SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ बावीसतिमं किरियापयं जीवाईसुकम्मबंधमहिकिच्चकिरियापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ કરનારા હોય અને કોઈ એક આઠ પ્રકૃતિઓનો બન્ધ કરનાર હોય. અથવા સાત પ્રકૃતિઓના બાંધનારા હોય અને આઠ પ્રકૃતિઓના બાંધનારા હોય. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારોને જાણવું. પૃથિવીકાય, અકાય, તેજસ્કાય, વાયકાય અને વનસ્પતિકાયિકો એ બધા ઓધિક-સામાન્ય જીવોની પેઠે જાણવા. અને બાકીના બધા નૈરયિકોની પેઠે જાણવા. એ પ્રમાણે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભાંગા બધે કહેવા. અને તે યાવત્ મિથ્યાદર્શનશલ્ય સુધી કહેવું. એમ એકવચન અને બહુવચનના છત્રીશ દંડકો થાય છે. ૪પ૮૬/l (ટી) એ પ્રમાણે અઢાર પાપસ્થાનકોને આશ્રયી જીવોની ક્રિયા અને તેઓનો વિષય બતાવ્યો, હવે તે અઢાર પાપસ્થાનકોને આશ્રયી જીવો એકવચન તથા બહુવચન વડે કેટલી કમ પ્રકૃતિઓ બાંધે?તે બતાવવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“ની જે અંતે –હે ભગવન્! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ઇત્યાદિ સૂત્ર સુગમ છે. પરન્તુ આયુષ્યના બન્ધના અભાવે સાત પ્રકૃતિઓ બાંધે છે અને જ્યારે આયુષ્યનો બન્ધ કરે ત્યારે આઠ પ્રકૃતિઓ બાંધે છે. બહુવચનમાં અનેક જીવોના બન્ધના વિચારમાં સામાન્યપણે જીવપદને આશ્રયી સાત પ્રકૃતિઓ બન્ધ કરનારા અને આઠ પ્રકૃતિઓના બન્ધ કરનારા પણ ઘણા જીવો . હોય છે તેથી બન્ને સ્થળે બહુવચનરૂપ એ એકજ ભાંગો હોય છે. નૈરયિક સૂત્રમાં સાત પ્રકૃતિઓનો બન્ધ કરનારા અવસ્થિત જ હોય છે, કારણ કે હિંસાદિ પરિણામવાળા હમેશાં ઘણા જીવોને સાત પ્રકૃતિઓનો બન્ધ અવશ્ય થાય છે. તેથી જ્યારે એક પ આઠ પ્રકૃતિઓનો બાંધનાર ન હોય ત્યારે બધા સાત પ્રકૃતિઓને બાંધનારા હોય' એ એક ભાંગો હોય છે. જ્યારે એક આઠ પ્રકૃતિઓનો બાંધનાર હોય અને બાકી બધા સાત પ્રકૃતિઓને બાંધનાર હોય ત્યારે ઘણા સાત પ્રકૃતિઓના બન્ધક જીવો અને એક પ્રકૃતિનો બન્ધક જીવ-એ બીજો ભાંગો હોય છે. જ્યારે આઠ પ્રકૃતિઓના બાંધનારા પણ ઘણા જીવો હોય ત્યારે બન્ને સ્થળે બહુવચનરૂપ ઘણા સાત પ્રકૃતિઓના બાંધનારા અને આઠ પ્રકૃતિઓના બાંધનારા હોય-એ ત્રીજો ભાગો થાય છે. એ પ્રમાણે ત્રણ ભાંગા વડે અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો કહેવા. જેમ સામાન્યથી જીવો કહ્યા તેમ પૃથિવી, પાણી,અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિકો કહેવા. અને બન્ને સ્થળે પણ બહુવચનને આશ્રયી એક જ ભાંગો કહેવો, કારણ કે હિંસાના પરિણામવાળા પ્રત્યેક પૃથિવીકાયિકાદિ જીવો સાત પ્રકૃતિઓનો બન્ધ કરનારા કે આઠ પ્રકૃતિઓનો બન્ધ કરનારા હમેશાં ઘણા હોય છે. બાકીના બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો જેમ ત્રણ ભાંગા વડે નૈરયિકો કહ્યા તેમ કહેવા. જેમ પ્રાણાતિપાત વડે એકવચન અને બહુવચનને આશ્રયી બે દંડકો કહ્યા તેમ સર્વ પાપસ્થાનો વડે પણ પ્રત્યેકના બબ્બે દંડકો ‘નાવ બિછાવંસળસત્તે' વાવ –મિથ્યાદર્શન શલ્ય વડે કહેવા. બધી સંખ્યા મળી કેટલા દંડકો થાય? એ માટે સૂત્રકાર કહે છે–પર્વ પાપોહત્તિયા છત્ત લંડ તિ' એ પ્રમાણે એકવચન અને બહુવચનના મળી છત્રીશ દંડકો થાય છે, કારણ કે અઢારને બેએ ગુણવાથી છત્રીશ થાય છે. જાપ૮૬/l. || जीवाईसुकम्मबंधमहिकिच्चकिरियापरूवणं ।। जीवे णं भंते! णाणावरणिज्जं कम्मं बंधमाणे कति किरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, एवं नेरइए जाव वेमाणिए। जीवा णं भंते। णाणावरणिज्जं कम्मं बंधमाणा कति किरिया? गोयमा! तिकिरिया, चउकिरिया वि, पंचकिरिया वि, एवं नेरइया निरंतरंजाव वेमाणिया। एवं दरिसणावरणिज्ज वेयणिज्ज मोहणिज्ज आउयं नामंगोत्तं अंतराइयं च 'अट्ठविहकम्मपगडीओ भाणियव्वाओ, एगत्त-पोहत्तिया सोलसदंडगा Iટૂ૦-૧૧૮થી (મૂળ) હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચિત ચાર | ક્રિયાવાળો અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો હોય. એમ નરયિક યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! જીવો १. 'दरिसणावरणिय बे' पाठान्तर; २. 'अट्ठ वि कम्म पगडीओ' पाठान्तर " 175
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy