SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ बावीसतिमं किरियापयं जीवेसु सकिरियत्त अकिरियत्तपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ અનુપરત–દેશથી કે સર્વથી જે સાવદ્ય-અશુભ યોગથી નિવૃત્ત થયેલો ન હોય તે, તેની જે કાયિકી ક્રિયા તે અનુપરતકાયિકી. આ ક્રિયા દરેક જીવને વિષે હોય છે. આ ક્રિયા અવિરતિને જાણવી, પણ દેશવિરતિ કે સર્વવિરતિને હોતી નથી. તથા દુષ્ટ પ્રયુક્તકાયાદિનો વ્યાપાર જેઓને છે તે દુષ્પ્રયુક્ત, તેને જે કાયિકી ક્રિયા તે દુષ્પ્રયુક્તકાયિકી. આ ક્રિયા પ્રમત્તસંયતને પણ હોય છે, કારણ કે પ્રમત્ત અવસ્થામાં કાયના દુષ્પ્રયોગનો–અશુભ વ્યાપારનો સંભવ છે. આધિકરણિકી ક્રિયા પણ બે પ્રકારની છે–સંયોજનાધિકરણિકી અને નિર્વર્તનાધિકરણિકી. તેમાં સંયોજન–પૂર્વે બનાવેલાં હળ, ગર (કાલાન્તરે મારનાર વિષ) અને ફુટ યન્ત્રાદિના અંગો મેળવવા, તેજ અધિકરણ–સંસારનો હેતુ હોવાથી સંયોજનાધિરણિકી કહેવાય છે. આ ક્રિયા પૂર્વે બનાવેલા હલાદિના અવયવો જોડી તૈયા૨ ક૨ના૨ને હોય છે. તથા નિર્વર્તન-તલવાર,શક્તિ,ભાલા અને તોમર વગેરે શસ્રોને મૂળથી બનાવવા તે નિર્વર્તનાધિકરણિક઼ી. અથવા પાંચ પ્રકારના ઔદારિકાદિ શરીરોનું ઉત્પન્ન કરવું તે પણ નિર્વર્તનાધિકરણકી કહેવાય છે, કારણ કે અશુભ પ્રવૃત્તિવાળું કે શરીર પણ સંસારવૃદ્ધિનું કારણ છે. પ્રાદેષિકી ક્રિયા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે–જે પ્રકા૨ે જીવો પોતાના, અન્યના કે ઉભયસ્વપર બન્નેના ઉપર અશુભ-અકુશલ મન ‘સંપ્રાતિ' ધારણ કરે,વિશેષતઃ ક૨ે તે કારણથી–ત્રણ પ્રકારનો વિષય હોવાથી ત્રણ પ્રકારની પ્રાàષિકી ક્રિયા છે. તે આ પ્રમાણે-કોઇ મનુષ્ય કોઇ કાર્ય પોતે કર્યુ અને તેનું પરિણામ ભયંકર થાય ત્યારે અવિવેકથી પોતાના ઉપર અશુભ મન ધારણ કરે, એ પ્રમાણે કોઇ બીજાના ઉપર, તેમજ કોઇ પોતાના અને ૫૨ના બન્નેના ઉપર અકુશલ મન ધારણ કરે છે. પારિતાપનિકી ક્રિયા પણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે–જે પ્રકારે કોઇ મનુષ્ય કોઇ પણ પ્રકા૨થી અવિવેક વડે પોતાનેજ દુઃખરૂપ અસાતા વેદના ઉત્પન્ન કરે, કોઇ બીજાને કરે, તથા કોઇ પોતાને અને બીજાને એમ બન્નેને ક૨ે તેથી સ્વ, ૫૨ અને ઉભયના ભેદથી ત્રણ પ્રકારની પરિતાપનિકી ક્રિયા છે. (પ્ર0)—જો એમ હોય તો લોચ કરવો, તપસ્યા કરવી વગેરે અનુષ્ઠાન નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે તે યથાસંભવ સ્વ, પર કે ઉભયને અશાતા વેદનાનું કારણ છે. (0)—તે અયુક્ત છે, કારણ કે તે પરિણામે હિતકારક હોવાથી ચિકિત્સાની પેઠે વિવેકથી થયેલા લોચ,તપોડનુષ્ઠાનાદિ અસાતાવેદનાનો હેતુ નથી. વળી (દુર્ધ્યાનનું કારણ) અશક્ય તપનો તો પ્રતિષેધ કરેલો છે. એ સંબન્ધે કહ્યું છે ક— “सो हु तवो कायव्वो जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी जेण य जोगा न हायंति " ॥ તે તપ કરવું કે જેથી મન અશુભ ચિંતન ન કરે, ઇન્દ્રિયોનો નાશ ન થાય અને યોગો ક્ષીણ ન થાય. “कायो न केवलमयं परिपालनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु, वश्यानि येन च तथाऽऽचरितं जिनानाम् ॥ કેવળ શરીરનું સારી રીતે રક્ષણ કરવું એમ નથી, તેમ મિષ્ટ એવા બહુ પ્રકારના રસો વડે લાલન કરવું એમ પણ નથી, જેમ મન અને ઇંદ્રિયો ઉન્માર્ગે ન જાય અને વશ રહે તે પ્રમાણે જિનોનું આચરણ છે. પ્રાણાતિપાત ક્રિયા પણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણ-નેળ અપ્પો' ઇત્યાદિ. જે પ્રકારે કોઇ અવિવેકી મનુષ્ય ભૈરવપ્રપાતપર્વતાદિ ઉપરથી પડવા વગેરેથી પોતાને જીવિતથી જુદો કરે, કોઇ દ્વેષાદિ વડે બીજાના જીવનનો નાશ કરે અને કોઇ પોતાના અને પરના જીવનનો નાશ કરે, માટે પ્રાણાતિપાતક્રિયા પણ ત્રણ પ્રકારની છે. આજ કારણથી ભગવંતે અકાળ મરણનો પણ પ્રતિષેધ કર્યો છે. કારણ કે તેથી પ્રાણાતિપાત ક્રિયાના દોષનો સંભવ છે. ।।૧૫૮૩॥ || जीवेसु सकिरियत्त अकिरियत्तपरूवणं ।। जीवाणं भंते! किं सकिरिया अकिरिया ? गोयमा ! जीव सकिरिया वि अकिरिया वि। से केणट्टेणं भंते! एवं वुच्चति'जीवा सकिरिया वि अकिरिया वि' ? गोयमा ! जीवा दुविहा पन्नत्ता, तं जहा संसारसमावण्णगां य असंसारसमावण्णगा य। तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, सिद्धा णं अकिरिया । तत्थ णं जे ते 171
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy