SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ સાગરોપમના સાત અઠ્યાવીશાંશ જાણવા. કારણ કે ઉત્કૃષ્ટથી તેની સ્થિતિ સાડાસત્તર સાગરોપમ પ્રમાણ છે. ‘વિનામg નહીં છેવસિંધયક્ષ' ઇતિ. કાળાવર્ણનામની છેવટ્ટ સઘયણની પેઠે જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી વીશ કોટાકોટી સાગરોપમની જાણવી. સુરભિગન્ધનામની શુક્લવર્ણ નામની જેમ સ્થિતિ સમજવી, કારણ કે સુશિ7સુરબિમદુર રસ ૩' શુક્લવર્ણ, સુરભિગન્ધ અને મધુરરસની દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે-એવું શાસ્ત્રવચન છે. દુરભિગંધનામની જેમ સેવાર્તસંહનનની કહી છે. તેમ સમજવી, તે હમણાંજ કહેલી છે, તેથી તેને ફરીથી કહેતા નથી.*રસામાં મદુરારીખે નહીં વાગે મણિયે તહાં પરિવાલી બળિયä' ઇતિ. મધુરાદિ રસોની જેમ વર્ણોની સ્થિતિ કહી છે તેમ અનુક્રમે કહેવી. તે આ પ્રમાણે-મધુરસની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમ જાણવી. તથા એક હજાર વરસનો અબાધાકાળ હોય છે. અબાધારહિત કમસ્થિતિ કર્મદલિક નિષેક જાણવો. અસ્ફરસ નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે હીન સાગરોપમના પાંચ અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટથી સાડાબાર કોટાકોટી સાગરોપમતથા સાડાબારસો વરસનો અબાધાકાળ જાણવો. કષાયરસનામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના છ અઠ્યાવીશાંશ ઉત્કૃષ્ટથી પંદર કોટાકોટી સાગરોપમ, અને પંદરસો વરસનો અબાધાકાળ જાણવો. કટુકરસની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના સંત અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટથી સાડાસત્તર કોટાકોટી સાગરોપમ, તથા સાડાસત્તરસો વરસનો અબાધાકાળ જાણવો. તિક્તરસ નામની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ, અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની હોય છે. તથા બે હજાર વર્ષ અબાધા અને અબાધાકાળ રહિત કર્મસ્થિતિ કર્મદલનિષેક સમજવો. સ્પર્શે બે પ્રકારના છે–પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણરૂપ પ્રશસ્ત સ્પર્શે છે, કર્કશ, ગુરુ, રુક્ષ, અને શીતરૂપ અપ્રશસ્ત સ્પર્શી છે, પ્રશસ્ત સ્પર્શીની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમ છે. તથા એક હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મસ્થિતિ કર્મદલિક નિષેક સમજવો. અપ્રશસ્ત સ્પર્શની જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યુન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની છે. તથા બે હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મની સ્થિતિ કર્મલિકનો નિષેક જાણવો. તે પ્રમાણેજ સૂત્રકાર કહે છે પાસા ને પત્થા તેસિં નહીં સેવક્સ, ને પત્થા તેસિં નહી સુવિ7વનામસ.' જે અપ્રશસ્ત સ્પર્શે છે તેઓની સ્થિતિ છેવટ્ટ સંઘયણની પેઠે જાણવી અને જે પ્રશસ્ત સ્પર્શ છે તેઓની સ્થિતિ શક્લવર્ણનામની પેઠે જાણવી.” નરકાનુપૂર્વીનામની જઘન્ય સ્થિતિ હજાર સાગરોપમના બે સપ્તમાંશ એટલે સહસગુણ બે સપ્તમાંશ સાગરોપમ જાણવી. તેનો વિચાર નરકગતિની પેઠે કરવો, મનુષ્યાનુપૂર્વીનામ સૂત્રમાં ‘નાને સાકારોવનસ વિવä સત્તમાને પત્તિમોત્તમ 'તિ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનદોઢ સપ્તમાંશ સાગરોપમ જાણવી.” કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમ પ્રમાણ છોબીજે સ્થળે પણ કહ્યું છે ક– ___ "तीसं कोडाकोडी असाय-आवरण-अंतरायाणं। मिच्छे सयरी इत्थी-मणुदुग-सायाण पन्नरस"। અસતાવેદનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મની ત્રીશ કોડાકોડી સાગરોપમ, મિથ્યાત્વની સિત્તેર કોટાકોટી, સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક અને સાતા વેદનીયની પન્દર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી.” દેવાનુપૂર્વનામ કર્મની પણ સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખયાતમાં ભાગ વડે ન્યૂન સહસગુણ એક સપ્તમાંશ સાગરોપમ જાણવી, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. કહ્યું છે કે “વું-હા-ર-૩ન્ને સુમતિ-fથરારૂછ-તેવો રસ સેસા વીસા વફાવાદ વાસસયા * પુરુષવેદ, હાસ્ય, રતિ, ઉચ્ચ ગોત્ર, શુભવિહાયોગતિ, સ્થિરાદિષક અને દેવદ્વિકની સ્થિતિ દસ બાકીનાની વીશ કોટાકોટી સાગરોપમ છે અને જેટલો કોટાકોટી હોય તેટલા સેંકડો વર્ષ અબાધા હોય છે. દેવાનુપૂર્વીનો જઘન્યથી બન્ધ અસંજ્ઞી પંચેન્દ્રિયોને 231
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy