________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. અબાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેક છે.
//ર ૧/૬૧૯ll (ટી0) હવે ઉત્તરપ્રકૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ સંબધે પ્રશ્ન સૂત્ર કહે છે–‘IMવાળિનસ મંત! મમ્મસ જેવયં વાસં કિ ઇત્તા' મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મની કેટલા કાળની સ્થિતિ કહી છે? એમ પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર આપે છ–હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને તે સર્વજઘન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાય સંપકને પોતાના ગુણસ્થાનકના છેલ્લા સમયે જાણવી. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે, તે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતા મિથ્યાષ્ટિને જાણવી.એમ પૂર્વે કહેલા પ્રશ્રનો નિયત ઉત્તર આપ્યો.અને આ પૂક્યા સિવાયના પ્રશ્નો (પ્રસંગથી) ઉત્તર આપે છ–ત્રણ હજાર વરસનો અબાધા (અનુદય કાળ) અને અબાધા વડેન્યૂન કર્મની સ્થિતિ એ કર્મદલિકોનો નિષેક (ભોગ્ય કાળ) છે. એમ કહેવાનું શું કારણ છે? કર્મની બે પ્રકારની સ્થિતિ બતાવવા માટે છે. તે આ પ્રમાણે—કર્મની બે પ્રકારની સ્થિતિ છે–૧ કર્મપણે રહેવા યોગ્ય સ્થિતિ અને અનુભવવા યોગ્ય સ્થિતિ તેમાં કર્મપણે રહેવા રૂપ સ્થિતિને આશ્રયી ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. અને અનુભવવા યોગ્ય સ્થિતિ તેથી ત્રણ હજાર વરસ ન્યૂન છે. જેથી સૂત્રકાર કહે છે કે ત્રણ વર્ષસહસ્ત્રાળ અવાજા'–ત્રણ હજાર વરસનો અબાધાકાળ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બાંધ્યું હોય તો બન્ધસમયથી માંડી ત્રણ હજાર વરસ સુધી પોતાના ઉદયથી જીવને કંઇપણ બાધા કરતું નથી. કારણ કે તેટલા કાળમાં કર્મલિકની નિષેક-રચનાનો અભાવ છે.
ત્યાર પછીના કાળમાં કર્મચલિકની નિષેક રચના થાય છે. તે તે બાબત સૂત્રકાર જણાવે છે-અવાધના'-અબાધાકાળ રહિત અનુભવ યોગ્ય કર્મની સ્થિતિ એ કર્મનો નિષેક છે. તે આ પ્રમાણે છે-પ્રથમ સ્થિતિમાં ઘણા કર્મચળ હોય છે. બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષહીન, એમ વિશેષ હીન, વિશેષ હીન ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી તે સ્થિતિનો છેલ્લો સમય હોય. એટલા વડે અગ્રાયણી નામે બીજા પૂર્વને વિષે કર્મપ્રકૃતિ પ્રાભૂતના બન્ધવિધાનના સ્થિતિ બન્યાધિકારને વિષે જે કહ્યું છે–: चत्वार्यनुयोगद्वाराणि, तद्यथा-स्थितिबन्धस्थानप्ररूपणा, अबाधाकण्डक प्ररूपणा, उत्कृष्टनिषेकप्ररूपणा, अल्पबहुत्वप्ररूपणा
ઇતિચાર અનુયોગ દ્વારો છે. જેમ કે સ્થિતિબન્ધના સ્થાનોની પ્રરૂપણા, અબાધા કડક પ્રરૂપણા, ઉત્કૃષ્ટનિકપ્રરૂપણા અને અલ્પબહુતપ્રરૂપણા. તેમાં ઉત્કૃષ્ટ અબાધાકણ્ડકની પ્રરૂપણા અને ઉત્કૃષ્ટ નિષેકની પ્રરૂપણા બતાવી. અબાધાકાળનું પરિજ્ઞાન થવા માટે આ ઉપાય છે—જેની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય તેનો તેટલા સેકડો વરસનો અબાધાકાળ જાણવો. જેની કોટાકોટી સાગરોપમની અંદર સ્થિતિ છે તે કર્મનો આયુષ્ય સિવાય જઘન્યથી અન્તર્મુહૂર્તનો અબાધાકાળ અને આયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વકોટીનો ત્રીજો ભાગ સમજવો. તેથી અબાધાકાળનો વિચાર કરીને અબાધાવિષયક સૂત્રોનો સ્વયં વિચાર કરવો.//ર ૧૬૧૯ निद्दापंचयस्सणं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणंसागरोवमस्स तिष्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्महिती कम्मणिसेगो। दंसणचउक्कस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा० Iટૂ૦-૨૨ાદરી. (મુ0) હે ભગવન્!પાંચ નિદ્રા કર્મની કેટલો કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે જૂન
ત્રણ સપ્તાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. ત્રણ હજાર વર્ષ અબાધાકાળ અને
- 221