________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो भवियदारे-सण्णी दारे आहारयाइ परूवणं પ્રમાણે સૂત્રકાર કહે છ મસિદ્ધિ પર્વ વેવ' અભવસિદ્ધિકને પણ ભવસિદ્ધિકની પેઠે એકવચન અને બહુવચનમાં કહેવું. ‘મસિદ્ધિ-નોગમવસિદ્ધિ'—જે ભવસિદ્ધિક નથી, તેમ અભવસિદ્ધિક પણ નથી તે સિદ્ધ છે, તે ભવસિદ્ધિક નથી, કારણ કે ભવ-સંસારથી રહિત છે. રુઢિથી જે સિદ્ધિગમનને યોગ્ય ન હોય તે અભવસિદ્ધિક કહેવાય છે. તેથી અભવસિદ્ધિક પણ નથી. કારણ કે તે સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ છે. એમ હોવાથી નોભવસિદ્ધિકનો અભવસિદ્ધિકના વિચારમાં બેજ પદ છે-જીવપદ અને સિદ્ધિપદ. બને સ્થળે એકવચનની અપેક્ષાએ “અનાહારક હોય' એ એકજ ભાંગો અને બહુવચનમાં પણ બધાય અનાહારકો હોય એ એકજ ભાંગો હોય છે. સંજ્ઞીદ્વારને વિશે ની માં મં!' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્ર કહે છ– હે ગૌતમ' ઇત્યાદિ. સંજ્ઞી વિગ્રહગતિમાં અનાહારક હોય છે અને બાકીના સમયે આહારક હોય છે.
(પ૦) મનસહિત હોય તે સંશી કહેવાય છે. વિગ્રહગતિમાં મન નથી. તો સંજ્ઞી છતાં અનાહારક કેમ હોય?
(૧૦)-વગ્રહગતિને પ્રાપ્ત થયા છતાં પણ સંજ્ઞીનું આયુષ્ય વેદે છે માટે સંશી કહેવાય છે. જેમ નારકનું આયુષ્ય વેદવાથી નારક કહેવાય છે. માટે સંજ્ઞી છતાં અનાહારક હોવામાં કંઇપણ દોષ નથી. એ પ્રમાણે વૈમાનિક સૂત્ર સુધી કહેવું, “પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સંબન્ધ ન પુછવું. એટલે કે તે વિષે સૂત્ર સર્વથા ન કહેવું. કારણ કે તેઓ મનરહિત હોવાથી સંજ્ઞી નથી. બહુવચનની અપેક્ષાએ જીવપદ અને નૈરયિકાદિ પદોમાં પ્રત્યેકને બધે ત્રણ ભાંગા કહેવા-૧ કેવળ-બધાય આહારક હોય, ૨ બધા આહારક હોય અને એક અનાહારક હોય. ૩ અથવા ઘણા આહારકો પણ હોય ઘણા અનાહારકો પણ હોય. તે જ પ્રમાણે સૂત્રકાર
સંબધે ત્રણ ભાંગાઓ યાવત વૈમાનિકો સધી જાણવા. તેમાં સામાન્યથી જીવપદમાં પ્રથમ ભંગ હોય છે. કારણ કે સર્વલોકની અપેક્ષાએ સંજ્ઞીપણે નિરંતર ઉપજે છે. જ્યારે એક સંજ્ઞી જીવવિગ્રહગતિને પ્રાપ્ત થયેલો હોય છે ત્યારે બીજો ભડ. અને
જ્યારે ઘણા સંશી જીવો વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા હોય છે ત્યારે ત્રીજો ભ થાય છે. એ પ્રમાણે નરયિકાદિ પદોને વિષે ભાંગોનો વિચાર કરવો. ‘બાપ ને અંતે! હે ભગવન્! અસંજ્ઞી આહારક હોય કે અનાહારક હોય? ઇત્યાદિ. અહીં પણ વિગ્રહગતિમાં અનાહારક હોય અને બાકીના સમયે આહારક હોય. ‘વં નાવ વાગમન'—એ પ્રમાણે વ્યન્તર સુધી કહેવું. એટલે સામાન્ય જીવપદની પેઠે ચોવીશ દડકના ક્રમથી વાનવન્તર સૂત્ર સુધી કહેવું.
(પ્ર0) નારકો, ભવનપતિઓ અને વાનવંતરો અસંશી કેવી રીતે છે જેથી અસંશી સૂત્રમાં તેઓની પણ વ્યાખ્યા કરી છે? અહિં ઉત્તર આપે છે કે – નારકો, ભવનપતિઓ અને વ્યંતરો, અસંજ્ઞીથી અને સંજ્ઞીથી આવી ઉત્પન્ન થાય છે. જેઓ અસંજ્ઞીથી આવી આવી ઉત્પન્ન થાય છે તે અસંજ્ઞી અને સંજ્ઞીથી આવી ઉત્પન્ન થાય છે તેઓ સંશી કહેવાય છે, તેથી અસંશી સૂત્રમાં પણ ઉપર કહ્યા પ્રમાણે પાઠ છે. જ્યોતિષિક અને વૈમાનિકો સંજ્ઞીથી જ આવી ઉત્પન્ન થાય છે, પણ અસંજ્ઞીથી આવી ઉત્પન્ન થતા નથી. માટે તેઓમાં અસંજ્ઞીપણાના વ્યવહારનો અભાવ હોવાથી તેઓનો પાઠ નથી. તેથી સૂત્રકાર કહે છે ક–‘નોસિયવેયા ન પુછMતિ'જ્યોતિષિક અને વૈમાનિકો સંબધે પ્રશ્ન ન કરવો. એટલે તે સંબન્ધ સૂત્ર ન કહેવું કારણ કે તેઓને અસંજ્ઞીપણું નથી. બહુવચનના વિચારમાં સામાન્યતઃજીવપદને વિષે એકજભાંગો હોય છે. જેમક–આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય. કારણ કે પ્રતિસમયવિગ્રહગતિને પ્રાપ્ત થયેલા અનન્ત એકેન્દ્રિય જીવો હોવાથી અને તેથી તેઓ અનાહારકપણે હમેશા પ્રાપ્ત થયેલા હોવાથી અનાહારક પદને વિષે હમેશાં બહુવચન હોય છે. નૈરયિકપદને વિષે હમેશાં છ ભાંગા હોય છે. તેમાં બધાય આહારક હોય-એ પહેલો ભાંગો, આ ભાંગો જ્યારે અન્ય અસંજ્ઞી નારક ઉત્પન્ન થયા છતાં વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ ન હોય અને પૂર્વે ઉત્પન્ન થયેલા બધા અસંશી નારકો આહારક થયેલા હોય ત્યારે ઘટે છે. ર બધાય અનાહારક હોય એ બીજો ભાંગો. આ ભાગો જ્યારે પૂર્વે ઉત્પન્ન થયેલો અસંજ્ઞી નારક અસંજ્ઞી નારકો એક પણ ન હોય અને ઉત્પન્ન થતા વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા ઘણા નારકો હોય ત્યારે જાણવો. ૩ એક આહારક હોય અને એક અનાહારક હોય. પ્રાકૃત ભાષામાં દ્વિવચનમાં પણ બહુવચન હોય છે. માટે બહુવચનની
અપેક્ષાએ ભાંગો પણ બરોબર છે. તેમાં જ્યારે ઘણા કાળથી ઉત્પન્ન થયેલો એક અસંજ્ઞી નારક હોય અને હમણાં ઉત્પન્ન થતો પણ 'એક અસંશી નારકવિગ્રહગતિને પ્રાપ્ત થયેલો હોય ત્યારે આ ભાંગો ઘટી શકે છે. ૪ એક આહારક હોય અને ઘણા અનાહારક હોય
276