SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं કહેવાય છે. કહ્યું છે કે— श्री प्रज्ञापना सूत्र भाग २ # “ अनन्तान्यनुबध्नन्ति यतो जन्मानि भूतये । ततोऽनन्तानुबन्ध्याख्या क्रोधाद्येषु नियोजिता" ॥ કારણ કે ઉત્પત્તિ માટે અનન્ત જન્મોનો અનુબન્ધ કરે છે તેથી ક્રોધાદિને વિષે અનન્તાનબન્ધી નામે સંજ્ઞા જોડેલી છે. એનું સંયોજના એવું બીજું પણ નામ છે. તેનો આ વ્યુત્પત્તિથી થયેલો અર્થ છે. ‘સંયુખ્યન્તે ચૈસ્તે સંયોજ્ઞન: ' જે વડે પ્રાણીઓ અનન્તા ભવોની સાથે જોડાય તે સંયોજના. કહ્યું છે કે— “संयोजयन्ति यन्नरमनन्तसंख्यैर्भवैः कषायास्ते । संयोजनताऽनन्तानुबन्धिता वाप्यतस्तेषाम् ” ॥ જે કષાયો મનુષ્યને અનન્ત ભવોની સાથે જોડે છે તેથી તેને અનન્તાનુબન્ધી અથવા સંયોજના કહેવામાં આવે છે. જેઓના ઉદયમાં સર્વથા કે દેશથી પ્રત્યાખ્યાન–વિરતિ ન હોય તે અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. અહીં ‘ન’ શબ્દ સર્વનિષેધવાચી છે. કહ્યું છે કે— “स्वल्पमपि नोत्सहेद् येषां प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसज्ञाऽतो द्वितीयेषु निवेशिता " ॥ જેઓના ઉદયથી થોડી પણ પ્રત્યાખ્યાનની–વિરતિની ઇચ્છા ન થાય માટે બીજા કષાયની અપ્રત્યાખ્યાન સંજ્ઞા કહી છે. તથા સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ–આચ્છાદન જે વડે થાય તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. કહ્યું છે કે“सर्वसावद्यविरतिः प्रत्याख्यानमुदाहृतम् । तदावरणसज्ञाऽतस्तृतीयेषु निवेशिता । ' સર્વ સાવદ્યની વિરતિને પ્રત્યાખ્યાન કહેલું છે, માટે તેનું આવરણ ક૨ના૨ત્રીજા કષાયની પ્રત્યાખ્યાનાવરણ સંજ્ઞા કહેવામાં આવી છે. પરિષહ અને ઉપસર્ગની પ્રાપ્તિમાં ચારિત્રવાળાને પણ ‘સ-ફબબ્વાયન્તિ'-કંઇક કષાયયુક્ત કરે તે સંજ્વલન. કહ્યું છે કે— “ सञ्ज्वलन्ति यतिं यत्संविज्ञं सर्वपापविरतमपि । तस्मात् सञ्ज्वलना इत्यप्रशमकरा निरुध्यन्ते " ॥ જે સંવિગ્ન અને સર્વ પાપની વિરતિવાળા યતિને પણ કષાયયુક્ત કરે છે માટે અપ્રશમના કરનાર સંજ્વલન કષાય કહેવાય છે. બીજે સ્થળે પણ કહ્યું છે— 44 “शब्दादीन् विषयान् प्राप्य सञ्ज्वलयन्ति यतो मुहुः । ततः सञ्ज्वलनाह्वनं चतुर्थानामिहोच्यते " ॥ શબ્દાદિ વિષયોને પામીને વારંવાર કષાયયુક્ત થાય, તેથી ચોથા કષાયની ‘સંજ્વલન' એવી સંજ્ઞા કહેવાય છે. એ કષાયોનું પાછળના ક્રમથી આ સ્વરૂપ છે— “નતરેબુજુદ્ધવિપયરા રિસો ષડવિદો જોહો । તિળિસત્તયા-૬-ક્રિય-ક્ષેત્તસ્થંમોવમો માળો ।। मायावलेहिगोमुत्तिमिंढसिंगघणवंसमूलसमा । लोहो हलिद्दखंजणकद्दमकिमिरागसारिच्छो ॥ पक्खचउमाससंवच्छरजावजीवाणुगामिणो कमसो । देवनरतिरियनारयगइसाहणहेयवो भणिया " ॥ જલની રેખા, રેતની, પૃથિવીની રેખા અને પર્વતની રેખા સરખો ચાર પ્રકારનો ક્રોધ છે. નેત્રની લતા, કાષ્ટસ્તંભ, અસ્થિસ્તંભ અને શિલાના સ્તંભના જેવો માન છે. વાંસની છાલ, ગોમૂત્રિકા, મેંઢાનું શિંગડું અને કઠણ વાંસના મૂળ જેવી માયા છે. હલદ૨, ખંજન (ગાડાની મળી), કીચડ અને કીરમજી રંગના જેવો લોભ છે. તે ચારે પ્રકારના કષાયો અનુક્રમે પક્ષ, ચાર માસ, વરસ અને યાવજ્જીવ સુધી રહેવાવાળા છે અને તે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિના સાધનભૂત કહ્યા છે. ‘રૂત્થીને’ સ્ત્રીવેદ–સ્ત્રીનો વેદઅભિલાષા એટલે સ્ત્રીની પુરુષના પ્રતિ અભિલાષા તે સ્ત્રીવેદ. તે વિપાક વડે વેદવા લાયક કર્મ પણ સ્ત્રીવેદ. પુરુષનો વેદ–સ્રીના પ્રતિ અભિલાષ તે પુરુષવેદ. તે વિપાક વડે વેદવા લાયક કર્મ પણ પુરુષવેદ. નપુસંકનો વેદ–અભિલાષા,સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રતિ અભિલાષા, તે નપુંસક વેદ. તે વિપાક વડે વેદવા લાયક કર્મ પણ નપુંસક વેદ કહેવાય છે. તથા જેના ઉદયથી નિમિત્ત સહિત કે નિમિત્ત વિના હસે અથવા હસાવે તે હાસ્યમોહનીય. જેના ઉદયથી બાહ્ય કે અભ્યન્તર વસ્તુમાં પ્રમોદથાય તે રતિમોહનીય, જેના ઉદયથી બાહ્ય અને અભ્યન્તર વસ્તુમાં અપ્રીતિ કરે તે અરતિમોહનીય. જેના ઉદયથી પ્રિય 213
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy