SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ बावीसतिमं किरियापयं जीवाईसुएगत्तपुहत्तेहिं किरियापरूवणं જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચ પાંચ કિયાવાળા હોય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠે કર્મ પ્રવૃતિઓ કહેવી. એમ એકવચન અને બહુવચનના સોળ દંડકો થાય છે. //પા૫૮૭ll (ટી૦) નીi પંજો'–હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો અહીં કેટલી ક્રિયાવાળો હોય? ઇત્યાદિ. પૂર્વના સૂત્રની સાથે આ સૂત્રનો પણ શો સંબન્ધ છે? ઉત્તર-અહીં પૂર્વે કહ્યું કે “જીવ પ્રાણાતિપાત વડે સાત કે આઠ પ્રકારના કર્મ બાંધે છે અને તે જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો જીવ કેટલી ક્રિયાઓ વડે તેજ પ્રાણાતિપાતને કરે છે તે અહીં પ્રતિપાદન કરાય છે. વળી પ્રાણાતિપાતના કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મ વડે તેના કારણ ભૂત પ્રાણાતિપાતની ઉત્પત્તિનો ભેદ બતાવાય છે, અને પ્રાણાતિપાતની ઉત્પત્તિના ભેદથી બન્ધ વિશેષ પણ થાય છે, એ સંબધે કહ્યું છે ક– " "तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च हिंसा समाप्यते क्रमशः । बन्धोऽस्य विशिष्टः स्याद् योगप्रद्वेषसाम्यं चेत्"। ત્રણ, ચાર અને પાંચ ક્રિયાઓ વડે અનુક્રમે હિસાં સમાપ્ત થાય છે અને તેમાં યોગ અને દ્વેષની સમાનતા હોય તો એનો વિશિષ્ટ બન્ધ થાય છે. તેજ પ્રાણાતિપાતની ઉત્પત્તિનો ભેદ બતાવે છ–કદાચિત્ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચિત્ ચાર ક્રિયાવાળો હોય, અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો હોય. તેમાં કાયિકી, અધિકરણિકી અને પ્રાપ્લેષિકી ક્રિયા વડે ત્રણ ક્રિયા હોય છે. કાયિકી એટલે હસ્ત, પાદાદિ અવયવોનો વ્યાપાર-પ્રવૃતિ, અધિકરણિકી-ખજ્ઞાદિ અધિકરણ સજ્જ કરી તૈયાર રાખવા, એને મારીશ એવું અપ્રશસ્ત મન કરવું તે પ્રાàષિકી, કાયિકી અધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી ક્રિયા વડે ચાર ક્રિયા હોય છે. પારિતાપનિકી-ખગાદિના ઘા વડે પીડા કરવી. જ્યારે પાંચમી પ્રાણાતિપાત ક્રિયા હોય છે ત્યારે પાંચ ક્રિયા થાય છે. પ્રાણાતિપાત ક્રિયા એટલે જીવિતથી જુદા કરવું. એ પ્રમાણે નરયિકથી આરંભી ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સૂત્ર સુધી કહેવું. સૂત્રપાઠ આ પ્રમાણે – હે ભગવન્!ૌરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય–ઇત્યાદિ. એ પ્રમાણે એક જીવને આશ્રયી દંડક કહ્યો. હવે ઘણા જીવોને આશ્રયી કહે છે-“નીવા . અંતે'-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે, ભગવાન્ ઉત્તર કહે છે-જીવો ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા, અને પાંચ ક્રિયાવાળા પણ હોય છે. તાત્પર્ય એ છે કે-જ્ઞાનાવરણીય કર્મ બાંધનારા જીવો હમેશાં ઘણા હોય છે માટે ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા પણ ઘણા હોય છે. એ પ્રમાણે એકજ ભંગ થાય છે. જેમ સામાન્યતઃ જીવ પદને આશ્રયી ભાંગાનો અભાવ છે તેમ નરયિકાદિ ચોવીશે દંડકોને આશ્રયી પોતપોતાને સ્થાને પ્રત્યેકને ભાંગાનો અભાવ જાણવો. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નૈરયિકાદીમાં પણ હમેશાં ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા ઘણા હોય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મને આશ્રયી એક જીવ અને અનેક જીવની અપેક્ષાએ બે દંડક કહ્યા તેમ દર્શનાવરણીયાદિ કર્મને આશ્રયી પણ પ્રત્યેકને બબ્બે દંડકો કહેવા. તેથી બધા મળીને સોળ દંડક થયા. //પા૫૮૭ll || નીવાર્ફમુ.પુત્તેિëિ વિરિચારૂવM II. जीवे णं भंते! जीवातो कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए। जीवे णं भंते नेरइयाओ कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सियचतुकिरिए, सिय अकिरिए, एवं जाव थणियकुमाराओं। पुढविक्काइया-आउक्काइया-तेउक्काइया-वाउक्काइय'-वणप्फइकाइय-बेइंदिय-तेइंदिय-चउरिदियपंचिंदियतिरिक्खजोणिय-मणूस्सातो जहा जीवातो, वाणमंतर-जोइसिय-वेमाणियाओ जहा नेरइयाओ। जीवे णं भंते! जीवेहितो कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए। १. पुढवीकाइयाओ आउक्काइयाओ तेउष्काइयो वाउक्काइयाओ वणस्सतिकाइयाओ इति पाठान्तर - 176
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy