SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ શરીરનામની સૂક્ષ્મની પટે, સ્થિરનામની એક સપ્તમાંશ, અસ્થિરનામની બે સપ્તમાંશ, શુભનામની એક સપ્તમાંશ, અશુભનામની બે સપ્તમાંશ, સુભગનામની એક સપ્તમાંશ, દુર્ભગનામની બે સપ્તમાંશ, સુસ્વરનામની એક સપ્તમાંશ, દુસ્વરનામની બે સપ્તમાંશ, આયનામની એક સપ્તમાંશ, અનાદેય નામની બે સપ્તમાંશ યશ:કીર્તિનામની જઘન્ય સ્થિતિ આઠ મુહુર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની અને એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. અયશકીર્તિનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ!જેમ અપ્રશસ્તવિહાયોગતિનામની સ્થિતિ કહી તેમ કહેવી. એ પ્રમાણે નિર્માણ નામની પણ સ્થિતિ કહેવી. તીર્થંકરનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સ્થિતિ અત્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ અન્ત:કોટાકોટી સાગરોપમ જાણવી. એ પ્રમાણે જ્યાં એક સપ્તમભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમ સ્થિતિ અને એક હજાર વરસનો અબાધાકાળ જાણવો અને જ્યાં બે સપ્તમ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટથી વીશ કોટાક સાગરોપમની સ્થિતિ અને બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. //ર૬/૬૨૪ો. (ટી) ‘તિરિયડુનામાનહી નપુંસાવેય' તિર્યંચગતિનામની નપુંસક વેદની પેઠે સ્થિતિ જાણવી. એટલે જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. મનુષ્યગતિ નામની “નહvi સરોવર્સી વિવદ્ધસત્તાક પતિવમસ્ત મસંવેગડ્રમાણે 'તિ–જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન દોઢ સક્ષમાંશ સાગરોપમની જાણવી. અહીં સ્ત્રીવેદની પેઠે વિચાર કરવો. અહીં “વિવઢસત્તમ' ઇત્યાદિને વિશે પ્રાકૃત હોવાથી નપુંસક લિંગનો નિર્દેશ કર્યો છે. નરકગતિ નામની જઘન્યથી સ્થિતિ હજાર સાગરોપમની બે સપ્તમાંશ જાણવી. તાત્પર્ય એ છે કે સાગરોપમના બે સપ્તમાંશને હજાર વડે ગુણવા. કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે, તેનો સૌથી જઘન્ય બંધ અસંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે કારણ કે અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય કર્મબન્ધ એકેન્દ્રિયના જઘન્ય કર્મબન્ધની અપેક્ષાએ હજાર ગુણો છે. આ બાબતનો વિચાર વૈક્રિય શરીરના વિચાર પ્રસંગે કરવામાં આવશે. દેવગતિનામનો જઘન્ય બંધ હજાર સાગરોપમનો સાતમો ભાગ જાણવો. તાત્પર્ય એ છે કે સાગરોપમનો એક સસમાંશ હજારથી ગણવો. કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમ છે. તેથી પૂર્વે કહેલા કરણ–રીતિ વડે એક સાગરોપમનો સાતમો ભાગ આવે છે. એનો બન્ધ પણ જઘન્યથી અસંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે માટે હજાર ગુણો કહ્યો છે. દેવગતિનામ સંબધે સૂત્રમાં ૧૩ોનું નહીં પુરિવેવ'_ઉત્કૃષ્ટ બન્ધ પુરુષવેદની પેઠે જાણવો. માટે દસ કોટાકોટી સાગરોપમનો છે. અને એક હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધા વડે ન્યૂન કર્મસ્થિતિ તે કર્મનિષેક જાણવો. બેઇન્દ્રિયજાતિનામસૂત્રમાં જહન્નેમાં નવ પળતી મા પતિગોવમસ્ત જ્ઞમાને કII'—બેઇન્દ્રિય જાતિનામની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગવડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. કારણ કે “ગટ્ટાર સુટુંવિત્તિતિનો” સૂક્ષ્મ અને વિકલત્રિકની સ્થિતિ અઢાર કોટાકોટી સાગરોપમ છે–એવું શાસ્ત્રવચન છે. તેથી અઢાર કોટાકોટી સાગરોપમને મિથ્યાત્વની સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગ આપવો. ભાગ પૂરો થતો નથી, માટે શૂન્ય વડે શૂન્યને ઉડાવી દેવી. તેથી ઉપર અઢાર અને નીચે સિત્તેર આવે છે. તેને અર્ધ વડે છેદ ઉડાડતા નવ પાંત્રીશાંશ થાય છે. તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન કરવા, એટલે સૂત્રમાં કહેલું પરિમાણ આવે છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિય જાતિનામ સંબન્ધ બને સૂત્રોનો વિચાર કરવો. વૈક્રિયશરીરનામ સુત્રને વિશે ‘નહvolvi સરોવરૂ તો સત્તમ પત્તિમોવમસ અસંન્ગમાં 5MT' જઘન્યથી પલ્યોપમના અસંખ્યતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ સ્થિતિ હોય છે. અહીં વૈક્રિયશરીરનામની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટી સાગરોપમ છે, તેથી પૂર્વે કહેલ કરણ વડે જઘન્ય સ્થિતિના વિચારમાં સાગરોપમના બે સપ્તમાંશ આવે છે. પરન્ત વૈક્રિયષક એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો બાંધતા નથી, પણ અસંશી પંચેન્દ્રિયાદિક બાંધે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિયાદિ જઘન્યથી બન્ધ કરતાં એકેન્દ્રિયના બન્ધની અપેક્ષાએ હજાર ગુણો બંધ કરે છે. કારણ કે “પળવીના પUUસા સાથે સહસ ૨ ગુણો " પચીશ, પચાસ, સો અને સહસ્ત્ર ગુણા કરવા—એવું વચન છે, તેથી જે 229
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy