SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग २ જીવનકાળ પર્યન્ત વનસ્પતિરૂપે હતો તે કેમ ઘટી શકે? અથવા વનસ્પતિનું અનાદિપણું પણ શી રીતે હોઈ શકે? કારણ કે વનસ્પતિપણાનો કાળ પ્રતિનિયત પ્રમાણ હોવાથી અનાદિપણાની સાથે તેનો વિરોધ છે. તે આ પ્રમાણે—અસંખ્યાતા પુદ્ગલપરાવર્તા તેઓની કાયસ્થિતિનું પ્રમાણ છે. તેથી એટલો કાળ ગયા પછી અવશ્ય બધા વનસ્પતિના જીવો પોતાની કાયનું પરાવર્તન કરે, જેમ દેવ વગેરે પોતપોતાના સ્થિતિકાળને અન્ને દેવાદિ કાયનું પરાવર્તન કરે છે. એ સંબધે કહ્યું છે કે जइ पुग्गलपरियट्टा संखाईया वणस्सईकालो। तो अच्चंतवणस्सइणमणाइयत्तमहेऊओ ॥ न य मरुदेवाजीवो जावज्जीवं वणस्सई आसी। जमसंखेज्जा पुग्गलपरियट्टा तत्थऽवत्थाणं ॥ #ાળેવ નાં ૩ળંતિ પvટ્ટ સર્વે વિ વાસ્મો રિક્ષાતંતે નદ યુરોફl [વિશેષણવતી ગા.૪૬-૪૮] જો અસંખ્યાતા પુદ્ગલપરાવર્તી વનસ્પતિનો કાળ છે, તો અત્યન્ત-અનાદિ વનસ્પતિઓનું અનાદિપણું નિર્દેતુક છે. એટલે તેના અનાદિપણામાં કાંઈપણ હેત નથી. મરુદેવાનો જીવ જીવનપર્યન્ત વનસ્પતિ હતો એમ ઘટતું નથી. કારણ કે અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કાળ ત્યાં તેની સ્થિતિ છે. તેથી એટલા કાળે બધા વનસ્પતિ જીવો દેવ વગેરેની પેઠે પોતાની કાયનુંપરાવર્તન કરે. વળી વનસ્પતિનું નિર્લેપ-તદન ખાલી થવાનું આગમમાં નિષેધ્યું છે તેનો પણ અત્યારે પ્રસંગ થશે. કેવી રીતે . થશે? અહીં વનસ્પતિથી પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉદ્વર્તે છે, અને વનસ્પતિનું કાયસ્થિતિનું પરિમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવત છે, તેથી અસંખ્યાતા પુદ્ગલપરાવર્તાના જેટલા સમય થાય તે વડે એક સમયે નીકળેલા જીવોને ગુણીએ અને જેટલા થાય તેટલું પરિમાણ વનસ્પતિ જીવોનું છે. અને તેથી તેઓનું પ્રતિનિયત પરિમાણ હોવાથી તેનું નિર્લેપન (તદન ખાલી થવું) સિદ્ધ થાય છે. વળી પ્રતિનિયત પરિમાણ હોવાથી જતા કાળે બધા ભવ્યોની સિદ્ધિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. અને તેમ થતાં મોક્ષમાર્ગ બંધ પડવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે, કારણ કે સર્વ ભવ્ય સિદ્ધિને પ્રાપ્ત થયા પછી બીજાનું સિદ્ધિગમન નહિ થાય. એ સંબંધ કહ્યું છે કે ___ कायट्ठिइकालेणं तेसिमसंखेज्जयावहारेणं। निल्लेवणमावन्नं सिद्धी वि य सव्वभव्वाणं ॥ પસમયમસંવેજ્ઞા વેજુવતિ તો ત૬૦મલ્હા વદ્દ સમયા વગvi 7 મિi II [વિશેષ, ગા.૪૯-૫] . કાયસ્થિતિના કાળ વડે તેઓમાં અસંખ્યાતમો અપહાર કરતાં નિર્લેપપણું અને સર્વ ભવ્યોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રતિસમય અસંખ્યાતા નીકળે છે તેથી તેનાથી કાયસ્થિતિના સમયો વડે ગુણીએ એટલું વનસ્પતિ જીવોનું પરિમાણ છે. પરંતુ એમ નથી, કારણ કે વનસ્પતિઓનું અનાદિપણું, તેનું ખાલી ન થવું, સર્વ ભવોની સિદ્ધિનો નિષેધ અને મોક્ષમાર્ગનું નિરન્તરપણું તે તે સ્થળે સિદ્ધાન્તમાં કહેલું છે. (૧૦)–અહીં બે પ્રકારના જીવો છે–સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક. તેમાં જેઓ નિગોદાવસ્થાથી નીકળી પૃથિવીકાયિકાદિમાં ઉત્પન્ન થાય છે તે લોકોમાં દૃષ્ટિપથમાં આવેલા પૃથિવીકાયિકાદિ વ્યવહારને પ્રાપ્ત થાય છે. માટે તેઓ સાંવ્યવહારિક અથવા વ્યવહાર રાશિના કહેવાય છે. જો કે તેઓ ફરીથી પણ નિગોદાવસ્થાને પ્રાપ્ત થાય છે તો પણ તેઓ વ્યવહારમાં પડેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે. જેઓ અનાદિ કાળથી આરંભી નિગોદાવસ્થાને પ્રાપ્ત થયેલા છે, તેઓ વ્યવહારમાર્ગમાં નહિ આવેલા હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે. એમ શાથી જાણી શકાય કે સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક બે પ્રકારના જીવો છે?” યુક્તિથી જાણી શકાય છે. કારણ કે પ્રત્યુત્પન્ન (વર્તમાનકાળે વિદ્યમાન) વનસ્પતિના જીવોનું પણ નિર્લેપન (શૂન્યપણું) આગમમાં નિષેધ્યું છે, તો પછી બધી વનસ્પતિઓના નિર્લેપનની તો શી વાત કરવી? તેમજ બધા ભવ્યો પણ નિર્લેપ થતા નથી. જો અસાંવ્યવહારિક રાશિમાં રહેલા અત્યન્ત-અનાદિ વનસ્પતિ જીવો ન હોય તો તે કેમ ઘટી શકે? તેથી જાણી શકાય છે કે–અસાંવ્યવહારિક રાશિ પણ છે, કે જેમાં રહેલા વનસ્પતિના જીવો અનાદિ છે. વળી આ ગાથા પણ ગુરુપરંપરાથી આવેલી સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે अत्थि अणंता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो। ते वि अणंताणता निगोयवासं अणुवसंति ॥ અનન્તા જીવો છે કે જેઓએ ત્રસાદિપણું પ્રાપ્ત કર્યું નથી. તે પણ અનન્તાનન્ત જીવો નિગોદવાસમાં રહે છે. તે માટે આ 91
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy