SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ इगवीसमं सरीरपयं कम्मगसरीरे विहि-संठाण-पमाणदाराई श्री प्रज्ञापना सूत्र भाग २ અન્ત, અથવા ઈષ~ામ્ભારા નામે પૃથિવીના અન્ત ભાગમાં પ્રથિવીકાયિકપણે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્કૃષ્ટ ઉપર કહ્યા પ્રમાણે તૈજસ શરીરની અવગાહના હોય છે. સનકુમાર દેવને પણ જઘન્યથી આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તૈજસ શરીરની અવગાહના હોય છે. કેવી રીતે હોય છે? તે આ પ્રમાણ—અહીં સનસ્કુમારદિ દેવો તેવા પ્રકારના ભવસ્વભાવથી એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, પરન્ત તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તેથી જયારે મેરુ વગેરેની પુષ્કરિણીવાવ પ્રમુખમાં સ્નાન કરતાં પોતાના ભવના આયુષ્યનો ક્ષય થવાથી ત્યાં જ પોતાની પાસેના પ્રદેશમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય છે ત્યારે આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. અથવા પૂર્વભવ સંબન્ધી મનુષ્ય સ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી અત્યન્ત અનુરાગથી અહીં આવી આલિંગન કરે અને આલિંગન કરી તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પરુષચિહ્ન નાંખી કાળ કરી પુરુષના બીજરૂપ તેનાજ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. અને ઉત્કૃષ્ટથી નીચે લાખ યોજન ઉંડા પાતાલ કલશોના બીજા ત્રિભાગ સુધી હોય. તથા તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અચુત દેવલોક સુધી હોય છે. કેવી રીતે હોય? તે આ પ્રમાણે–અહીં સનકુમારાદિ દેવોનું અન્ય દેવની નિશ્રાથી અશ્રુત દેવલોક સુધી ગમન હોય છે, પરંતુ ત્યાં વાવ વગેરેમાં સંસ્ય વગેરે જેતુઓ હોતા નથી, તેથી અહીં તિર્યંચો કે મનુષ્યોમાં ઉત્પન્ન થવું જોઈએ. તેમાં જ્યારે સનકુમાર દેવ અન્ય દેવની નિશ્રાથી અશ્રુત દેવલોક સુધી જાય અને ત્યાં જઈ પોતાના આયુષ્યનો ક્ષય થવાથી કાળ કરી તીરછા સ્વયંભૂરમણ સમુદ્રના અત્તે અથવા નીચે પાતાલ કલશોના પવન અને પાણીના ઉત્સરણ–વૃદ્ધિ અને અપસરણ-હાનિ જેમાં છે એવા બીજા ત્રિભાગમાં મસ્યાદિ પણે ઉત્પન્ન થાય ત્યારે તેને તીરછા કે અધોલોક સુધી પૂર્વોક્ત ક્રમથી તેજસ શરીરની અવગાહના હોય છે. પૂર્વ નાવ સહસાવ' ત્તિ-એ પ્રમાણે જેમ સનકુમાર દેવ સંબધે કહ્યું છે તે પ્રકારે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી તૈજસ શરીરની અવગાહના સહસાર દેવો સુધી કહેવી. બધે ઠેકાણે વિચાર સભાનપણે જાણવો. આનત દેવની પણ જઘન્યથી તેજસ શરીરની અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. (પ્ર)- આનતાદિ દેવો મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે અને મનુષ્યો મનુષ્યોમાં જ હોય છે તો તેની અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કેમ હોય? (ઉ0)–અહીં કોઈ આનત દેવ પૂર્વભવ સંબન્ધી મનુષ્ય સ્ત્રીને અન્ય મનુષ્ય ભોગવેલી અવધિજ્ઞાનથી જાણી નજીકમૃત્યુ હોવાને લીધે વિપરીત થયેલા સ્વભાવથી, પ્રાણીઓના ચરિત્ર વિચિત્ર હોવાથી, કર્મની ગતિ અચિત્ત્વ હોવાથી અને કામવૃતિ મલિન હોવાથી, એ સંબધે કહ્યું છે કે – "सत्त्वानां चरितं चित्र विचित्रा कर्मणां गतिः । मलिनत्वं च कामानां वृतिः पर्यन्तदारुणा ॥" પ્રાણીઓના વિચિત્ર ચરિત્ર,કર્મની વિચિત્ર ગતિ અને કામનું મલિનપણું છે તેથી અન્ને દારુણ-ભયંકર વૃતિ થાય છે. માટે અત્યન્ત અનુરાગથી અહીં આવીને નોળીયાની પેઠે ગાઢ આલિંગન કરી તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પુરુષચિન્હ નાખી અતિશય મૂછિત થઇ પોતાના આયુષ્યના ક્ષયથી કાળ કરી જ્યારે તે સ્ત્રીના જ ગર્ભમાં મનુષ્ય બીજને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. મનુષ્યબીજ જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. કહ્યું છે ક–“મધુવી મંતે વાતો વિર રો? જોય! ગદi મતોમુહૂર્ત, ૩૯ોસે વારસ મુહુરા" હે ભગવન્! મનુષ્યબીજ કાળથી ક્યાં સુધી રહે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી રહે છે. તેથી બાર મુહૂર્તની અંદર ભોગવેલી સ્ત્રીને આલિંગન કરી મરણ પામી ત્યાંજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. તેથી ઉત્કૃષ્ટથી નીચે અધોલૌકિક ગ્રામ સુધી, તીરછું મનુષ્યક્ષેત્ર સુધી અને ઉપર અશ્રુત દેવલોક સુધી અવગાહના જાણવી. કેવી રીતે હોય? તે આ પ્રમાણ—જ્યારે આનત દેવ કોઈ પણ અન્ય દેવની નિશ્રાઅવલંબનથી અશ્રુત દેવલોકમાં જાય અને ત્યાં જઈ કાળ કરી અધોલૌકિક ગ્રામમાં, અથવા મનુષ્યક્ષેત્રના પર્યન્ત ભાગમાં મનુષ્યપણે ઉત્પન્ન થાય ત્યારે હોય છે. એમ પ્રાણત,આરણ અને અશ્રુતદેવો સંબન્ધ પણ જાણવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે- ‘પૂર્વ નાવ બાળવેવ, અન્વયવ પર્વ વેવ, નવરંડફ્ટ નાવ સારું વિમાના'અશ્રુત દેવને પણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી 163
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy