SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं સાંગરોપમના બે સપ્તમાંશ થાય છે તેને પૂર્વે કહેલ કરણ રૂપ હજાર વડે ગુણવાથી સૂત્રમાં કહેલું પરિમાણ થાય છ–બે હજાર સપ્તમાંશ-હજાર સાગરોપમના બે સપ્તમાંશ થાય એ તાત્પર્ય છે. આહારકશરીરનામની જઘન્યથી પણ અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પણ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે, પરન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ સમજવું. અન્ય આચાર્ય આહારક ચતુષ્કની સ્થિતિ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત માને છે. તે સંબંધે આ ગ્રન્થનો પાઠ છે-“વુંવેય બટ્ટુ વાસા અટ્ઠ મુદ્દુત્તા નમુનોયળા સા વારસ આહાર-વિષાવરળાળ પૂિળા" પુરુષવેદની સ્થિતિ આઠ વર્ષ, યશ અને ઉચ્ચ ગોત્રની આઠ મુહુર્ત, સાતાવેદનીયની બાર મુહુર્ત, આહારક, અંતરાય અને જ્ઞાનાવરણ દર્શનાવરણની કંઇક ન્યૂન-અન્તર્મુહૂર્ત જાણવી. અહીં સત્ય શું છે તે કેવલજ્ઞાની જાણે. જેમ પાંચ શ૨ી૨નું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સ્થિતિપરિણામ કહ્યું. તેજ ક્રમથી પાંચ શરીરબંધન અને પાંચ શ૨ી૨સંઘાત સંબંધે કહેવું. તેજ સૂત્રકાર કહેછ—“સરી વંધનનામવ પંચવિ વં સેવ, સરીરસંષાયળનામાણ્ વિ પંન་વિ'' પાંચ શરીરબંધનનામ સંબંધે અને પાંચ શ૨ી૨સંઘાતનામ સંબંધે પણ એમજ સમજવું. વજૠષભનારાચસંઘયણ નામની સ્થિતિ જેમ પૂર્વે રતિમોહનીયની કહી છે તેમ કહેવી “વીસહનારાયસંષયળનામાણ્ ાં મંતે! જમ્મસ જેવાં જાત ठिती पन्नत्ता? गोयमा ! जहन्नेणं एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ "। હે ભગવન્! વજૠષભનારાચ સંઘયણ નામની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન । એક સપ્તમાંશ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમની છે. ઋષભનારાચ સૂત્રમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન ‘સાગરોપમના છ પાંત્રીશાંશ સ્થિતિ છે. કારણ કે ઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર કોટાકોટી સાગરોપમની છે, તેને મિથ્યાત્વની સિત્તેર કોટાકોટી પ્રમાણ સ્થિતિ વડે ભાગવા. ભાગ ચાલતો ન હોવાથી શૂન્ય વડે શૂન્યને ઉડાડી છેદ્ય અને છેદક રાશિનો અર્થ છેદ ઉડાડતાં સાગરોપમના છ પાંત્રીશાંશ થાય છે, તેને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન કરવી. એમ નારાચસંહનનનામની જઘન્ય સ્થિતિના વિચારમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડેન્યૂન સાગરોપમના સાત પાંત્રીશાંશ હોય છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમ પ્રમાણ છે. અર્ધનારાચ સંહનનનામની સાગરોપમના આઠ પાંત્રીશાંશ જઘન્ય સ્થિતિ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ સાગરોપમ કોટાકોટી પ્રમાણ છે. કીલિકા સંહનનનામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોટાકોટી સાગરોપમપ્રમાણ હોવાથી વિચારવી. સેવાર્તાસંહનન સૂત્ર સુગમ છે. જેમ છ સંઘયણની સ્થિતિ કહી તેમ છ સંસ્થાનની સ્થિતિ પણ . કહેવી. અને તે પ્રમાણે સૂત્રકાર કહે છે– ‘વં નહા સંષયળનામા છળિયા, વં સંતાળા છમ્માળિયન્ના'- આજ અર્થ અન્ય સ્થળે પણ કહ્યો છે— “સંષયળે સંતાળે પત્નમે રસ રમેસુ ચુવુફ્તી”-પ્રથમ સંઘયણ અને સંસ્થાનની દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે અને પછી ઉપરના સંઘયણ અને સંસ્થાનને વિશે બબ્બે સાગરોપમની વૃદ્ધિ કરવી”. હારિદ્રવર્ણનામ સંબધે સૂત્રમાં જધન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના પાંચ અઠ્યાવીશાંશની સ્થિતિ જાણવી, કારણ કે હારિદ્રવર્ણનામની સાડાબાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. અન્ય સ્થળે પણ કહ્યું છે કે “સુધ્ધિા-સુમિ-મહુડાળ વૃક્ષ ૩ તહીં સુખળ-૩૨ાસાનું અહ્વાન્ગપવુફ્તી વિજ્ઞાન્તિપુાળા" શુક્લ વર્ણ, સુરભિગન્ધ, અને મધુર રસની દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે, સુભગનામ, ઉષ્ણસ્પર્શ, અમ્લ૨સ અને હારિદ્રવર્ણની સ્થિતિમાં અઢી સાગરોપમની વૃદ્ધિ કરવી,” તેને સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવા. શૂન્ય વડે શૂન્ય ઉડી જાય છે, તેથી ઉપરની રાશિ સાડાબાર હોવાથી અંશ સહિત છે, પણ પૂર્ણ નથી. માટે તેને ચાર ભાગ કરવા માટે ચારે ગુણવાથી પચાસ થાય છે નીચેની સિત્તેર સંખ્યારૂપ છેદ રાશિને ચારે ગુણવા એટલે બસોને એંશી થાય છે. તેથી ફરી શૂન્ય વડે શૂન્ય ઉડાડતાં સાગરોપમના પાંચ અઠ્યાવીશાંશ થાય છે, તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન કરતાં સૂત્રોક્ત પરિણામ આવે છે. આજ ગણિતની રીત વડે ` લોહિતવર્ણનામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે હીન સાગરોપમના છ અઠ્યાવીશાંશ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. નીલવર્ણનામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન 230
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy