SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो भवियदारे-सण्णी दारे आहारयाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ એ ચોથો ભાંગો. આ ભડ ઘણા કાળથી ઉત્પન્ન થયેલો એક અસંજ્ઞી નારક વિદ્યમાન હોય અને હમણાં ઉત્પન્ન થતા બીજા અસંજ્ઞી નારકો વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા હોય ત્યારે જાણવો. ૫ ઘણા આહારક હોય અને એક અનાહારક હોય એ પાંચમો ભાંગો. લાંબા કાળથી ઉત્પન્ન થયેલા ઘણા અસંજ્ઞી નારકો હોય અને હમણાં ઉત્પન્ન થતો એક અસંજ્ઞી નારક વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો હોય ત્યારે જાણવો. ૬ ઘણા આહારક હોય અને ઘણા અનાહારક પણ હોય એછઠ્ઠો ભાંગો, આ ભલા લાંબા કાળથી ઉત્પન્ન થયેલા અને હમણાં ઉત્પન્ન થતા ઘણા અસંજ્ઞી નારકો હોય ત્યારે જાણવો. ‘ાવતે મા' એ પ્રમાણે એ છ ભાંગા થાય છે. તે આ પ્રમાણે—૧ કેવળ આહારકપદના એક બહુવચનની અપેક્ષાએ પહેલો ભાંગો, ૨ કેવળ અનાહારકપદના બહુવચન વડે બીજો ભાંગો, ૩ આહારપદ અને અનાહારકપદના એક સાથે પ્રત્યેકના એકવચન વડે ત્રીજો ભાંગો, ૪ આહારકપદના એકવચનવડે અને અનાહારકપદના બહુવચન વડે ચોથો ભાંગો, ૫ આહારપદના બહુવચનવડે અને અનાહારકપદના એકવચનવડે પાંચમો ભાગો અને ૬ બને સ્થળે બહુવચનવડે છો ભાંગો જાણવો. બાકીના બીજા ભાંગાઓનો સંભવ નથી, કારણ કે અહીં બહુવચનનો વિચાર પ્રસ્તુત છે. આ છ ભાંગાઓ અસુરકુમારથી માંડી સ્વનિતકુમાર સુધી જાણવા, તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ નાવ થયjમારા' એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું, “દિપણું મગજ' એકેન્દ્રિયોમાં ભાંગાનો અભાવ છે. એટલે પૃથિવી, અપ, તેજસ, વાયુ અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં બીજા અન્ય ભાગાઓનો અભાવ છે. એટલે એક જ ભાંગો હોય છે. તે આ પ્રમાણે–આહારકો હોય અને અનાહારકો પણ હોય. તેમાં આહારકો ઘણા હોય એ સુપ્રસિદ્ધ છે. અનાહારકો પણ પ્રતિસમય પૃથિવી, અપ, તેજસ્ અને વાયુ પ્રત્યેક અસંખ્યાતા અને વનસ્પતિ પ્રતિસમય અનન્તા સર્વદા હોય છે. તે પણ ઘણા છે અને સિદ્ધો પણ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રત્યેકને આશ્રયી ત્રણ ભાંગા જાણવા. જેમક–૧ બધા ય આહારકો હોય. ૨ અથવા બંધાય આહારકો હોય અને એક અનાહારક હોય.૩અથવા ઘણા આહારકો હોય અને ઘણા અનાહારકો હાય. તેમાં બે ઇન્દ્રિયોને આશ્રયી આ વિચાર છે-જ્યારે બેઇન્દ્રિયપણે ઉત્પન્ન થતો એક પણ જીવવિગ્રહગતિમાં ન હોય ત્યારે પૂર્વે ઉત્પન્ન થયેલા બધાય આહારક હોય છે. એ પ્રથમ ભાગો, જ્યારે એક બેઇન્દ્રિય વિગ્રહગતિમાં હોય ત્યારે પૂર્વે ઉત્પન્ન થયેલા બધા આહારક હોય અને ઉત્પન્ન થતો એક અનાહારક હોય એ બીજો ભાંગો. જ્યારે ઉત્પન્ન થતા ઘણા બેઇન્દ્રિયો હોય ત્યારે ત્રીજો ભાગો હોય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને વિષે પણ વિચાર કરવો. મનુષ્ય અને વ્યન્તરોમાં છ ભાંગા હોય છે અને નારકોની પેઠે જાણવા, તે પ્રમાણે સૂત્રકાર કહે છે–‘બેદિય નાવ પવિતરિવ+qનોળિસુ નિયમો, મગૂલ વાનમંતરેલું છમ' બેઇન્દ્રિય યાવત્ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ ભાંગા અને મનુષ્ય અને વ્યખ્તરોમાછલાંગા સમજવા. નોસંજ્ઞી–નોઅસંજ્ઞી કેવલી અને સિદ્ધ છે, માટે નોસંજ્ઞી–નોઅસંજ્ઞીપણાના વિચારમાં ત્રણ પદ હોય છ–જીવપદ, મનુષ્યપદ અને સિદ્ધપદ, તેમાં જીવસંબધે સુત્ર કહે છ_“નોસાળીનોમસળી નું મં!િ નીવે'ઇત્યાદિ. હે ભગવન્!નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ અહારક હોય કે અનાહારક હોય? સા-કદાચિત્ આહારક હોય, કારણ કે કેવલજ્ઞાનીને સમુદ્યાતાદિ અવસ્થાના અભાવમાં આહારકપણું હોય છે. કદાચિત્ અનાહારક હોય છે, અને તે અનાહારકપણે સમુદ્ધાતની અવસ્થામાં, અયોગીપણાની અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં જાણવું. ‘સિદ્ધ મહારા'સિદ્ધ અનાહારક હોય છે. એટલે સિદ્ધવિષયક સૂત્રમાં “અનાહારક હોય છે એમ કહેવું. પૃથક્તબહુવચનની અપેક્ષાએ “આહારગા વિ અણાહારગા વિ” આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય. તેમાં ઘણા કેવલજ્ઞાની હમેશાં સમુદ્દઘાતાદિ અવસ્થારહિત હોય છે, માટે આહારકો હોય, અને અનાહારકો પણ હોય, કારણ કે સિદ્ધો હમેશાં હોય છે અને તેઓ અનાહારક હોય છે. ‘મજુસેનું નિયમન્ના' મનુષ્યોને વિષે ત્રણ ભાંગા સમજવા. જેમકે જ્યારે કોઇપણ કેવલી સમુધાતાદિ અવસ્થાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે બધાય આહારકો હોય. જ્યારે એક કેવલી સમુદ્રઘાતાદિ અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે ૨ બધા આહારકો હોય અને એક અનાહારક હોય એ ભાંગો જાણવો. ૩ અથવા આહારકો હોય. અને અનાહારકો હોય. આ ભાગો જ્યારે ઘણા કેવલી સમુદઘાતાદિ અવસ્થામાં હોય ત્યારે જાણવો. I/૧૨/૬૫all _' 277
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy