SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो जहण्ण ठिइबंधगपरूवणं सव्वणिरुद्धे से आउए, सेसे सव्वमहंतीए आउअबंधद्धाए, तीसे णं आउअबंधद्धाए चरिमकालसमयंसि सव्वजहणियं ठिई पज्जत्तापज्जत्तियं णिव्वत्तेति, एस णं गोयमा! आउयकम्मस्स जहण्णठितीबंधए, तव्वइरित्ते અનાજને -રૂપાદરૂા. (મૂળ) હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કોણ છે? હે ગૌતમ! કોઈ પણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્ય (જઘન્ય સિવાયની) સ્થિતિનો બન્ધક છે. એ પ્રમાણે એ પાઠ વડે મોહનીય અને આયુષ્ય સિવાય બાકીના બધા કર્મને માટે કહેવું. હે ભગવન્! મોહનીય 'કર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે?હેગોતમ! કોઈપણ ઉપશમક કે ક્ષપક બાદરસપરાય હોય છે. હે ગૌતમ! એ મોહનીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. આયુષ્યકર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે? હે ગૌતમ! અંસક્ષેપ્યાદ્ધપ્રવિષ્ટજેના આયુષ્ય બન્ધનો કાળ સંક્ષેપ કરી શકાય એમ નથી એવો જે જીવ છે, તેનું સર્વનિરુદ્ધસૌથી થોડું આયુષ્ય કે જે સૌથી મોટા આયુષ્યબજૂના કાળના એક ભાગ રૂપ છે, એવા તે આયુષ્યબન્ધના છેલ્લા કાળમાં વર્તતો પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ એવી સૌથી જઘન્ય સ્થિતિ બાંધે છે. હે ગૌતમ! એ આયુષ કર્મનો જઘન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. //૩૫//૬૩૩/l. (ટીવ) અહીંસંજ્ઞી પંચેન્દ્રિય સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો જઘન્ય સ્થિતિબન્ધ અન્તર્મુહૂતદિ પ્રમાણ કહ્યો.' તે કયા જીવોને વિષે હોય?” એમ જિજ્ઞાસુશિષ્ય પૂછે છે–રાવળજ્ઞરૂ મંત! મૂસ નહરિફવન્યા' કે? હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતબન્ધક કોણ હોય-ઇત્યાદિ સુગમ છે. પરન્તુ “અન્યતર ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય બાંધે છે એમ કહ્યું છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે-અહીંજ્ઞાનાવરણીનો બન્યક્ષપક અને ઉપશમકને જઘન્યથી અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે, તેથી બન્નેને અન્તર્મુહૂર્તના પ્રમાણનો ભેદ નહિ હોવાથી ‘ઉપશમક કે ક્ષપક એમ કહ્યું છે. કારણ કે બીજે ક્ષેપકની અપેક્ષાએ ઉપશમકને બમણો બન્ધ કહ્યો છે. કેમકે એ સંબન્ધ કર્મપ્રકૃતિ સંગ્રહણીકાર કહે છે–‘વપુરામાપડિવયમાળોદુમુળી તહિં હં વન્યો' (કર્મ પ્ર0 ઉપશમનાકરણ ગાથા ૬૧)"ક્ષપક કરતાં ઉપશમકને અને તેથી ઉપશમશ્રેણિથી પડનારને બમણો બમણો બન્ધ થાય છે. તેથી વેદનીય કર્મના સાંપરાયિક (કષાયનિમિત્તક) બન્ધના વિચારમાં તેનો જઘન્ય સ્થિતિબન્ધ ક્ષેપકને બાર મુહૂર્તનો અને ઉપશમકને ચોવીશ મુહૂર્તનોં હોય છે. નામગોત્રનો જઘન્ય બન્ધ ક્ષેપકને આઠ મુહૂર્ત અને ઉપશમકને સોળ મુહૂર્ત છે. પરન્તુ ઉપશમકને પણ બાકીના બન્ધની અપેક્ષાએ સૌથી જઘન્ય બન્યું હોય છે, માટે તેના સૂત્રમાં પણ “મન્નરે સુહમસંઘરાવે ૩વસામણ ઉવો વા' કોઈ પણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય જઘન્યબંધક છે' એમ કહ્યું છે. અને એમ કહેશે કે- “મોહાડવઝા સે ગ્મા માળિયત્રં તિ આ પાઠ વડે મોહનીય અને આયુષ્ય સિવાય બાકીના કર્મ માટે કહેવું. ઉપસંહાર સૂત્રમાં વ્યક્તિ નહ' તે સિવાય બીજો અજઘન્ય છે. એટલે ક્ષપક અને ઉપશમક સૂક્ષ્મસંપરાય સિવાયના બીજા અજઘન્ય સ્થિતિબન્ધક છે. આયુષ્યના બન્યક સૂત્રમાં નું નીવે મifaખાપવિદ્' ઇત્યાદિ. “જે જીવ અસંક્ષેખાદ્ધાપ્રવિષ્ટ છે' ઇત્યાદિ. અહીં જીવો બે પ્રકારના છેસોપક્રમઆયુષ્યવાળા અને નિરુપક્રમઆયુષ્યવાળા. તેમાં દેવો, નારકો, અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો તથા સંખ્યાતાવરસના આયુષ્યવાળા છતાં પણ ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો અને ચરમ શરીરી નિરુપક્રમશરીરવાળા જ હોય છે. બાકીના બધા સોપક્રમ આયુષ્યવાળા પણ હોય છે અને નિરુપક્રમ આયુષ્યવાળા પણ હોય છે. કહ્યું છે ક– "देवा नेरइया वा असंखवासाउया तिरिमणुया । उत्तमपुरिसा य तहा चरमसरीरा य निरुवकमा ॥ ૧, સંશી પંચેન્દ્રિયના બન્ધસૂત્રમાં શાનાવરણીયાદિ કર્મનો જઘન્ય સ્થિતિબન્ધ અન્તર્મુહૂતદિ પરિમાણ કહ્યો છે તે ક્ષેપકને પોતપોતાના સ્થિતિબંધના છેલ્લા સમયે જાણવો. પાંચ નિદ્રા, અસતાવેદનીય, મિથ્યાત્વ અને બાર કષાયાદિનો ક્ષપણાની પૂર્વે બંધ થાય છે, તેથી તેઓને જઘન્યથી પણ અન્તઃકોટાકોટી - સાગરોપમ પ્રમાણ બંધ હોય છે અને ઉત્કૃષ્ટ અતિસંક્લેશવાળા મિથ્યાષ્ટિને હોય છે. પરન્તુ તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ બંધ પોતપોતાના બન્ધ કરનારામાં અતિવિશુદ્ધ હોય છે. 240
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy