SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं एगिदिएसु २-८ आहारद्विआइदारसत्तगं કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેને પ્રતિસમય નિરંતર આહારની ઇચ્છા હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે? એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવત્ કેટલી દિશાથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! વ્યાઘાત-પ્રતિબન્ધ સિવાય છ દિશાથી આવેલાં અને વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી આવેલાં, કદાચ ચાર દિશાથી આવેલાં અને કદાચ પાંચ દિશાથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. પરન્તુ અહીં‘ઓત્રં જારખં’સામાન્ય કારણ કહેવાનું નથી. વર્ણની અપેક્ષાએ કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુક્લ વર્ણવાળાં, ગન્ધની અપેક્ષાએ સુગન્ધી અને દુર્ગન્ધી, રસની અપેક્ષાએ તીખાં, કડવા, તૂરા, ખાટા અને મધુર રસવાળાં અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શવાળાં પુદ્ગલો તેઓના પૂર્વના વર્ણગુણોને વિપરિણમાવી—ઇત્યાદિ બધું નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવત્ કદાચિત્ નિઃશ્વાસ લે છે. હે ભગવન્! પૃથિવીકાયિકો જે પુદ્ગલોને આહા૨પણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોનો કેટલામો ભાગ ભવિષ્ય કાળે આહાર કરે છે—આહારના પરિણામને યોગ્ય કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે? હે ગૌતમ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. હે ભગવન્ ! પૃથિવીકાયિકો જે પુદ્ગલોને આહારપણે [વિશિષ્ટ રૂપે] ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે—આહારના પરિણામને યોગ્ય કરે છે કે બધાનો આહાર કરતો નથી?જેમ નૈરયિકો સંબન્ધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. ૬૬૪૭॥ (ટી૦) હવે પૃથિવીકાયિકો સંબન્ધે આ સાત અધિકારોનો વિચાર કરવાની ઇચ્છાવાળાં સૂત્રકાર કહે છ—‘પુવીાડ્યા મંતે !'−હે ભગવન્! પૃથિવીકાયિકો હારની ઇચ્છાવાળા હોય? ઇત્યાદિ. ‘પૃથિવીકાયિકોના સૂત્રનો પૂર્વની પેઠે વિચાર કરવો, પરન્તુ નિવ્વાષાળું છિિસઁ' ઇત્યાદિ. ‘નિર્વ્યાઘાત-વ્યાઘાતનો અભાવ હોય ત્યારે અવશ્ય છ દિશામાં રહેલા–છ દિશામાંથી આવેલા પુદ્ગલોનો આહાર કરે છે.’ વ્યાઘાત એટલે અલોકાકાશ વડે સ્ખલના–પ્રતિબન્ધ થવો, વ્યાઘાતને આશ્રયી લોકના નિષ્કુટાદિ–ગવાક્ષાદિને વિશે કદાચિત્ ત્રણ દિશાથી આવેલાં, કદાચિત્ ચાર દિશાથી આવેલાં અને કદાચિત્ પાંચ દિશાથી આવેલા પુદ્દગલ દ્રવ્યોનો આહાર કરે છે. અહીં આ ભાવાર્થ જ્યારે પૃથિવીકાયિક જીવ ‘લોનિટ’–લોકના ગવાક્ષ જેવા પ્રાન્ત ભાગને વિષે છેલ્લે નીચેના પ્રતરના અગ્નિ ખુણામાં રહેલો હોય છે ત્યારે તેની નીચેનો ભાગ અલોક વડે વ્યાપ્ત હોવાથી અધોદિશાના પુદ્ગલોનો અભાવ હોય છે. અગ્નિ ખુણામાં રહેલો હોવાથી પૂર્વ દિશાના અને દક્ષિણ દિશાના પુદ્ગલોનો અભાવ હોય છે, એ પ્રમાણે તેની અધોદિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા અલોક વડે વ્યાપેલી હોવાથી તેને છોડી જે બાકી રહેલી ઊર્ધ્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા અબાધિત છે, તેથી તે દિશા અને દક્ષિણ દિશા તરફથી આવેલા પુદ્ગલોનો આહાર કરે છે. જ્યારે તે પૃથિવીકાયિક પશ્ચિમ દિશામાં રહે છે, ત્યારે પૂર્વ દિશા અધિક થાય છે. અને દક્ષિણ અને અધો એ બે દિશા અલોક વડે વ્યાઘાતવાળી છે, માટે તે ચારે દિશાથી આવેલા પુદ્ગલોનો આહાર કરે છે. જ્યારે ઉ૫૨ના બીજા આદિ પ્રત૨માં રહેલ પશ્ચિમ દિશાને અવલંબીને રહે છે, ત્યારે નીચેની પણ દિશા અધિક હોય છે, કેવળ પર્યન્તવર્તી એક દક્ષિણ દિશા અલોક વડે વ્યાઘાતવાળી છે, માટે પાંચ દિશાથી આવેલા પુદ્ગલોનો આહા૨ ક૨ે છે. બાકીનું બધું સૂત્ર પૂર્વની પેઠે કહેવું. જે વિશેષતા છે તે બતાવે છ—પરન્તુ ‘બોસન્ન વ્હારાં ન મન્નફ' ‘સામાન્ય કારણને આશ્રયી કહેવાનું નથી' ઇત્યાદિ સુગમ છે ‘સ્પર્શનેન્દ્રિયની વિમાત્રા-વિષમ માત્રા, વિવિધતા વડે તેના ઇષ્ટ અનિષ્ટ અનેક ભેદ રૂપે પરિણમે છે એ ભાવાર્થ છે. પરન્તુ નારકોની પેઠે એકાન્ત અશુભ રૂપે અને દેવોની પેઠે એકાન્ત શુભ રૂપે પરિણમતા નથી. જેમ પૃથિવીકાયિકો સંબન્ધુ સૂત્ર કહ્યું તેમ અપ, તેજસ્ અને વનસ્પતિકાયિકોને પણ કહેવું. કારણ કે બધાય સકલ લોકવ્યાપી હોવાથી તેઓમાં વિશેષતા નથી. ।।૬।।૬૪૭।। 264
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy