રૂછીમ:' જેમાં કામ વિષયની ઇચ્છા પ્રધાન છે એવું મન જલદીજ અતિતૃપ્તિ થવાથી શાંત છે. તાત્પર્ય એ છે કે જેમ શીત પુદ્ગલો શીતયોનિ વાળા પ્રાણીનો સ્પર્શ થતા વિશેષતઃશીતપણું પામતા તેના સુખને માટે થાય છે અને ઉષ્ણ પદુગલો ઉષ્ણુયોનિ વાળા પ્રાણીનો સ્પર્શ થતા અત્યંત ઉષ્ણપણે પામતા તેના સુખને માટે થાય છે, તેમ દેવીના શરીરના પુદ્ગલો દેવના શરીરને પ્રાપ્ત કરી અને દેવના શરીરના પુદ્ગલો દેવીના શરીરને પ્રાપ્ત કરી પરસ્પર એકગુણપણે પરિણમતા એકબીજાના સુખને માટે થાય છે, અને તેથી તૃપ્તિ થાય છે અને તૃપ્તિ થવાથી અભિલાષની નિવૃત્તિ થાય છે. ૬II૬૮૩ अत्थि णं भंते! तेसिं देवाणं सुक्कापोग्गला? हंता अत्थिा ते णं भंते! तासिं अच्छराणं कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति? गोयमा! सोइंदियत्ताए चक्खुइंदियत्ताए, घाणिंदियत्ताए, रसिंदियत्ताए, फासिंदियत्ताए इठ्ठत्ताए कंतत्ताए मणुण्णत्ताए मणामत्ताए सुभगत्ताए सोहग्ग-रूव-जोव्वण-गुणलायण्णत्ताए ते तासिं भुज्जो भुज्जो परिणमंति Iકૂ૦-૭ના૬૮૪ (મૂળ) હે ભગવન્! તે દેવોને શુકના-વીર્યના પુગલો છે? હા છે. હે ભગવન્!તે યુગલો તે અપ્સરાઓને કેશ રૂપે વારંવાર | 321
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy