________________
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो भवियदारे-सण्णी दारे आहारयाइ परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
જ જીવોની હોય છે, તેથી આહારક જીવો ઘણા હોય છે માટે આહારકને વિશે બહુવચન છે. અને અનાહારક સિદ્ધો તો હમેશાં હોય છે, અને તેઓ અભવ્યોથી અનન્તગુણા છે. વળી હમેશાં એક એક નિગોદનો અસંખ્યાતમો ભાગ પ્રતિસમય વિગ્રહ ગતિમાં વર્તે છે અને તેઓ અનાહારક હોય છે, તેથી અનાહારકોને વિશે પણ બહુવચન જાણવું. નારકસૂત્રમાં ૧ બધાય નારકો આહારક હોય. તાત્પર્ય એ છે કે કોઈ સમયે બધાય નારકો આહારક હોય છે, એક પણ અનાહારક હોતો નથી. એમ શાથી હોય છે? એમ કોઇ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર એ છે કે ઉપપાતવિરહ–ઉપજવાનો વિરહકાળ હોવાથી એમ થાય છે. તે આ પ્રમાણે-નૈરયિકોનો ઉપપાતવિરહ બાર મહૂર્તનો હોય છે. અને એટલા કાળમાં પૂર્વે ઉત્પન્ન થયેલા અને વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા પણ આહારક થાય છે અને બીજો નહિ ઉત્પન્ન થતો હોવાથી અનાહારક સંભવતો નથી. ૨ અથવા ઘણા આહારક હોય અને એક અનાહારક પણ હોય. એટલે આહારક પદમાં બહુવચન અને અનાહારક પદને વિષે એકવચન સમજવું. આ ભાંગો શી રીતે ઘટે? ઉત્તર-અહીં નંરકને વિષે પ્રાણી કદાચિત્ એક ઉત્પન્ન થાય, અને કદાચિત્ બે, કદાચિત્ ત્રણ, ચાર, યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેમાં
જ્યારે એક ઉત્પન્ન થાય અને તે પણ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો હોવાથી અનાહારક હોય અને તે સિવાયના બીજા પૂર્વે ઉત્પન્ન થયેલા હોવાથી આહારક હોય ત્યારે આ ભાંગો ઘટે છે. ત્રીજો ભાંગો કહે છે-૩ આહારકો હોય અને અનાહારકો હોય. અહીં બને સ્થળે બહુવચન છે. જ્યારે ઘણા નારકો વિગ્રહગતિ વડે નૈરયિકપણે ઉત્પન્ન થાય ત્યારે જાણવો. બાકીના ભાંગાઓનો સંભવ નથી, કારણ કે નારકોને વિષે આહારક પદ હમેશાં બહુવચનનોજ વિષય હોય છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીમાં, બેઇન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીમાં પ્રત્યેકને વિષે ત્રણ ભાંગા જાણવા. કારણ કે ઉપજવાનું અત્તર હોવાથી પ્રથમ ભંગ અને એક, બે ઇત્યાદિ સંખ્યા વડે ઉપજતા હોવાથી બાકીના બે ભાગા સંભવે છે. પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને વિષે આહારકો હોય અને અનાહારકો પણ હોય—આ એકજ ભાંગો હોય છે. કારણ કે પૃથિવી, અપૂ તેજસ્ અને વાયુને વિષે પ્રતિસમયે અસંખ્યાતા અને વનસ્પતિમાં પ્રતિસમય અનન્તા વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતા હોવાથી અનાહારક પદમાં પણ હમેશાં બહુવચનનો સંભવ છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–‘વં નવ વેકાળિયા, નવરં ાિંતિયા ના ગીવા'-એ પ્રમાણે યાવતુ વૈમાનિકો કહેવા, પરન્ત એકેન્દ્રિયો જીવોની પેઠે કહેવા. એટલે નૈરયિકોને જે ભાગાં કહ્યા છે તે પ્રમાણે બાકીના અસુરકુમારથી આરંભી વૈમાનિક સુધીના જીવોને કહેવા.પરન્ત પૃથિવી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયો જેમ બને સ્થળે બહુવચન સહિત જીવો કહ્યા છે તેમ કહેવા. સિદ્ધોને વિષે “અનાહારકો હોય' એ એકજ ભંગ સમજવો. કારણ કે સર્વેના શરીરના નાશથી તેઓને આહારનો સંભવ નથી, અને તેઓ હમેશાં ઘણા હોય છે. પ્રથમ દ્વાર સમાપ્ત. હવે બીજુ ભવ્યદ્વાર કહે છે-મસિદ્ધિા નું મંત્તેિ'! હે ભગવન્! ભવ સિદ્ધિક જીવ આહારક હોય કે અનાહારક હોય? ઇત્યાદિ. સંખ્યાતા અસંખ્યાતા કે અનન્ત ભવો વડે જેની સિદ્ધિ થાય છે તે ભવસિદ્ધિક—ભવ્ય જાણવો. તે કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. વિગ્રહગત્યાદિ અવસ્થામાં અનાહારક અને બીજા કાળે આહારક હોય. એ પ્રમાણે ચોવીશ દંડકમાં પણ પ્રત્યેક દંડકને આશ્રયી કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–‘વં નાવ તેમાળા' એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. અહીં સિદ્ધવિષયક સૂત્ર ન કહેવું કારણ કે તે મોક્ષપદને પ્રાપ્ત થયેલ હોવાથી તેનામાં ભવ્યપણું નથી. હવે આને વિષેજ બહુવચન વડે આહારક અને અનાહારકપણાનો વિચાર કરે છ“મસિદ્ધિા મા'ભવસિદ્ધિક જીવો આહારક હોય ઇત્યાદિ. અહીં પણ આહારકદ્વારની પેઠે જીવ પદને વિષે અને એકેન્દ્રિયોને વિષે પ્રત્યેકને આશ્રયી બન્ને સ્થળે બહુવચન વડે “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય” એ એકજ ભાંગો હોય છે. બાકીના નારકાદિ સ્થાનોમાં ત્રણ ભાંગાઓ થાય છે–૧ કદાચિત્ કેવળ–બધા ય આહારકો જ હોય અને એક પણ અનાહારક ન હોય. ૨ અથવા કદાચિત્ બધા આહારક હોય અને એક અનાહારક હોય. ૩ અથવા આહારકો હોય અને અનાહારકો પણ હોય. એ બન્ને સ્થળે પણ બહુવચન સમજવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે ની િવિયવનો વિયમ'–જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા જેમ એક અને બહુ ભવસિદ્ધિક વિષે આહારક અને અનાહારકપણાનો વિચાર કર્યો તેમ અભવસિદ્ધિકને વિષે પણ કરવો. કારણ કે બન્ને સ્થળે એકવચન અને બહુવચનમાં બધે ય ભાગની સંખ્યા સમાન છે. તે
275