SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ बावीसतिमं किरियापयं जीवाईसु किरियाहेऊहिं कम्मपगडिबंधपरूवणं સસ્તુનોઅષલાપ કરવો અને અસત્ની પ્રરૂપણા કરવી તે મૃષાવાદ. અને તે લોકાલોકમાં રહેલી બધી વસ્તુ વિષે પણ સંભવ છે. તેથી મૃષાવાદ સૂત્રમાં કહ્યું છે કે ‘સવ્વ∞સુ' મૃષાવાદક્રિયા સર્વ દ્રવ્યોને વિષે હોય છે. અહિં દ્રવ્યનું ગ્રહણ પર્યાયનું ઉપલક્ષણસૂચક છે, તેથી પર્યાયોને વિષે પણ જાણવું. તથા જે વસ્તુ ગ્રહણ કે ધારણ કરી શકાય તેનું જ આદાન—ગ્રહણ થાય છે, બાકીનાનું જે ગ્રહણ થતું નથી. માટે અદત્તાદાન સૂત્રમાં ‘વહળધારગિન્ગેસુ ∞સુ' અદત્તાદાનક્રિયા ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક દ્રવ્યને વિષે હોય છે—એમ કહ્યું તેમ મૈથુનનો વિચાર ચિત્ર, લેપ અને કાષ્ઠાદિના બનાવેલાં રૂપોમાં અને રૂપસહિત સ્ત્રી વગેરેમાં હોય છે. તેથી મૈથન સૂત્રમાં કહ્યું છે કે ‘વેસુ વા વસાણું ડ્વેસુ વા' મૈથુનક્રિયા રૂપો અને રૂપસહિત દ્રવ્યોમાં હોય છે. તથા પરિગ્રહ–સ્વસ્વામિભાવ સંબન્ધ વડે મૂર્છા–આસક્તિ, અને તે પ્રાણીઓને અતિશય લોભથી સર્વે વસ્તુને વિષે થાય છે. તેથી પરિગ્રહ સૂત્રમાં કહ્યું કે ‘સવ્વવત્નેસુ’–પરિગ્રહક્રિયા સર્વ દ્રવ્યોને વિષે હોય છે. આજ હેતુથી શાસ્ત્રમાં બીજે સ્થળે પણ પ્રથમ વ્રત સર્વજીવવિષયક કહ્યું છે. બીજું મૃષાવાદ વિરમણ અને છેલ્લું પરિગ્રહવિરમણ વ્રત સર્વે વસ્તુને વિષે તથા ત્રીજું અને ચોથું તેના– સર્વ વસ્તુના એક દેશ–ભાગને વિષે હોય છે. એ સંબન્ધે કહ્યું છે ક— “पढमंमि सव्व जीवा बीए चरिमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु तदेकदेसम्मि नायव्वा " ॥ પહેલા મહાવ્રતનો વિષય સર્વ જીવો, બીજા અને છેલ્લા મહાવ્રતનો વિષય સર્વ દ્રવ્યો અને બાકીના મહાવ્રતો તેના એક દેશને વિષે જાણવા. ક્રોધાદિ સુપ્રસિદ્ધ છે. પરન્તુ કલહ–રાડો પાડવી, અભ્યાખ્યાન-ખોટા દોષનો આરોપ કરવો. જેમ કે ચોર નહિ હોવા છતાં ‘તું ચોર છો, પરસ્ત્રી ગમન નહિ કરનારને પણ તું પરસ્ત્રીલંપટ છો' એમ કહેવું ઇત્યાદિ. અભ્યાખ્યાનનો મૃષાવાદમાં પણ સમાવેશ થાય છે તો પણ આ મોટો દોષ છે એમ જાણી જુદું ગ્રહણ કર્યુ છે. વૈશૂન્ય-પરોક્ષમાં સાચા અથવા ખોટા દોષો પ્રકટ કરવા. પ૨પરિવાદ–ઘણા માણસોની સમક્ષ બીજાના દોષો કહેવા. રતિ અને અરતિ પ્રસિદ્ધ છે, અને બન્ને મળીને એક પાપસ્થાન છે. ‘માયામોત્તે’ઇતિ માયામૃષાવાદ–માયા-કપટ અને મૃષા–જુદું, કપટ પુર્વક જુઠું બોલવું. અહીં સમુદાયની વિવક્ષા કરેલી છે અને મહા કર્મબન્ધનું કારણ છે માટે માયા અને મૃષાવાદથી જુદું પાપસ્થાન કહ્યું છે. તથા ‘મિચ્છાસળસત્ત્તાં’ઇતિ. મિથ્યાદર્શન રૂપ શલ્ય તે મિથ્યાદર્શનશલ્ય, તે વડે–આ હમણાં કહેલા પદોના કથન વડે ‘અદૃારસ પણ દંડા' બતાવેલા બધા મળીને અઢાર દંડકો થાય છે. કારણ કે પ્રાણાતિપાતદિ અઢાર પાપસ્થાનકો છે. ૩૫૮૫ || जीवाईसु किरियाहेऊहिं कम्मपगडिबंधपरूवणं || . जीवे णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधति ? गोयमा ! सत्तविहबंधए वा अट्ठविधबंधए वा । एवं नेरइए जाव निरंतरं वेमाणिए । जीवा णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधति ? गोयमा! सत्तविहबंधगाव अट्ठविहबंधगा वि। नेरइया णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधति ? गोयमा ! सव्वेवि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । एवं असुरकुमारा वि जाव थणियकुमारा । पुढवि - आउ-तेउ वाउ - वणप्फइकाइया य एते सव्वे वि जहा ओहिया जीवा, अवसेसा जहा नेरइया । एवं एते जीवेगिंदियवज्जा तिण्णि तिण्णि भंगा सव्वत्थ भाणियव्व त्ति', जाव मिच्छादंसणसल्लेणं, एवं एगत्तपोहत्तिया छत्तीसं दंडगा होंति । ॥ सू० - ४ । ५८६ ।। (મૂળ) હે ભગવન્! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ભગવન્! સાત પ્રકૃતિઓ બાંધે કે આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી માંડી નિરન્તર વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધા જીવો સાત પ્રકૃતિઓ બાંધે અને આઠ પ્રકૃતિઓ બાંધે. હે ભગવન્! નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધાય સાત કર્મપ્રકૃતિના બાંધનારા હોય, અથવા બધા સાત પ્રકૃતિઓનો બંધ १. 'जाणियव्व' पाठान्तर 174
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy