SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद वन्न पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પરિણત હોય છે. (૨૩) | (૬) જેઓ સ્પર્શથી ઉષ્ણ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શપણે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૩). (૭) જેઓ સ્પર્શથી નિષ્પ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત અને ઉષ્ણ સ્પર્શપણે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩) (૮) જેઓ સ્પર્શથી રૂક્ષ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત અને ઉષ્ણ સ્પર્શરૂપે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩,૧૮૪). (૧) જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને દુરભિ બને ગન્યપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. (૨૦) (૨) જેઓ સંસ્થાનથી વૃત્ત સંસ્થાન-વર્તુલાકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦) (૩) જે સંસ્થાનથી વ્યસસંસ્થાન-ત્રિકોણાકારપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦) (૪) જે સંસ્થાનથી ચતુરસસંસ્થાન–ચતુષ્કોણાકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. (૨૦) (૫) જે સંસ્થાનથી આયત સંસ્થાન-દીઘકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્ધપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦-૧૦૦). એમ રૂપી અજીવપ્રજ્ઞાપના કહી, અને એ પ્રમાણે અજીવપ્રજ્ઞાપના પણ કહી. //૬/ (ટી) હવે એજ વણદિનો પરસ્પર સંવેધ-સંબંધ કહે છે-જે સ્કન્ધાદિ દેવતઃ' વર્ણને આશ્રયી કાળા વર્ણપણે પરિણત છે તેઓ ‘ચિતઃ' ગધને આશ્રયી સુરભિગધપણે અને દુરભિગન્ધ-દુર્ગન્યપણે પણ પરિણત હોય છે. તાત્પર્ય એ છે કે તેઓ ગંધની અપેક્ષાએ વિકલ્પ કેટલા એક સુરભિમન્યપણે પરિણત હોય છે અને કેટલા એક દુરભિમન્યપણે પણ પરિણત હોય છે, પરન્તુ અમુક એકજ ગંધપણે પરિણત હોતા નથી. એ પ્રમાણે રસ, સ્પર્શ અને સંસ્થાનને આશ્રયી ભાંગાઓ કહેવા. તેમાં બે ગબ્ધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન એ બધા મળી વિશ ભાંગા કૃષ્ણ-કાળા વર્ણપણે પરિણમેલા સ્કલ્પોના થાય છે. એ પ્રમાણે નીલ વર્ણપણે પરિણમેલા, રક્ત વર્ણપણે પરિણત, પીળા વર્ણપણે પરિણત અને શુક્લવર્ણપણે પરિણત સ્કન્ધોના પણ વશ વશ ભાંગા થાય છે. એમ પાંચ વર્ણો વડે સો (૨=૨૦+૨+૨૦+૨૦=૧૦૦) ભાંગા થાય છે. હવે ગંધને આશ્રયી કહે છે – જે “ગંધતા ગંધને આશ્રયી સુરભિગધના પરિણામવાળા હોય છે તે વર્ણને આશ્રયી કાળા વર્ગના પરિણામવાળા, નીલવર્ણના પરિણામવાળા, રાતાવર્ણના પરિણામવાળા, પીળાવર્ણના પરિણામવાળા અને શુક્લવર્ણના પરિણામવાળા પણ હોય છે પાંચ, એમ પાંચ રસને આશ્રયી પાંચ, આઠ સ્પર્શને આશ્રયી આઠ, અને પાંચ સંસ્થાનને આશ્રયી પાંચ-(પમ્પ+૮૫=૨૩)એમ બધા મળી ત્રેવીશ ભેદ થાય છે. એ પ્રમાણે સુરભિમન્યપણે પરિણત થયેલા સ્કન્ધોના ત્રેવીશ - 23
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy