SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो दिट्ठिदारे आहारयाइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ તેણેલા' જેઓને તેજોલેશ્યા હોય છે તેઓને ત્રણ ભાંગા કહેવા, પણ બાકીનાને ન કહેવા. એથી એમ જણાવ્યું કે ના૨ક, તેજસ, વાયુ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયો સંબન્ધુ તેજોલેશ્યા સૂત્ર ન કહેવું–અને પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા જેઓને હોય છે તેઓ સંબન્ધે તે વિષે સૂત્ર કહેવું. તેમાં પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વૈમાનિકોમાં હોય છે, પણ બાકીનાને હોતી નથી, માટે તે બન્ને લેશ્યામાં પ્રત્યેકને આશ્રયી ચાર પદ છે-જેમકે ૧ સામાન્ય જીવપદ, ૨ તીર્થંચ પંચેન્દ્રિયપદ, ૩ મનુષ્યપદ અને ૪ વૈમાનિક પદ. બધેય એકવચનની અપેક્ષાએ ૧ કદાચ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય–એ ભાંગો હોય છે. બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા હોય છે. જેમક—૧ બધા ય આહારક હોય, ૨ અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય. ૩ અથવા આહા૨કો હોય અને અનાહારકો હોય. તે પ્રકારે સૂત્રકાર કહે છે—‘પમ્જજ્ઞેસાપ્ સુન્નતેસાર્ નીવાડ્યો તિયમંશો'-પદ્મલેશ્યા અને શુક્લલેશ્યામાં જીવાદિ સંબન્ધુ ત્રણ ભાંગા જાણવા. લેશ્યારહિત અયોગી કેવલી અને સિદ્ધો છે, તેથી અહીં ત્રણ પદ સમજવા. જેમકે સામાન્ય જીવપદ, મનુષ્ય અને સિદ્ધ, બધેય એક વચન અને બહુવચન વડે અનાહા૨કો જ કહેવા, એજ બાબત સૂત્રકાર કહે છે—‘અલેમ્સ નીવા મનુસ્યા સિદ્ધા ય પાત્તેળવિ પુદુત્તેન વિ ળો આહાર, ઞળાહાર'લેશ્યારહિત જીવો, મનુષ્યો અને સિદ્ધો એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક હોતા નથી પણ અનાહારક હોય છે. લેશ્યાદ્વાર સમાપ્ત. ૧૩૦૬૫૪॥ || વિજ઼િવારે બહારયાપવળ || सम्मद्दिट्ठी णं भंते! जीवा किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए, सिय अणाहारए । बेइंदिय-तेइंदियचउरिंदिया छब्भंगा, सिद्धा अणाहारगा, अवसेसाणं तियभंगो, मिच्छदिट्ठीसु जीवेगिदियवज्जो तियभंगो। सम्मामिच्छदिट्ठी णं भंते! किं आहारए, अणाहारए ? गोयमा ! आहारए, णो अणाहारए, एवं एगिंदिय-विगलिंदियवज्जं નાવ વેમાશિ, વં પુન્નુત્તે વિા વારાસૢ૦-૨૪।।૬ બ|| (મૂળ) હે ભગવન્! સમ્યગ્દષ્ટિ જીવો આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોને છ ભાંગા હોય છે. સિદ્ધો અનાહારક હોય છે, બાકીના જીવોને ત્રણ ભાંગા હોય છે. મિથ્યાગ્દષ્ટિને વિષે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. હે ભગવન્!સમ્યગ્દષ્ટિ જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક હોય, પણ અનાહારક ન હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચનની અપેક્ષાએ પણ જાણવું. દ્વાર ૫. II૧૪૬૫૫॥ • (ટી૦) હવે સમ્યગ્દષ્ટિ દ્વારની વ્યાખ્યા કરે છે—અહીં સમ્યગ્દષ્ટિ ઔપશમિક સમ્યક્ત્વ, સાસ્વાદન સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ વેદકસમ્યક્ત્વ કે ક્ષાયિકસમ્યક્ત્વ વડે જાણવા. કારણ કે અહીં સામાન્ય સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરેલું છે અને તે પ્રમાણેજ આગળ ભાંગાનો વિચા૨ ક૨વાનો છે. તેમાં ઔપશમિક સમ્યગ્દષ્ટિ વગેરે સુપ્રસિદ્ધ છે. અને વેદક સમ્યગ્દષ્ટિ ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો સમ્યક્ત્વમોહનીયના ચરમસમયવર્તી પુદ્ગલોને અનુભવ કરતો હોય ત્યારે જાણવો. એકવચનમાં બધાય જીવાદિ પદોમાં પ્રત્યેકને આશ્રયી કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય’ આ ભાંગો હોય છે. પરન્તુ પૃથિવ્યાદિ સંબન્ધ સૂત્ર ન કહેવું, કારણ કે તેઓમાં સમ્યગ્દષ્ટિપણું નથી. કેમ કે ‘૩મયામાવો પુઢવાણ્યુ’પૃથિવ્યાદિમાં ઉભયનો-પ્રતિપદ્યમાન કે પ્રતિપન્ન સમ્યગ્દષ્ટિનો ઉત્પત્તિનો અભાવ છે. માટે બહુવચનને આશ્રયી સૂત્રમાં સામાન્ય રીતે જીવપદમાં આહા૨કો પણ હોય અને અનાહારકો પણ હોય’ એ એકજ ભાંગો ઘટે છે. કારણ કે આહારક અને અનાહારક બન્ને પ્રકારના સમ્યગ્દષ્ટિ હમેશાં ઘણા હોય છે. નારક, ભવનપતિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોમાં પ્રત્યેકને ત્રણ ભાંગા હોય છે. જેમકે૧ કદાચિત્ બધા ય આહારકો જ હોય, ૨ કદાચિત્ બધા આહારકો હોય અને એક અનાહારક હોય, ૩ કદાચિત્ ઘણા આહારકો હોય અને ઘણા અનાહા૨કો હોય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયમાં છ ભાંગા હોય છે. અને તેનો પુર્વની પેઠેં વિચાર કરવો. 279
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy