________________
तेविसइम कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ ઢંઢોળવા વગેરેથી જાગૃત થાય છે. માટે સુખપૂર્વક જાગૃતિનું કારણ નિદ્રાથી આનું અધિકપણું છે. તે વિપાક વડે વેચવા લાયક કર્મપ્રકૃતિ પણ ઉપચારથી ‘નિદ્રાનિદ્રા' કહેવાય છે. “પ્રવતતિ વચ્ચે બેઠેલા તથા ઉભો રહેલ ડોલે, ઝોકાં ખાય જેનિદ્રાવસ્થામાં તે પ્રચલા. તે વિપાક વડે વેચવા લાયક કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે. “યતાપતા' પ્રચલાથી અધિક જે પ્રચલા તે પ્રચલાપ્રચલા, પૂર્વની પેઠે મધ્યમપદલોપી સમાસ જાણવો. કારણ કે તે ચાલનારને પણ ઉદયમાં આવે છે. તેથી એક સ્થાને બેઠેલા કે ઉભા રહેલા ઉંઘનારને પ્રાપ્ત થતી પ્રચલાની અપેક્ષાએ પ્રચલાપ્રચલાનું અધિકપણું છે. ‘થીખી'સ્યાન-પિંડરૂપ થયેલી-એકઠી થયેલી ઋદ્ધિ-આત્મશક્તિ જે નિદ્રાવસ્થામાં હોય તે સ્વાદ્ધિ. તે નિદ્રાના સદ્ભાવમાં પ્રથમ સંઘયણવાળાને વાસુદેવના અર્ધબલ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રવચનમાં એવી એક કથા છે કે-કોઈ સ્થળે સ્થાનદ્ધિ નિદ્રાવાળો કોઇ એક ક્ષુલ્લક (સાધુ) હતો, તેને દિવસે એક હાથીએ રોકી રાખ્યો. તેથી તેને હાથી ઉપર ખુબ ગુસ્સો આવ્યો. રાત્રે સ્વાદ્ધિ નિદ્રાના ઉદયમાં ઊઠીને તેણે હાથીના દાંત ઉખેડી નાંખ્યા અને તેને ઉપાશ્રયના વારસામાં મૂકી તે સૂઈ ગયો. ઇત્યાદિ.
ચક્ષુ વડે દર્શન-સામાન્ય અવબોધ તે ચક્ષુદર્શન, તેને આચ્છાદાન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય. અચક્ષુ-ચક્ષુ સિવાય બાકીની ઇન્દ્રિયો અને મન, તે વડે દર્શન-સામાન્ય અવબોધ તે અચક્ષુદર્શન', તેને આવરણીય-આચ્છાદાન કરનાર કર્મ તે અચક્ષુદર્શનાવરણીય. અવધિરૂપ દર્શન તે અવધિદર્શન, ઇન્દ્રિયાદિની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યનો સામાન્ય અવબોધ, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણ. કેવલ રૂપ દર્શન-રૂપી અને અરૂપી સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોનો ઇન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવબોધ તે કેવળ દર્શન. તેનું આચ્છાદાન કરનાર કર્મ તે કેવળદર્શનાવરણીય. અહીં નિદ્રાદિ પાંચ પ્રકૃતિઓ ચક્ષુદર્શનાવરણીયાદિના ક્ષયોપશમ વડે પ્રાપ્ત થયેલી દર્શન લબ્ધિનો ઉપઘાત કરે છે અને દર્શનાવરણચતુષ્ક મૂળથી દર્શનલબ્ધિનો ઘાત કરે છે. આ સંબધે ગંધહસ્તી (સિદ્ધસેનગણિ) કહે છે-“નિદ્રા : સમાધિમતાથી ટર્શનષેપલાતે વર્તને, દર્શનાવરાવતુષ્ટાં તળુમોઓરિવાર્ સમૂત્તષત હન્તિ ટર્શનશ્વેિતા" નિદ્રાદિ પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વર્તે છે અને દર્શનાવરણચતુષ્ક તેની ઉત્પત્તિનું ઉચ્છેદક હોવાથી મૂળથીજ દર્શન લબ્ધિનો ઘાત કરે છે. અને તેના ઘાત કરવા છતાં તથા સ્વભાવથી અને ક્ષયોપશમથી અવશિષ્ટ રહેલી દર્શનલબ્ધિનો નિદ્રાદિ ઘાત કરે છે. ૧૪૬૧૨ वेयणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते,तं जहा-सातावेयणिज्जे य असातावेयणिज्जे य। सातावेयणिज्जे णं भंते! कम्मे पुच्छा। गोयमा! अट्ठविहे पन्नते, तं जहा-मणुण्णा सद्दा, जाव कायसुहया। असायावेदणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! अट्ठविहे पन्नत्ते, तं जहा-अमणुण्णा सद्दा, जाव વાયવુદયા તૂ૦-/૬રૂા. (મૂ૦) હે ભગવન્! વેદનીય કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ! બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે–૧ સાતાવેદનીય અને
અસાતાવેદનીય. હે ભગવન્! સાતાવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ મનોજ્ઞ શબ્દો, યાવત્ કાયસુખ–શારીરિક સુખ. હે ભગવન્! અસતાવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ
પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ અમનોજ્ઞ શબ્દો, યાવત્ કાયદુ:ખ-શારીરિક દુઃખ. ll૧૫ll૬૧૭ll (ટીવ) વેદનીયકર્મ બે પ્રકારનું છે–સાતાવેદનીય અને અસતાવેદનીય. જે સાત-સુખરૂપે વેદાય છે તે સાતાવેદનીય અને તેથી વિપરીત તે અસાતાવેદનીય. તાત્પર્ય એ છે કે જેના ઉદયથી શારીરિક અને માનસિક સખ વેદે તે સાતાવેદનીય. અને જેના ઉદયથી
૧. ચક્ષુ કે ઇતર ઇન્દ્રિયો દ્વારા તથા મન સિવાય સામાન્ય ઉપયોગ પ્રવર્તે છે તેને પણ અચક્ષુદર્શન કહેવામાં આવે છે, તેથી ભવાન્તરમાં જતા જીવને ઇન્દ્રિય
અને મન સિવાય અચસુદર્શન શાસ્ત્રમાં માનેલું છે. ૨. કેવલદર્શનાવરણ કેવલદર્શનલબ્ધિનો સર્વથા ઘાત કરે છે, પરન્તુ તથાસ્વભાવથી થોડો અંશ અનાવૃત-ખુલ્લો રહે છે, તેને અવધિદર્શનાવરણાદિ ઘાત
કરે છે અને તેના ક્ષયોપશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિનો નિદ્રાદિ ઘાત કરે છે. માટે દર્શનાવરણચતુષ્ક સમુલ ઘાત કરે છે. અને નિદ્રાદિ પ્રાપ્ત દર્શનલબ્ધિનો ઘાત કરે છે.
211