________________
श्री प्रज्ञापना सूत्र भाग २
કે
सोलसमं पओगपयं विहायगति परूवणं (મૂ0) વિદ્ધયોગતિ કેટલા પ્રકારની કહી છે? વિહાયોગતિ સત્તર પ્રકારની કહી છે. તે આ પ્રમાણે—૧ સ્પૃશદ્ધતિ, ૨ અસ્પૃશદ્ધતિ, ૩ ઉપસંપદ્યમાનગતિ, ૪ અનુપસંપદ્યમાનગતિ, ૫ પુદ્ગલગતિ, ૬ મંડૂકગતિ, ૭ નૌકાગતિ, ૮ નયગતિ, ૯ છાયાગતિ, ૧૦ છાયાનુપાતગતિ, ૧૧ લેશ્યાગતિ, ૧૨ લેશ્યાનુપાતગતિ, ૧૩ ઉદ્દિશ્ય પ્રવિભક્તગતિ, ૧૪ ચતુઃપુરુષપ્રવિભક્તગતિ, ૧૫ વક્રગતિ, ૧૬ પંકગતિ અને ૧૭ બન્ધનવિમોચનગતિ.।।૧૪।।૪૭૩/ (ટી૦) વિહાયસા ગતિવિંહાયોતિ: વિહાયસા-આકાશમાં ગતિ થાય તે વિહાયોગતિ. તે ઉપાધિ-વિશેષણના ભેદથી સત્ત૨ પ્રકારે છે—‘દૃશાતિ: ’-ઇત્યાદિ. તેમાં ૫૨માણુ વગે૨ે બીજા ૫૨માણુ વગેરેની સાથે પરસ્પર સ્પર્શ કરી કરીને ગતિ કરે તે સ્પૃશતિ. કારણ કે સ્પૃશત: ગતિ:-સ્પર્શ કરતાં છતાં ગતિ થાય તે સ્પૃશદ્ગતિ એવી વ્યુત્પત્તિ થાય છે ૧. તેથી વિપરીત અસ્પૃશદ્ધતિ, જે પરમાણુ આદિ અન્ય પરમાણુ આદિની સાથે પરસ્પર સંબન્ધને અનુભવ્યા સિવાય ગતિ કરે તે, જેમ પરમાણુ એક સમયમાં એક લોકાન્તથી બીજા લોકાન્ત સુધી જાય છે તે અસ્પૃશતિ ૨. ઉપસંપદ્યમાનગતિ—જે અન્યનો ઉપસંપદ્યઆશ્રય કરી તેની સહાય વડે ગમન કરવું તે, જેમકે ધનસાર્થવાહના અવલંબન વડે ધર્મઘોષસૂરિનું ગમન તે ઉપસંપદ્યમાનગતિ ૩. અનુપસંપદ્યમાનગતિ—પરસ્પર અવલમ્બન રહિત પુરુષોનું માર્ગમાં ગમન તે અનુપસંપદ્યમાનગતિ ૪. જે મંડૂક–દેડકાની પેઠે કૂદીને ગમન કરવું તે મંડૂકગતિ ૬. નૌકાવડે મોટી નદી વગેરેમાં જે ગમન કરવું તે નૌકાગતિ ૭. નૈગમાદિ નયોએ પોતપોતાના મતની પુષ્ટિ કરવી, અથવા પરસ્પર સાપેક્ષ બધા નયોએ પ્રમાણ વડે અબાધિત વસ્તુનું પ્રતિપાદન કરવું તે નયતિ ૮. છાયાને અનુસરી તેના અવલમ્બન વડે અથવા છાયાનો આશ્રય કરવા માટે ગતિ કરવી તે છાયાગતિ ૯. છાયાનુપાતગતિરિતિ–છાયાની પોતાના નિમિત્તરૂપ પુરુષાદિના અનુપપાત-અનુસરવા વડે ગતિ, જેમકે છાયા પુરુષને અનુસરે છે, પણ પુરુષ છાયાંને અનુસરતો નથી. માટે છાયાની અનુપપાતગતિ કહેવાય છે, પણ છાયાની સ્વતન્ત્ર ગતિ નથી ૧૦. જે તિર્યંચ અને મનુષ્યોના કૃષ્ણાદિલેશ્યા દ્રવ્યો નીલાદિલેશ્યા દ્રવ્યો પામીને તપાદિપણે પરિણમે છે તે લેશ્યાગતિ ૧૧, લેશ્યાનું અનુપાત–અનુસરણ, તે વડે જે ગતિ તે લેશ્યાનુપાતગતિ. ‘જ્ઞેશ્યાયા અનુપાત તિઃ' એ વિગ્રહમાં કર્મમાં છઠ્ઠી વિભક્તિ છે. એટલે લેશ્યાને અનુસરીને ગતિ થવી કારણ કે આગળ કહેવામાં આવશે કે ‘જે લેશ્યાદ્રવ્યોને ગ્રહણ કરી જીવ કાળ કરે છે તે લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે, પણ બીજી લેશ્યાવાળામાં ઉપજતો નથી.' માટે જીવ લેશ્યા દ્રવ્યને અનુસરે છે, પરંતુ તે જીવને અનુસરતો નથી ૧૨. ‘ઉદ્દિશ્યવિમતઽત્તિ:’—પ્રવિભક્ત–પ્રતિનિયત આચાર્યાદિકને ઉદ્દેશી જે તેની પાસે ગમન કરે તે ઉદ્દિશ્યપ્રવિભક્તગતિ ૧૩. ‘વતુ:પુરુષપ્રવિભક્તઽતિ:'—ચાર પ્રકારની પુરુષોની પ્રવિભક્ત-પ્રતિનિયત ગતિ. તે ચાર પ્રકાર બતાવે છે–‘ક્ષમાં પદ્મવક્રિયા'—એક સાથે તૈયાર થયેલા ઇત્યાદિ મૂળ ગ્રન્થ વડે સૂત્રકાર સ્વયં કહેશે ૧૪. વક્રગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે-ઘટ્ટનતા, સ્તમ્ભનતા, શ્લેષણતા અને પતનતા. તેમાં ‘ષટ્ટનશસ્ય ભાવ:’—ઘટ્ટન શબ્દનો ભાવ એટલે પ્રવૃત્તિનિમિત્ત ઘટ્ટન જ સમજવો. એ પ્રમાણે શેષપદના શબ્દાર્થનો વિચાર કરવો. ઘટ્ટન-લાડી ગતિ, સ્તમ્ભન–ગ્રીવામાં ધમની–રુધિરવાહક નાડી વગેરેનુ રહેવું, અથવા આત્માનું શરીરના પ્રદેશોમાં રહેવું. શ્લેષણ–સાથળ વગેરેનો જાનુ વગેરેની સાથે સંબન્ધ. પતન–ઉભા રહેતાં કે ચાલતાં પડવું. આ ઘટ્ટનાદિ જીવને અનિષ્ટ હોવાથી અને અપ્રશસ્ત હોવાથી વક્રગતિ શબ્દ વડે કહ્યા છે ૧૫. પટ્ટ-કીચડમાં ગતિ તે પદ્મગતિ, પટ્ટનું ગ્રહણ તે ઉદકનું પણ સૂચક છે. તેથી કીચડ અથવા પાણીમાં અતિદુસ્ત૨ પોતાના શરીરને કોઇની સાથે ‘કબિંદિયા'-ઉદ્ભુધ્ય બાંધીને તેના બલથી ગમન કરે તે પદ્મગતિ ૧૬. બન્ધનથી વિમોચન–છૂટા થવા વડે જે ગતિ તે બન્ધનવિમોચનગતિ. અત્યંત પાકેલાં અને તેથી બન્ધનથી છૂટાં પડેલાં આમ્રાદિ ફળોનું જે વિશ્રસા–સ્વભાવથી પ્રતિબંધ સિવાય ગમન તે બન્ધનવિમોચનગતિ એ ભાવાર્થ છે ૧૭. એજ બાબત સૂત્રકાર જણાવે છે–‘મે હિં તેં પોટ્ટ્' ‘પ્રયોગગતિ કેટલા પ્રકા૨ની છે’ ઇત્યાદિ આ પદની સમાપ્તિ સુધી સુગમ છે.
પરન્તુ ‘નંબુદ્દીને રીવે મહેરવયવાસક્ષ સંપલ્લુિં સપડિવિસિં સિદ્ધàત્તોનવાયાર્ં' જંબુદ્વીપ નામે દ્વીપમાં જે ભરતવર્ષ અને એરાવતવર્ષ છે તેના ઉપર સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. કેવી રીતે છે તે જણાવે છે—‘સપક્ષ સંપ્રતિવિદ્' સહવિદ્યમાન પક્ષ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણરૂપ પાર્શ્વ ભાગો જે ગતિમાં છે તથા સહ-વિદ્યમાન પ્રતિદિ–અગ્નિકોણ વગે૨ે
18