SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइम कम्मपयडीपयं कतिविधाणुभाव दारं श्री प्रज्ञापना सूत्र भाग २ કહ્યો છે-ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે “નીયાગોયલ્સ | ભંતે'! હે ભગવન્! નીચ ગોત્રનો કેટલા પ્રકારનો વિપાક છે. ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું, ઉત્તર–આઠ પ્રકારનો વિપાક છે. તે આઠ પ્રકાર બતાવે છે- “જાતિવિહીનતા' ઇત્યાદિ–સુપ્રસિદ્ધ છે. જે વેએઇ પુગ્ગલ' ઇતિ.જે નીચ કર્મ કરવા રૂપ અથવા નીચ પુરુષના સંબંધરૂપ પુગલને વેદે છે. જેમ કે, ઉત્તમ જાતિયુક્ત અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય તો પણ જો નીચ કર્મ કરવાથી આજીવિકા રૂપ કર્મ કરે, અથવા ચંડાલ સ્ત્રીની સાથે (નીચ કોમની કોઈપણ સ્ત્રીની સાથે) મૈથુન સેવે ત્યારે ચાંડાલાદિની પેઠે મનુષ્યને નિંદવા લાયક થાય છે. બલહિનતા સુખશયાદિના સંબંધથી હોય છે. “રૂપવિહિનતા' ખરાબ વસ્ત્રાદિના સંબંધથી થાય છે, ‘તપોવિહીનતા” પાસત્યાદિના સંસર્ગથી થાય છે. શ્રુતવિહીનતા’ વિકથામાં તત્પર સાધ્વાભાસ-સાધુના જેવા લાગતા કુસાધુઓના સંસર્ગથી થાય છે. “લાભવિહીનતા દેશ કાળને અયોગ્ય ખરાબ કરીયાણાના સંબંધથી થાય છે. ‘એશ્વર્યવિહીનતા” ખરાબ ગ્રહો અને ખરાબ સ્ત્રીના સંબંધથી થાય છે. પુત્તેિ'ઇતિ. એવા પ્રકારના જે ઘણા પુદ્ગલોને વેદે છે. રીંગણાના વગેરેના આહારના પરિણામરૂપ પુગલપરિણામને વેદે છે. રીંગણા ખાધા હોય તો તે ખરજ ઉત્પન્ન કરવા વડે રૂહીનતા કરે છે. કહેલ મેઘના આગમનથી વિરુદ્ધ લક્ષણરૂપ વિસસા પુદ્ગલપરિણામને વેદે છે. તેના પ્રભાવથી નીચગોત્ર કર્મ વેદે છે. એટલે જાત્યાદિ વિહીનતારૂપ નીચગોત્ર કર્મનું ફળ જાત્યાદિ વિહીનપણું વેદે છે. એટલા વડે પરને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છ– તેસિ વા યે' તે નીચગૌત્ર કર્મયુગલોના ઉદય વડે જાત્યાદિ તીનપણાને અનુભવે છે ગોયમા'!હે ગૌતમ! એ નીચગોત્ર કર્મ છે' ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. I/૧૧/૬૦૯ अंतराइयस्सणं भंते। कम्मस्स जीवेणं० पुच्छा। गोयमा! अंतराइयस्सणं कम्मस्स जीवेणं बद्धस्स जाव पंचविहे अणुभावे पण्णत्ते, तं जहा-दाणंतराए लाभंतराए भोगंतराए उवभोगंतराए वीरियंतराए, जं वेदेति पोग्गलं वा पोग्गले वा जाव वीससा वा पोग्गलाणं परिणामं वा तेसिं वा उदएणं अंतराइयं कम्मं वेदेति। एस णं गोयमा अंतराइए कम्मे। एस णं गोयमा! जाव पंचविहे अणुभावे पन्नत्ते ।।सू०-१२।।६१०।। पण्णवणाए भगवईए तेवीसतितमस्स पयस्स पढसो उद्देसो समत्तो २३-१ । (મૂ૦) હે ભગવન્! જીવે બાંધેલા અન્તરાય કર્મનો કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ! જીવે બાંધેલા અન્તરાય કર્મનો યાવતુ પાંચ પ્રકારનોવિપાક કહ્યો છે. તે આ પ્રમાણે–૧દાનાત્તરાય, ૨લાભાન્તરાય, ડભોગાન્તરાય, ૪ ઉપભોગાત્તરાય અને પવીત્તરાય. જે યુગલને યાવત્ વિસસા પુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે અત્તરાય કર્મવેદ છે. હે ગૌતમ! એ અન્તરાય કર્મ છે. હે ગૌતમ! એ અત્તરાય કર્મનો પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે. /૧૨/૬ ૧૦ પ્રથમ ઉદેશક સમાપ્ત. (ટી.)‘અંતરાયણ મંતે'!–હે ભગવન્! અન્તરાય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તર-પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે. તે પાંચ પ્રકાર દર્શાવે છે—‘તાવંતરાણ' ઇત્યાદિ. દાનાન્તરાય-દાનનો અન્તરાય-વિધ્વરૂપ કર્મ, એ પ્રમાણે બધે સ્થળે જાણવું. તેમાં દાનાન્તરાય દાનાન્તરાય કર્મનું ફળ છે અને લાભાન્તરાયાદિલાભાન્તરાયાદિ કર્મના ફળો છે. “ વેણ પુતિં વા' ઇત્યાદિ. જે તેવા પ્રકારના વિશિષ્ટ રત્નાદિરૂપ પુદ્ગલ વેદે છે, જેમકે ઉત્તમ રત્નાદિના સંબંધથી તેના વિષયમાં જ દાનાંતરાયનો ઉદય જણાય છે; તે રત્નાદિના સંધિ—પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાન્તરાયકર્મનો ઉદય થાય છે. ઉત્તમ આહારના સંબન્ધથી અથવા અમૂલ્ય વસ્તુના સંબન્ધથી લોભવડે ભોગાન્તરાયનો ઉદય થાય છે. એ પ્રમાણે ઉપભોગાન્તરાય કર્મના ઉદયનો પણ વિચાર કરવો. તથા લાકડી વગેરે વાગવાથી વીર્યાન્તરાય કર્મનો ઉદય થાય છે. पुग्गले वा' જે તેવા પ્રકારના ઘણા યુગલોને વેદે છે, જે તેવા પ્રકારના આહાર અને ઔષધી વગેરેના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે. જેમ કે શાસ્ત્રમાં તેવા આહાર અને ઔષધના પરિણામથી વીર્યાન્તરાય કર્મનો ઉદય થાય છે. મગ્ન વડે સંસ્કારિત વાસક્ષેપાદિ 209
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy