SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ इगवीसमं सरीरपयं सरीरसंजोगदारं श्री प्रज्ञापना सूत्र भाग २ પુદ્ગલોનો ચય થાય છે. તાત્પર્ય એ છે કે—જ્યાં ત્રસનાડીના મધ્ય ભાગમાં કે તેની બહારના ભાગમાં રહેલા ઔદારિક શરીરવાળાની એક પણ દિશા અલોક વડે પ્રતિબંધવાળી નથી એવા નિર્વ્યાઘાત સ્થળમાં રહેલાને અવશ્ય છ એ દિશાઓથી પુદ્ગલોનું આગમન થાય છે. વ્યાઘાત–અલોક વડે પ્રતિસ્ખલના–પ્રતિબંધ થવો, તે વ્યાઘાતને આશ્રયી ‘સિય તિવિÄિ' યાત્કદાચિત્ ત્રણ દિશાઓથી, કદાચિત્ ચાર દિશાઓથી અને કદાચિત્ પાંચ દિશાઓથી આવેલા પુદ્ગલોનો ચય થાય છે. શી રીતે થાય છે? તે આ પ્રમાણે–ઔદારિક શ૨ી૨વાળા સૂક્ષ્મ જીવને જ્યાં ઉપર લોકાકાશ નથી, તેમજ તીરછું પૂર્વ દિશાએ કે દક્ષિણ દિશાએ લોકાકાશ નથી એવા સૌથી ઉપરના પ્રત૨માં અગ્નિ ખૂણાને વિશે લોકાન્ત રહેલા જીવને નીચેની અધોદિશા, પશ્ચિમ દિશા તથા ઉત્તરદિશા રૂપ ત્રણ દિશાઓથી આવેલા પુદ્ગલોનો ઉપચય થાય છે. કારણ કે બાકીની ત્રણ દિશા અલોક વડે વ્યાપ્ત છે. હવે તે ઔદારિક શ૨ી૨ી સૂક્ષ્મ જીવ પશ્ચિમ દિશાને આશ્રયી રહે ત્યારે પૂર્વ દિશા અધિક થઇ તેથી તેને ચાર દિશાઓથી પુદ્ગલોનું આગમન થાય છે. જ્યારે તે જીવ નીચે દ્વિતીયાદિ પ્રત૨માં પશ્ચિમ દિશાને આશ્રયી રહે ત્યારે ઉર્ધ્વદિશા પણ અધિક થાય છે કેવળ દક્ષિણ દિશા અલોક વડે પ્રતિબંધવાળી હોય છે તેથી પાંચ દિશાઓથી પુદ્ગલોનું આગમન થાય છે. વૈક્રિય શ૨ી૨ અને આહા૨ક શરી૨ ત્રસનાડીના મધ્યમાંજ સંભવે છે, બીજે લોકાન્તને વિષે તેનો સંભવ નથી માટે તે બન્ને શરીરના પણ પુદ્ગલોનો ઉપચય અવશ્ય છએ દિશાથી હોય છે. તેજસ અને કાર્યણ શ૨ી૨ સર્વ સંસારી જીવોને હોય છે, તેથી જેમ ઔદારિકને વ્યાઘાત સિવાય છઃ દિશાઓથી અને વ્યાઘાતને આશ્રયી ત્રણ દિશાથી ચાર દિશાથી, અને પાંચ દિશાથી પુદ્ગલોનું આગમન થાય છે, તેમ તેજસ અને કાર્યણ શ૨ી૨ને પણ જાણવું. જેમ ચય કહ્યો તેમ ઉપચય અને અપચય પણ કહેવો, તેમાં ઉપચય–એટલે ઘણો ચય થવો અને અપચય એટલે ડ્રાસ, શ૨ી૨થી પુદ્ગલોનું જુદા પડવું. ।।૧૧।।૫૭૯ || સરીરસંનોનવાર || जस्स णं भंते! ओरालियसरीरं तस्स णं वेडव्वियसरीरं, जस्स वेडव्वियसरीरं तस्स ओरालियसरीरं ? गोयमा ! जस्स ओरालियरीरं तस्स वेडव्वियसरीरं सिय अत्थि सिय नत्थि, जस्स वेडव्वियसरीरं तस्स ओरालियसरीरं सिय अत्थि सिय नत्थि । जस्स णं भंते! ओरालियसरीरं तस्स आहारगसरीरं? जस्स आहारगसरीरं तस्स ओरालियसरीरं ? गोयमा ! जस्स ओरालियसरीरं तस्स आहारगसरीरं सिय अत्थि सिय नत्थि, जस्स पुण आहारगसरीरं तस्स ओरालियसरीरं णियमा अत्थि । जस्स णं भंते! ओरालियसरीरं तस्स तेयगसरीरं? जस्स तेयगसरीरं तस्स ओरालियसरीरं ? गोयमा ! जस्स ओरालियसरीरं तस्स तेयगसरीरं नियमा अत्थि, जस्स पुण तेयगसरीरं तस्स ओरालियसरीरं सिय अत्थि सिय णत्थि, एवं कम्मगसरीरं पि । जस्स णं भंते! वेडव्वियसरीरं तस्स आहारगसरीरं? जस्स आहारगसरीरं तस्स वेडव्वियसरीरं? गोयमा ! जस्स वेडव्वियसरीरं तस्स आहारगसरीरं णत्थि, जस्स वि य आहारगसरीरं तस्स वि वेडव्वियसरीरं णत्थि । तेया- कम्माई जहा ओरालिएण समं तहेव आहारगसरीरेण वि समं तेया कम्माई चारेयव्वाणि । जस्स णं भंते! तेयगसरीरं तस्स कम्मगसरीरं? जस्स कम्मगसरीरं तस्स तेयगसरीरं ? गोयमा ! जस्स तेयगसरीरं तस्स कम्मगसरीरं णियमा अत्थि, जस्स वि कम्मगसरीरं तस्स वि तेयगसरीरं णियमा अत्थि । । सू० - १२ । । ५८० ।। (મૂળ) હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને શું વૈક્રિય શરીર હોય? જેને વૈક્રિય શરીર છે તેને શું ઔદારિક શરીર હોય? હે ગૌતમ! જેને ઔદારિક શરીર છે તેને વૈક્રિય શરીર કદાચ હોય અને કદાચ ન હોય, અને જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરી૨ કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીહોય? જેને આહારક શરીર હોય તેને ઔદારિક શરીર હોય? હે ગૌતમ! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. પરન્તુ જેને આહારક શરીર છે તેને અવશ્ય ઔદારિક શરીર હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છેતેને 165
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy