SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ तीसइमं पासणयापयं केवलीउवओग परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તગુણા વિભાગ વડે, વર્ણન ગ્રહણ ઉપલક્ષણગધાદિનું સૂચક છે, તેથી ગબ્ધ, રસ, અને સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાના વડ’ તે રત્નપ્રભામાં ભવન અને નારકના સંસ્થાનો છે. જેમકે-“તે ભવનો બહારના ભાગોમાં વૃત્તગોળ અને અંદર ચોખુણા છે, તથા નીચે કમળની કર્ણિકાના જેવી આકૃતિવાળાં છે. તે નરકાવાસો અંદર ગોળ અને બહાર ચોખુણીઆ છે, તથા નીચે સુરપ્ર–અસ્ત્રોના જેવી આકૃતિવાળાં છે?—ઇત્યાદિ. “મોહિં–પ્રમાણ વડે, પ્રમાણ એટલે “અહે ઇત્યાદિ પરિમાણ વડે, જેમકે તે ‘એક લાખ અને એશી હજાર યોજન પ્રમાણ જાડાઇવાળા તથા લંબાઇ અને પહોળાઇમાં એક રાજ પ્રમાણ છે, “પડોયાર્દિ' તિ પ્રત્યવતારો વડે પ્રતિસર્વથા અવતીર્યતે–વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર કહેવાય છે, તે અહીં : ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વ દિશાઓ અને વિદિશાઓમાં આ રત્નપ્રભાને વિટીને રહેલા છે. '= સમય', ઇત્યાદિ. અહીં વ્યાપ્તિ હોય ત્યારે કાલવાચક શબ્દથી અધિકરણમાં બીજી વિભક્તિ થાય છે. તેથી આ અર્થ થાય છે-જે સમયે આકારાદિ સહિત રત્નપ્રભા પૃથિવીને જાણે છે તે સમયે કેવલ દર્શન વડે દેખે છે એટલે કેવલદર્શનનો વિષય કરે છે? હવે ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! એ અર્થ સમર્થ–યુક્તિ યક્ત નથી એ ભાવાર્થ છે. તેનું તત્ત્વ-રહસ્ય નહિ જાણનાર શિષ્ય પ્રશ્ન કરે છે‘રે અંતે'? ઇત્યાદિ. “હે ભગવન્! એમ શા હેતથી કહો છો' ઇત્યાદિ. અહીં તે' શબ્દ અથશબ્દના અર્થમાં છે, અને અર્થ : શબ્દ પ્રશ્નાર્થદ્યોતક છે. કયા અર્થ-કારણથી હે ભગવન્! એમ પૂર્વે કહ્યા પ્રમાણે કહો છો? તે પ્રકાર બતાવે છે ઍવતી ‘'ઇત્યાદિ. ભગવાન્ ઉત્તર કહે છ– ગૌતમ'-ઇત્યાદિ. આનો આ ભાવાર્થ છે-અહીં જ્ઞાન વડે જાણતો હોય તે ‘નાનાતિ' જાણે છે એમ કહેવાય છે, અને દર્શન વડે જાણતો હોય તે પશ્યતિ-દેખે છે એમ કહેવાય છે. તે કેવલી ભગવંતનુ જ્ઞાન સાકાર છે, જો એમ ન હોય તો તેને જ્ઞાન ન કહી શકાય. વિશેષોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય છે, કારણ કે ‘સવિશેષ પુજ્ઞ વિશેષ સહિત હોય તે જ્ઞાન કહેવાય છે-એવું શાસ્ત્રનું વચન છે. દર્શન અનાકાર છે, કારણ કે નિર્વિશેષ વિશેષાનાં શૈનમુચ્યતે', વિશેષોને નિર્વિશેષપણે–સામાન્ય પણે જાણવા તે દર્શન–એવું શાસ્ત્રવચન છે. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતા નથી, જેમકે-કેટલાએક પ્રદેશોમાં જ્ઞાન હોય અને કેટલાક પ્રદેશોમાં દર્શન હોય એમ નથી, પરનું તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં જ્ઞાન હોય જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શનજ હોય. કારણ કે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારણપણે પરસ્પર વિરુદ્ધ છે, જેમકે છાયા અને આતપની પેઠે એક બીજાના અભાવમાં તેની સ્થિતિ હોય છે. તેથી જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી, જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી. એજ બાબત સૂત્રકાર કહે – રે પટ્ટન'—એ હેતુથી ઇત્યાદિ. એથી વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે “કેવલી ભગવાન્ એક સમયે જાણે છે અને દેખે છે' તેનું પણ ખંડન કરેલું સમજવું. કારણ કે આ સૂત્ર વડે સાક્ષાત્ યુક્તિપૂર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને ક્રમશઃ વ્યવસ્થાપિત કર્યો છે. એ પ્રમાણે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધુમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમઃપ્રભા, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, શુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુતકલ્પ, નૈવેયક વિમાન, અનુત્તરવિમાન, ઈષ~ાભારા પૃથિવી, પરમાણપલ, દ્ધિપ્રદેશિક સ્કન્ધ, યાવત્ અન્નપ્રદેશિક સ્કન્ધ સંબધી સૂત્રોનો વિચાર કરવો. જો જ્ઞાન અને દર્શનની સાકાર અને અનાકાર રૂપે જૂદી એ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે તો તેથી આ બાબત અર્થાત્ પ્રાપ્ત થાય છે કે જ્યારે કેવલી ભગવાન્ રત્નપ્રભાદિને આકારાદિના અભાવરૂપે જાણે છે ત્યારે તે ‘દેખે છે પણ જાણતા નથી.'—એમ કહેવું જોઇએ, અને એ સત્ય છે, તે પ્રમાણે સૂત્રકાર કહે –“રેવતી ને અંતે! યા પુર્વ ગળાહિં અહિં-કેવલી ભગવાન્ આ રત્નપ્રભા પૃથિવીને અનાકારો વડે યાવત્ દેખે છે પણ જાણતા નથી' ઇત્યાદિ સૂત્ર પ્રાયે વિચાર કરેલો હોવાથી સુગમ છે. Ilal૬૬૬ll શ્રીમદ્દઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના અનુવાદમાં ત્રીશમું પાસણયાપદ સમાપ્ત. 299
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy