SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ इगवीसमं सरीरपयं पोग्गलचिणणादारं તૈજસ શસરની અવગાહના એ પ્રમાણે છે. પરન્તસૂત્રપાઠમાં ૩ä નાવ સયારું વિમળા'- ઉપર પોતાના વિમાન સુધી હોય છે, એમ કહેવું પણ “ä નાવ નવુમો પો'–ઉપર અય્યત દેવલોક સુધી હોય છે એમ ન કહેવું. કેમકે જ્યારે અચુત દેવનો વિચાર કરીએ ત્યારે તે ત્યાં હોવાથી તેને ઊર્ધ્વઉપરઅશ્રુતદેવલોક સુધી હોય-એ કેમ ઘટે? કેવળ અય્યત દેવ પણ કદાચિત ઉપર પોતાના વિમાનના પર્યન્ત સુધી જાય અને ત્યાં જઈ કાળ પણ કરે, તેથી કહ્યું છે કે “ઊર્ધ્વ-ઉપર પોતાના વિમાનો સુધી હોય.” શૈવેયક અને અનુત્તર દેવો તીર્થકરને વંદનાદિક પણ ત્યાં રહીને જ કરે છે, તેથી તેઓના આગમનનો અહીં અસંભવ હોવાથી આગળના અસંખ્યાતમા ભાગનું પ્રમાણ ઘટતું નથી, પરન્તુ જ્યારે વૈતાઢ્ય પર્વતમાં રહેલી વિદ્યાઘરની શ્રેણિઓમાં ઉત્પન્ન થાય ત્યારે પોતાના સ્થાનથી આરંભી નીચે વિદ્યાઘરની શ્રેણિ સુધી જઘન્ય તૈજસ શરીરની અવગાહના હોય છે. આથી પણ વધારે જઘન્ય અવગાહનાનો સંભવ નથી. ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી હોય છે, કારણ કે તેથી નીચે ઉત્પત્તિનો સંભવ નથી. તીરછું મનુષ્યક્ષેત્ર સુધી હોય છે, તેથી આગળ તીર પણ ઉપજવાનો સંભવ નથી. જો કે વિદ્યાધરો અને વિદ્યાધરીઓ નદીશ્વરદ્વીપ સુધી જાય છે, અને પછી સંભોગ પણ કરે છે તો પણ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યોમાં ગર્ભને વિશે ઉત્પન્ન થતા નથી, તેથી તીરછું “મનુષ્યક્ષેત્ર સુધી કહ્યું છે. એ પ્રમાણે તૈજસ શરીરના ભેદ, સંસ્થાન-આકાર અને શરીરપ્રમાણ કહ્યું. હવે કામણ શરીર તૈજસની સાથે નિયત સહચારી છે અને તૈજસની પેઠે જીવપ્રદેશને અનુસરી સંસ્થાનવાળું છે તેથી જેમ તૈજસ શરીરના ભેદ વગેરે કહ્યાં છે તેમજ કાર્મણનાં પણ કહેવા. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ નદેવ તેયારીરસ બે સંતાનો હા , મળતા તદેવ નિરવ મળતā નાવ મજુત્તરોવવીફ'ત્તિ. એ પ્રમાણે જેમ તેજસ શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહના કહી, તે પ્રમાણે બધું અનુત્તરોપપાતિક દેવો સુધી કામણ સંબન્ધ કહેવું. ૧૦૫૭૮ * | પોવનિરિવાર || ओरालियसरीरस्स णं भंते! कतिदिसिं पोग्गला चिज्जंति? गोयमा! निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउद्दिसिंसिय पंचदिसिं। वेउव्वियसरीरस्स णं भंते! कतिदिसिं पोग्गला चिज्जति? गोयमा! णियमा छद्दिसिं। एवं आहारगसरीरस्सवि, तेया कम्मगाणंजहा ओरालियसरीरस्स। ओरालियसरीरस्स णं भंते! कतिदिसिं पोग्गला उवचिज्जंति? गोयमा! एवं चेव, जाव कम्मगसरीरस्स एवं उवचिज्जंति, अवचिज्जंति। ' (મૂ૦) હે ભગવન્! દારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી એકઠા થાય છે? હે ગૌતમી વ્યાઘાત-પ્રતિબન્ધના અભાવે છ દિશાથી આવી, વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી અને કદાચ પાંચ દિશાથી આવી એકઠા થાય છે. હે ભગવાન! વૈક્રિય શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ચયને પ્રાપ્ત થાય છે-એકઠા થાય છે? હે ગૌતમ! અવશ્ય છ દિશાથી આવી એકઠા થાય છે. એ પ્રમાણે આહારક શરીર સંબંધે પણ જાણવું. તેજસ અને કામણ શરીરને દારિક શરીરની પેઠે જાણવું. હે ભગવન્! દારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ઉપચયને પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! એમજ સમજવું, યાવત્ કાર્પણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય પામે છે અને અપચયને પામે છે. _I/૧૧//૫૭૯ll (ટી.) પાંચે શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું પ્રમાણ કહ્યું, હવે તેઓના પુદ્ગલો કેટલી દિશાથી આવી ચય થાય છે તે બતાવે છે–“રાનિસરીરરૂપ '! ઇત્યાદિ. અહીં “ણું” વાક્યાલંકારમાં વપરાય છે. ‘ઋવિત્તિ' અહીં પ્રાકત હોવાથી પંચમીના અર્થમાં બીજી વિભક્તિ અને બહુવચનમાં એકવચનનો પ્રયોગ થયેલો છે. તેથી આ અર્થ થાય છે તે હે ભગવન્! કેટલી દિશાઓથી આવીને પુદ્ગલો'વીયો'સ્વયંચયને પ્રાપ્ત થાય છે–એકઠા થાય છે? ભગવાન ઉત્તર આપે છે-નિપાતે' નિર્વાઘાતથી વ્યાઘાત-પ્રતિબંધના અભાવને આશ્રયી એટલે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોય તો સિં'છ દિશાથી આવેલા 164
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy