SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइम कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं (મૂ૦) હે ભગવન્! ગોત્રકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે—ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. હે ભગવન્! ઉચ્ચ ગોત્ર કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ જાતિવિશિષ્ટતા, યાવત્ ૮ એશ્વર્યવિશિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણવું. પરન્તુ ૧ જાતિવિહીનતા, યાવત્ એશ્વર્યવિહીનતા જાણવી. | /૧૯/૬૧૭ll (ટી૦)હવે ગોત્રકર્મના ભેદો કહે છે . જે અંત ! ઇત્યાદિ. જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બલ, તપ, રૂપ, એશ્વર્ય, શ્રત, સત્કાર, અભુત્થાન (ઉભા થવું), આસન આપવું, હાથ જોડવા વગેરેનો સંભવ થાય તે ઉચ્ચગોત્ર. જેના ઉદયથી જ્ઞાનાદિ યુક્ત છતાં પણ નિદા પ્રાપ્ત કરે, હીન જાત્યાદિમાં ઉત્પન્ન થાય તે નીચગોત્ર. એમ ગોત્રકર્મના બે ભેદો કહ્યા, હવે ઉચ્ચ અને નીચ ગોત્રના ભેદો કહે છ–3વા મંત! ને વિદે પત્તે? હે ભગવન્! ઉચ્ચગોત્ર કર્મ કેટલા પ્રકારનું છે? ઇત્યાદિ. સુગમ છે. I/૧૯૬૧થા. अंतराइए णं भंते! कम्मे कतिविहे पण्णत्ते? गोयमा! पंचविहे पण्णत्ते, तं जहा-दाणंतराइए, जाव वीरियंतराइए Iટૂ૦-૨૦//૬૨૮ના . (મૂળ) હે ભગવન્! અત્તરાય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણ–૧ દાનાન્તરાય, યાવત્ પ વીર્યાન્તરાય. //ર૦૬૧૮ (ટી0) હવે અન્તરાય કર્મના ભેદો કહે છેઅન્તરાયરૂપ ને અંતિ! વિદે પuત્તે? અન્તરાય કર્મ કેટલા પ્રકારનું છે ઇત્યાદિ. તેમાં જેના ઉદયથી શક્તિ છતાં ગુણવાનું પાત્રનો યોગ છતાં, આને દાન આપવું મહાફળવાળું છે એમ જાણવા છતાં આપવાનો ઉત્સાહ ન થાય તે દાનાન્તરાય જેના ઉદયથી દાનગુણ વડે પ્રસિદ્ધ એવા દાતા પાસેથી આપવા લાયક વસ્તુ તેના ઘેર વિદ્યમાન હોવા છતાં યાચના કરવામાં કુશલ અને ગુણવાન હોવા છતાં પણ યાચક ન મેળવી શકે તે લાભાન્તરાય. જેના ઉદયથી : ઉત્તમથી ઉત્તમ આહારાદિ વસ્તુ છતાં તેમજ પ્રત્યાખ્યાન-વિરતિનો પરિણામ કે વૈરાગ્ય નહિ હોવા છતાં કેવળ કાણપણાથી ભોગવી ન શકે તે ભોગાન્તરાય. એમ ઉપભોગાન્તરાય કર્મ પણ જાણવું. પરન્ત ભોગ અને ઉપભોગમાં આ વિશેષતા છે કે જે એકવાર ભોગવાય તે આહાર, પુષ્પની માલા વગેરે ભોગ, વારંવાર ભોગવાય તે વસ્ત્ર, અલંકાર વગેરે ઉપભોગ કહેવાય છે. કહ્યું છે કે.. "सइ भुज्जइत्ति भोगो सो पुण आहारपुष्फमाईओ । उवभोगो उ पुणो उवभुज्जइ वत्थविलयाइ"॥ એકવાર ભોગવાય તે ભોગ, અને તે આહાર વગેરે જાણવો. જે વારંવાર ભોગવાય તે વસ્ત્ર, સ્ત્રી વગેરે ઉપભોગ. જેના ઉદયથી નીરોગ શરીર છતાં અને યુવાવસ્થા છતાં અલ્પબળવાળો હોય, અથવા બલવાનું શરીર છતાં અને સાધવા યોગ્ય કાર્ય છતાં પણ હીનસત્ત્વપણાથી પ્રવૃતિ ન કરે તે વીર્યાન્તરાય. એમ મૂળ અને ઉત્તરપ્રકૃતિઓનો વિભાગ કહ્યો. ૨૦/૬૧૮ | રમવડી વિવM || णाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा, अबाहुणिया कम्मठिती कम्मणिसेगो IIટૂ૦-૨૧૬૨૨ (મૂળ) હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ ૧. ઉપલક્ષણથી પુરુષ પણ ઉપભોગ કહી શકાય એટલે પુરુષની અપેક્ષાએ સ્ત્રી અને સ્ત્રીની અપેક્ષાએ પુરુષ પણ ઉપભોગ ોઇ શકે. જ્યારે સ્ત્રી ભાતૃત્વની ભાવનાથી પ્રવૃતિ કરે તે ઉપભોત્રી છે અને પુરુષ ઉપભોગ્ય છે, જ્યારે ભોક્તાપણાની ભાવનાથી પુરુષ પ્રવર્તે ત્યારે તે ઉપભોક્તા છે અને સ્ત્રી ઉપભોગ્ય - 220 –
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy