SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ परमाणुपोग्मलं अणतपदेसियं खंधं पासति, न जाणति ।। सू० - ३ ।। ६६६ ।। पन्नवणार भगवईए तीसइमं पासणयापयं समत्तं ||३०|| तीसइमं पासणयापयं केवलीउवओग परूवणं મૂળ) હે ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને આકારો વડે,હેતુઓ વડે,ઉપમા વડે,દૃષ્ટાંતો વડે, વર્ણ વડે, સંસ્થાન વડે,પ્રમાણ વડે અને પ્રત્યવતાર (ધનોદિધિ વગેરે વલયો) વડે જે સમયે જાણે છે તે સમયે દેખે છે? અને જે સમયે દેખે છે તે સમયે જાણે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે કેવલજ્ઞાની આ રત્નપ્રભા પૃથિવીને આકાર વડે જે સમયે જાણે છે તે સમયે દેખતો નથી. અને જે સમયે દેખે છે તે સમયે જાણતો નથી'? હે ગૌતમ! તેનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે, તે હેતુથી યાવત્ તે સમયે જાણતો નથી. એ પ્રમાણે નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. એમ સૌધર્મ દેવલોક યાવત્ અચ્યુત દેવલોક, ત્રૈવેયક વિમાનો, અનુત્તર વિમાનો, ઈષત્યાગ્ભારા પૃથિવી, પરમાણુયુદ્ઘ, દ્વિપ્રદેશક સ્કન્ધ, યાવત્ અનન્ત પ્રદેશિક સ્કન્ધ સબન્ધ કહેવું. હે ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે, અહેતુ વડે, અનુપમા વડે, અદૃષ્ટાન્ત વડે, અવર્ણ વડે, અસંસ્થાન વડે, અપ્રમાણ વડે અને અપ્રત્યવતાર વડે દેખે છે, જાણતો નથી? હા ગૌતમ! કેવલીજ્ઞાની આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે યાવત્ દેખે છે, પણ જાણતો નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે દેખે છે, પણ જાણતો નથી? હે ગૌતમ! તેઓને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે, તે હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે યાવત્ દેખે છે, પણ જાણતો નથી. એ પ્રમાણે ઈષત્પ્રાક્ભારા પૃથિવી, પરમાણુપુદ્ધ, અને અનન્તપ્રદેશિક સ્કન્ધને દેખે છે પણ જાણતો નથી. ।।૩।૬૬૬॥ પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં ત્રીસમું પાસણયાપદ સમાપ્ત. (ટી૦) અહીં છદ્મસ્થને અનુક્રમે ઉત્પન્ન થતો સાકાર અને અનાકાર ઉપયોગ ઘટેછે. કારણ કે તેઓ કર્મસહિત છે. કર્મસહિત જીવોને અન્ય ઉપયોગ સમયે અન્ય ઉપયોગ કર્મ વડે આચ્છાદિત થયેલો હોવાથી ઘટતો નથી. અને કેવલજ્ઞાની તો ચાર ઘાતી કર્મના ક્ષયથી થાય છે. તેથી સંશય થાય છે કે ‘તેને જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી જે સમયે રત્નપ્રભાદિને જાણે છે તેજ સમયે દેખે છે કે તેવા જીવસ્વભાવથી અનુક્રમે દેખે છે? માટે પ્રશ્ન કરે છે—‘જેવી ખં મંતે!'ઇત્યાદિ. ‘હે ભગવન્! કેવલી’—ઇત્યાદિ. કેવલજ્ઞાન અને દર્શન જેઓને છે તે કેવલી કહેવાય છે. ‘શં’ વાક્યાલંકારમાં વપરાય છે. ભદન્ત–પરમ કલ્યાણના યોગવાળા હે ભગવન્! આ પ્રત્યક્ષથી જણાતી રત્નપ્રભા નામે પૃથિવીને ‘રેફ્રિં’તિ-આકારો વડે, આકારના ભેદો વડે, જેમકે-આ રત્નપ્રભા પૃથિવીના ખરકાંડ, પંકકાડ અને અકાંડના ભેદથી ત્રણ કાંડ છે. ખરકાંડ પણ સોળ પ્રકારનો છે. જેમ—પ્રથમ એક હજા૨ યોજન પ્રમાણ રત્નકાંડ છે, ત્યાર પછી હજાર યોજન પ્રમાણ વજકાંડ છે. તેની પણ નીચે હજાર યોજન પ્રમાણ વૈસૂર્યકાંડ છે’—ઇત્યાદિ. ‘દેહિં’તિ હેતુઓ—યુક્તિઓ વડે, તે યુક્તિ આ પ્રમાણે છે–શા કારણથી રત્નપ્રભા કહેવાય છે? કારણ કે એનો રત્નમય કાંડ છે માટે રત્નપ્રભા કહેવાય છે. કારણ કે રત્નો જેનું પ્રભા–સ્વરૂપ છે તે રત્નપ્રભા–એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ‘વમાર્દિ’ઉપમાઓ વડે, ઉપપૂર્વક મા ધાતુથી ‘અક્’ પ્રત્યય લાગી ઉપમા શબ્દ થાય છે. તે આ પ્રમાણે—રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણવિભાગની અપેક્ષાએ કેવા છે? એટલે કેવા કેવા વર્ણવાળા છે? પદ્મરાગ મણિના સરખા વર્ણવાળા છે. ‘વિતેનિં’—દૃષ્ટાંતો વડે, દૃષ્ટ: બન્ત:-પરિચ્છેદ્રો વિક્ષિતસાધ્યસાધનયો: સમ્બન્ધયાવિના ભાવરૂપસ્ય પ્રમાણેન યંત્ર તે દૃષ્ટાન્તાઃ–પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના અવિનાભાવ-વ્યાપ્તિરૂપ સંબન્ધનો અન્ન-પરિચ્છેદ જેઓને વિષે તે દૃષ્ટાંતો કહેવાય છે, તે વડે, જેમ ઘટ પોતામાં રહેલા વિશાલ તળીઆ અને પેટ વગેરે આકારાદિરૂપ ધર્મો વડે સહિત અને પટાદિ ગત પરધર્મોથી ભિન્ન જણાય છે, અને તેથી પટાદિથી ભિન્નવસ્તુ છે, તેમ આ પણ રત્નપ્રભા પોતાના ભેદોવડે સહિત અને શર્કરાપ્રભાદિ ભેદોથી ભિન્નછે માટે તેઓથી જુદી વસ્તુ છે—ઇત્યાદિ. ‘વળેäિ' ‘વર્ણો વડે, શુક્લાદિ વર્ણના વિભાગ વડે, અને તેઓના જ અધિક અને ઓછા 298
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy