________________
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं पंचम जोगदारं
श्री प्रज्ञापना सूत्रं भाग २ || પંચમ ગોરવા | सजोगी णं भंते! सजोगि त्ति कालओ केवचिरं होति? गोयमा! सजोगी दुविहे पन्नत्ते, तं जहा-अणादीए वा अपज्जवसिते, अणादीए वा सपज्जवसिते। मणजोगी णं भंते! मणजोगि त्ति कालतो केवचिरं होति? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहत्तं। एवं वइजोगी वि। कायजोगी णं भंते! काययोगि०? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेण वणप्फइकालो। अजोगी णं भंते! अजोगि त्ति कालओ केवचिरं होति? गोयमा! सादीए
પન્નવસને સારું છે -દારૂના (મૂળ) હે ભગવન્! સયોગી-યોગસહિત “સયોગી એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સયોગી બે પ્રકારના છે. તે
આ પ્રમાણે-અનાદિ અપર્યવસિત (અનન્ત) અને અનાદિ સપર્યવસિત (સાત્ત). હે ભગવન્! મનયોગી-મનયોગવાળો મનયોગી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત. એ પ્રમાણે વચનયોગવાળો પણ જાણવો. હે ભગવન્! કાયયોગી કાયયોગી' રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય છે. હે ભગવન્! અયોગી ‘અયોગી' એ રૂપે કાળથી ક્યાં સુધી
હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. ૫ દાર. //૬/પ૩૭ll (ટી) હવે યોગદ્વાર કહે છે–“સયોની પંતે'! ઇત્યાદિ. યોગ-મન, વચન અને કાયાનો વ્યાપાર, તે જેઓને છે તે યોગીવ્યાપારવાળા મન, વચન અને કાય કહેવાય છે. તે વડે સહિત હોય તે સયોગી–મન, વચન અને કાયયોગ યુક્ત આત્મા કેટલા કાળ સુધી હોય? અહીં ઉત્તર આપે છે–“સયોની વિદે નિત્તે' ઇત્યાદિ. સયોગી બે પ્રકારના છે. અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. જેઓ કદિ મોક્ષે જવાના નથી તે હમેશાં અવશ્ય કોઈ પણ યોગ વડે સયોગી છે, માટે અનાદિ અનન્ત છે. જેઓ મોક્ષે જશે તે અનાદિ સાન્ત છે. કારણ કે મુક્તિપર્યાયનો પ્રાદુર્ભાવ થતાં યોગ પર્યાયનો સર્વથા અભાવ થાય છે. મનોયોગવાળા સૂત્રમાં જઘન્યથી એક સમય હોય છે. જ્યારે કોઇક જીવ ઔદારિક કાયયોગ વડે પ્રથમ સમયે મનને યોગ્ય પગલો ગ્રહણ કરી, બીજા સમયે મનપણે પરિણાવીને મૂકે અને ત્રીજા સમયે બંધ પડે કે મારે ત્યારે એક સમય મનયોગવાળો હોય છે. કારણ કે પ્રથમ ગ્રહણ સમયે ઔદારિક યોગવાળો હોય છે, બીજા સમયે મનોયોગવાળો હોય છે અને ત્રીજા સમયે બંધ પડે છે કે મૃત્યુ પામે છે. ઉત્કૃષ્ટથી અન્તર્મહર્ત પર્યન્ત હોય છે. કારણ કે મનને યોગ્ય પુદગલોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો અન્તર્મુહુર્ત પછી અવશ્ય તેવા પ્રકારના જીવના સ્વભાવથી જ બંધ પડે છે. ત્યાર પછી ફરીથી ગ્રહણ કરે છે અને મૂકે છે, પરન્તુ વચ્ચે સૂક્ષ્મકાળ હોવાથી કદાચિત્ તેનું સંવેદન થતું નથી, તેથી ઉત્કૃષ્ટથી પણ મનોયોગી અન્તર્મુહૂર્ત સુધી હોય છે-'પર્વ વડ્યોવિ' એ પ્રમાણે-મનયોગવાળાની પેઠે વચનયોગવાળો પણ કહેવો. તે આ પ્રમાણે—“વફોની નું મંતિ! વનત્તિ નો જેવાં હો? યમી! નહi સર્ષ ૩ોસે સંતોમુત્તમિતિ'' હે ભગવન્! વચનયોગવાળો ‘વચનયોગી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત હોય. તેમાં જે પ્રથમ સમયે કાયયોગ વડે ભાષાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે તે બીજે સમયે તેને ભાષાપણે પરિણાવીને મૂકે છે અને પછી ત્રીજા સમયે બંધ પડે છે અથવા મરે છે. માટે એક સમય વચનયોગવાળો હોય છે. આ સંબધે મૂલટીકાકાર કહે છે–“પઢમસમ વાયો દિયા બનાવ્યા વિરૂપે વનોને નિસ, વાળ ૩વરમંત વા | સમો નમ" ઇતિ–પ્રથમ સમયે કાયયોગ વડે ગ્રહણ કરેલા ભાષાદ્રવ્યોને બીજા સમયે વચન યોગ વડે મૂકીને બંધ પડનાર કે મરનારને એક સમય વચન યોગ હોય છે, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી ભાષાદ્રવ્યોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો પછી બંધ પડે છે, કારણ કે તેવો જીવનો સ્વભાવ છે, માટે ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય છે. કાયયોગી જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય છે. અહીં બેઇન્દ્રિયાદિને વચનયોગ પણ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને મનોયોગ પણ હોય છે. તેથી જ્યારે વચનયોગ કે મનયોગ હોય છે ત્યારે
–
95