SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणंશરીર અને મન સંબન્ધી દુઃખ અનુભવે તે અસતાવેદનીય. તે પ્રત્યેકના મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દાદિ વિષયના ભેદથી આઠ પ્રકાર છે. ll૧પ૬ ૧૩|| मोहणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा-दंसणमोहणिज्जे य चरित्तमोहणिज्जे या दंसणमोहणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते,तंजहा-सम्मत्तवेयणिज्जे, मिच्छत्तवेयणिज्जे, सम्मामिच्छत्तवेयणिज्जे। चरित्तमोहणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–कसायवेयणिज्जे, णोकसायवेयणिज्जे या कसायवेयणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा!सोलसविहे पन्नत्ते,तंजहा–अणंताणुबंधी कोहे,अणंताणुबंधी माणे, अणंताणुबंधी माया, अणन्ताणुबंधी लोभे, अपच्चक्खाणे कोहे,एवं माणे, माया, लोभे,पच्चक्खाणावरणे कोहे, एवं माणे,माया,लोभे,संजलणकोहे, एवं माणे माया लोभे। णोकसायवेयणिज्जे णं भंते! कम्मे कतिविहे पण्णत्ते? गोयमा! णवविहे पण्णत्ते, तंजहा સ્થીવેર, પુરિત, જપુંસાવે, રાતે, રતી, મરતી, યે, તો, કુછ Iટૂ-દાદ૬૪ના (મૂ૦) હે ભગવન્! મોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે—દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય હે ભગવન્! દર્શનમોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે-૧ સમ્યક્ત વેદનીય, ૨ મિથ્યાત્વવેદનીય અને સમ્યુગ્મિથ્યાત્વવેદનીય. હે ભગવન્! ચારિત્રમોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-કષાયવેદનીય અને નોકષાયવેદનીય. હે ભગવન્! કષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! સોળ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ અનત્તાનુબન્ધી ક્રોધ, ૨ અનન્તાનુબન્ધી માન, ૩ અનન્તાનુબન્ધી માયા, ૪ અજન્તાનુબન્ધી લોભ, ૫ અપ્રત્યાખ્યાન ક્રોધ, એમ ૬ માન, માયા, ૮ લોભ, ૯ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ૧૦ એમ માન, ૧૧ માયા, ૧૨ લોભ, ૧૩ સંજવલન ક્રોધ, ૧૪ એમ માન, ૧૫ માયા અને ૧૬ લોભ. હે ભગવન્! નોકષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે—૧ સ્ત્રીવેદ વેદનીય, ૨ પુરુષવેદ વેદનીય, ૩નપુંસકવેદ વેદનીય, ૪ હાસ્ય, પ રતિ, ૬ અરતિ, ૭ ભય, ૮ શોક અને ૯ જુગુપ્સા. /૧૬/૬૧૪ (ટી) મોહનીય કર્મ બે પ્રકારે છે–દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શન-સમ્યક્ત, તત્ત્વરુચિમાં મોહ-ભ્રાન્તિ કરે તે દર્શનમોહનીય. ચારિત્ર–સાવઘયોગથી નિવૃત્તિ અને નિરવદ્યયોગમાં પ્રવૃતિ વડેગમ્ય શુભ આત્માનો પરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું છે. જેમકે, સમ્યક્તવેદનીય, મિથ્યાત્વવેદનીય અને મિશ્રવેદનીય. તેમાં સમ્યક્તરૂપે-જિનેશ્વરે ઉપદેશેલા તત્ત્વની શ્રદ્ધારૂપે વેદાય તે સમ્યક્ત વેદનીય, જે જિને ઉપદેશેલા તત્ત્વની અરુચિ રૂપે મિથ્યાત્વરૂપે વેદાય તે મિથ્યાત્વવેદનીય, અને જે જિનોપદિષ્ટ તત્ત્વમાં રુચિ નહિ તેમ અરુચિ પણ નહિ એવા મિશ્રપરિણામરૂપે વેદાય તે મિશ્રમોહનીય. (પ્ર)-સમ્યક્તવેદનીય કર્મને દર્શનમોહનીય કેમ કહેવાય?તે તો પ્રમાદિ પરિણામનું કારણ હોવાથી દર્શનમાં મોહ ' ઉત્પન્ન કરતું નથી. (ઉ0)–અહીં સમ્યક્તવેદનીય મિથ્યાત્વમોહનીયની પ્રકૃતિ છે, પરંતુ તેના પુદ્ગલો વિશુદ્ધ હોવાથી ક્ષયોપશમ સમ્યક્તનો પ્રતિબંધ કરતા નથી, તેથી દેશભડરૂપ અતિચારનો સંભવ છે. વળી તે પથમિક તથા શાયિક સમ્યગ્દર્શનમાં મોહ ઉત્પન્ન કરે છે-તેને રોકે છે માટે દર્શનમોહનીય કહેવાય છે. ચારિત્રમોહનીય બે પ્રકારે છે–કષાયવેદનીય અને નોકષાયવેદનીય. તેમાં જે ક્રોધાદિ કષાયરૂપે વેદાય તે કષાયવેદનીય અને જે સ્ત્રીવેદાદિ નોકષાય રૂપે વેદાય તે નોકષાયમોહનીય. તેમાં કષાયમોહનીય સોળ પ્રકારે છે. કારણ કે ક્રોધ, માન, માયા અને લોભના પ્રત્યેકના અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનરૂપ ચાર ચાર ભેદો થાય છે. તેમાં જે અનન્ત સંસારના અનુબન્ધ કરવાના સ્વભાવવાળો કષાય તે અનન્તાનુબન્ધી 212
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy