SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं સુગન્ધી પુદ્દગલના પરિણામથી સુબંધુ નામના પ્રધાનની પેઠે ભોગાન્તરાયાદિ થાય છે. તથા વિસસા વડે વિચિત્ર શીત વગેરે રૂપ પુદ્ગલપરિણામને વેદે છે, જેમ કે વસ્રાદિ આપવાની ઇચ્છાવાળા છતાં પણ ઠંડી વગેરે પડતી જોઇને દાનાન્તરાયાદિના ઉદયથી તેને આપતા નથી એમ દેખાય છે, તે તેના પ્રભાવથી જાણવું. એ પરને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વને આશ્રયી કહે છ—તે અન્તરાયકર્મ પુદ્ગલોના ઉદય વડે અન્તરાયકર્મનું ફળ વેદે છે. ‘એ અન્તરાય કર્મ છે’ ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. ૧૨૬૧૦ના ત્રેવીશમાં કર્મપ્રકૃતિપદની ટીકાના અનુવાદમાં પ્રથમ ઉદ્દેશક સમાપ્ત. बीओ उद्देसो | मूलोत्तरपयडिभेद परूवणं कति णं भंते! कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा -- णाणावरणिज्जं, जाव अंतराइयं। णाणावरणिज्जे गं भंते! कम्मे कतिविहे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहाआभिणिबोहियणाणावरणिज्जे, जाव केवलणाणावरणिज्जे ।। सू०-१३।।६११ ।। (મૂળ) હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. તે આ પ્રમાણે—૧ જ્ઞાનાવરણીય, યાવત્ ૮ અન્તરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે—૧ આભિનિબોધિક જ્ઞાનાવરણીય, યાવત્ પ કેવલજ્ઞાનાવરણીય. ૧૩૬૧૧/ (ટી૦) પ્રથમ ઉદ્દેશકની વ્યાખ્યા કરી, હવે બીજા ઉદ્દેશકની વ્યાખ્યા કરવાની છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે—પૂર્વના ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો વિપાક કહ્યો, અને અહીં તેજ જ્ઞાનાવરણીયાદિ કર્મની ઉત્તર પ્રકૃતિઓના વિભાગ કહેવાનો છે. તેમાં વિશેષ જાણવા માટે ફરીથી પણ મૂળ પ્રકૃતિ સંબન્ધુ પ્રશ્ન અને ઉત્તરરૂપે સૂત્ર કહે છે—‘રૂ નું મંતે !’ઇત્યાદિ. હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ —ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. હવે ‘યશોદ્દેશ નિર્દેશ ' ઉદેશના ક્રમને અનુસરી નિર્દેશ થાય છે. વસ્તુનું નામમાત્રથી કથન કરવું તે ઉદ્દેશ. અને વિસ્તારથી કહેવું તે નિર્દેશ. એ ન્યાયને અનુસરી જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ · સંબન્ધે સૂત્ર કહે છે—‘બાળાવધિને ખં મંતે!' હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારેછે? ઇત્યાદિ. અહીં આભિનિબોધિકાદિ શબ્દનો અર્થ ઉપયોગપદમાં કહેશે. તેનો વિગ્રહ આ પ્રમાણે છે-આમિનિોધિસ્યાવરણીય-આભિનિબોધિક જ્ઞાનાવરણીય. એમ શ્રુતજ્ઞાનાવરણીય ઇત્યાદિને વિષે જાણવું. ।।૧૩।।Ē૧૧|| दरिसणावरणिज्जे गं भंते! कम्मे कतिविहे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - निद्दापंचए य दंसणचउक्कए य। निद्दापंच णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा - निद्दा जाव थीणगिद्धी । दंसणचउक्कए vi॰ પુચ્છા નોયમા! ષડવિષે પત્નત્તે, તં નહા–વલ્લુરતળાવાિને, નાવ જેવલવંતળાવશિને સૂ ૪૦૬૬૨૦૦ (મૂળ) હે ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! બે પ્રકારનું કહ્યું છે? તે પ્રમાણે-૧ નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક. હે ભગવન્! નિદ્રાપંચક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે−૧ નિદ્રા, યાવત્ પસ્યાનદ્ધિ. હે ભગવન્!દર્શનચતુષ્ક કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું છે?તે આ પ્રમાણે-૧ ચક્ષુદર્શનાવરણીય, યાવત્ ૪ કેવલદર્શનાવરણીય. ૧૪૬૧૨॥ (ટી૦) હવે દર્શનાવરણીયની ઉત્તરપ્રકૃતિઓ કહે છે–‘વરિક્ષળાવખિન્ગે ાં મંતે!' ઇત્યાદિ. હે ભગવન્! દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિઓ કેટલી છે–ઇત્યાદિ. ‘નિદ્રા’ અહીં દ્રા ધાતુ કુત્સા–નિંદાના અર્થમાં છે. ‘નિયતં દ્રાતિ યસ્યાં’ જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાને એટલે અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા. અથવા ત્રૈ ધાતુ સુવાના અર્થમાં છે, જે અવસ્થામાં ચપટી વગાડવા માત્ર વડે પ્રાણી જાગૃત થાય એવી ઉંઘ તે નિદ્રા. તે વિપાક વડે વેદવા લાયક કર્મપ્રકૃતિ પણ કારણને વિષે કાર્યના ઉપચારથી નિદ્રા કહેવાય છે. નિદ્રાથી અધિક નિદ્રા તે નિદ્રાનિદ્રા. અહીં મધ્યમપદલોપી સમાસ છે. તે અવસ્થામાં ચૈતન્ય અત્યન્ત અસ્પષ્ટ હોવાથી ઘણા 210
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy