SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं અબાધાકાળ હીન કર્મસ્થિતિ કર્મનો નિષેક છે. હે ભગવન્! ચાર દર્શનાવરણની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે. ત્રણ હજાર વરસ અબાધાકાળ અને અબાધાકાળ ન્યૂન કર્મ સ્થિતિ એ કર્મનો નિષેક છે. ।।૨ ૨૬ ૨૦ (ટી૦) પાંચ નિદ્રા સંબન્ધુ સૂત્ર કહે છે—‘નિદ્રાનંવામ્સ નું મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! નિદ્રાપંચકની કેટલા કાળની સ્થિતિ કહી છે? અહીં જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગવડે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશ છે. એટલે એક સાગરોપમના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગ હોય છે. તાત્પર્ય એ છે કે—ચાર જ્ઞાનાવરણ, ચાર દર્શનાવ૨ણ, સંજ્વલન લોભ અને પાંચ અન્તરાય કર્મની પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. સકષાયીને સાતાવેદનીયની સ્થિતિ બાર મુહૂર્તની અને કષાયરહિતને બે સમયની છે. પ્રથમસમયે બન્ધ અને બીજે સમયે ઉદય અને ત્રીજે સમયે કર્મનો નાશ કરે છે. યશઃકીર્તિ અને ઉચ્ચગોત્રની સ્થિતિ આઠ મુહુર્ત છે. પુરુષવેદની આઠ વર્ષ, સંજ્વલન ક્રોધની બે માસ, સંજ્વલન માનની એક માસ, સંજ્વલન માયાની અર્ધમાસ, અને બાકીની પ્રકૃતિઓની જે જે પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને ઉત્કૃષ્ટ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે આવે તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે હીન જધન્ય સ્થિતિનું પરિણામ છે. તેમાં પાંચ નિદ્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે, તેને સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગાકાર કરતા ‘શુન્ય વડે શૂન્ય ઉડી જાય છે’ એવી ભાગાકારની રીત હોવાથી ત્રણ સપ્તમાંશ સાગરોપમ થાય છે, તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કરતાં ઉ૫૨ કહ્યા પ્રમાણે જઘન્ય સ્થિતિપરિમાણ થાય છે. ।।૨૨।।૬૨૦| सायावेयणिज्जस्स इरियावहियबंधगं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया, संपराइयबंधगं पडुच्च जहणेणं बारस मुहुत्ता, उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा० । असातावेदणिज्जस्स जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा० ।। सू० - २३ ।। ६२१ ।। (મુ) સાતાવેદનીયની ઈર્યાપથિક બન્ધને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય બે સમયની સ્થિતિ છે. સાંપરાયિક બન્ધને આશ્રયી જઘન્ય બાર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા પન્દરસો વરસનો અબાધાકાળ છે. અસાતાવેદનીયની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશની સ્થિતિ છે. ઉત્કૃષ્ટત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેનો ત્રણ હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળવર્ડ ન્યૂન સ્થિતિ કર્મનિષેક કાળ સમજવો. ।।૨૩।।૬૨૧/ (20) 'सायावेयणिज्जस्स इरियावहियं बन्धगं पडुच्च अजहन्नमणुक्कोसेणं दो समया, संपराइयबंधगं पडुच्च जहण्णेणं વારસ મુદ્દત્તા'સાતાવેદનીયની ઈર્યાપથિક (અકષાયિક, કેવળ યોગહેતુક) બંધને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ રહિત બે સમયની સ્થિતિ છે. સાંપરાયિક (કષાયહેતુક) બંધને આશ્રયી જઘન્ય બાર મુહૂર્તની સ્થિતિ છે એનો પૂર્વેજ વિચાર કર્યો છે. અસાતાવેદનીયની જધન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમની સ્થિતિ પાંચ નિદ્રાની પેઠે જાણવી. કારણ કે તેની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. II૨૩૬૨૧॥ सम्मत्तवेयणिज्जस्स पुच्छा । गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाई साइरेगाई | मिच्छत्तवेयणिज्जस्सजहन्नेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं, उक्कोसेणं सत्तरि कोडाकोडीओ, सत्त य वाससहस्साइं अबाहा, अबाहूणिया० । सम्मामिच्छत्तवेयणिज्जस्स जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि • अंतोमुहुत्तं । कसायबारसगस्स जहन्नेणं सागरोवमस्स चत्तारि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, ऊक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ, चत्तालीसं वाससताई अबाहा जाव णिसेगो । कोहसंजलणाए 222
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy