SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद जीव पन्नवणा ભાંગા થાય છે. એમ દુરભિગન્ધપણે પરિણત સ્કન્ધોના પણ ત્રેવીશ ભાંગા થાય છે. બધા મળીને ગન્ધપદના (૨૩+૧૩=૪૬) છેંતાલીશ ભાંગા સમજવા. હવે રસને આશ્રયી કહે છે –જેઓ ‘સત:' રસની અપેક્ષાએ તિક્તરસ-કડવા રસપણે પરિણમેલા અન્યો છે તેઓના પાંચ વર્ણ, બે ગધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન-(૫+૨+૦+=૨૦)એમ બધા મળી વીશ પ્રકાર થાય છે. એમ કડવા રસપણે પરિણત અન્યોના વીશ ભાંગા થાય છે. એ પ્રમાણે કટુક-તીખા રસપણે પરિણત થયેલા, તૂરા રસપણે પરિણત, અશ્લ રસપણે પરિણત અને મધુર રસપણે પરિણત અન્ધોના પણ વીશ વીશ ભાંગા થાય છે. એમ પાંચ રસના સંયોગે સો. (૨-૨૦+૨૦+૨૦+૨૦=૧૦૦) ભાંગા થાય છે. સ્પર્શને આશ્રયી કહે છે – “જેઓ સ્પર્શથી કર્કશ–બરસઠ સ્પર્શપણે પરિણત છે'-ઈત્યાદિ. જેઓ સ્પર્શથી કર્કશ સ્પર્શના પરિણામવાળા છે તેઓના પાંચ વર્ણ, બે ગબ્ધ, પાંચ રસ, પ્રતિપક્ષી સ્પર્શનો અભાવ હોવાથી છ સ્પર્શ અને પાંચ સંસ્થાનને આશ્રયી બધા મળી (૫+૨+૫+૬+=૨૩) ત્રેવશ ભેદ થાય છે. એ રીતે કર્કશ સ્પર્શના પરિણામવાળા સ્કન્ધોના ત્રેવીશ ભાંગા થાય છે. ત્રેવીશ એટલા જ ભાંગા મૃદસ્પર્શના પરિણામવાળા, ત્રેવીસ ગુરુ સ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ લઘસ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ શીતસ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ ઉષ્ણસ્પર્શના પરિણામવાળા, ત્રેવીસ નિષ્પ સ્પર્શના પરિણામવાળા અને ત્રેવીસ રૂક્ષ સ્પર્શના પરિણામવાળા સ્કન્ધાના થાય છે. એ બધા મળીને એકસા ચોરાશી (૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૧૩=૧૮૪) ભાંગાઓ થાય છે. હવે સંસ્થાનને આશ્રયી કહે છે – “જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે' તેઓના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શને આશ્રયી બધા મળી વીશ ભેદ થાય છે. એટલે પરિમંડલ સંસ્થાનપણે પરિણત થયેલા સ્કંધોના વીશ ભાંગા થાય છે. એ પ્રમાણે વીશ વૃત્ત સંસ્થાન-વર્તુલાકારપણે પરિણમેલા, વીશ ત્રસ સંસ્થાનપણે પરિણત થયેલા, વીશ ચતુરસ સંસ્થાનપણે પરિણમેલા અને વીશ આયત સંસ્થાનપણે પરિણત થયેલા સ્કંધોના થાય છે. બધા મળીને (૨૦+૨૦+૨૦+૨૦+૨૦=૧૦૦) સો ભાંગા થાય છે. એમ વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના બધા મળીને (૧૦૦+૪૬+૧૦૦+૧૮૪+૧૦૦=૫૩૦) પાંચસો ત્રીસ ભાંગા થાય છે. જો કે અહીં બાદર સ્કન્ધોમાં પાંચે ય વર્ણો, બન્ને ગંધો, અને પાંચે રસો હોય છે, તેથી મર્યાદિત-અપેક્ષિત વર્ણાદિ સિવાય બાકીના વણદિ વડે પણ ભાંગા સંભવે છે, તો પણ તેજ બાદર સ્કન્ધોમાં વ્યવહારથી જે કૃષ્ણવણિિદ યુક્ત અવાજોરપેટા સ્કલ્પો છે, જેમ કે શરીરસ્કંધમાં જ લોચનસ્કન્ધ કૃષ્ણ છે, તેના અન્તર્ગત કોઈક સ્કન્ધ રાતો છે, તેની અંદર બીજો શુક્લ સ્કન્ધ છે વગેરે, તેની અહીં વિવફા છે, અને તેઓને બીજા વર્ણાદિ સંભવતા નથી. સ્પર્શના વિચારમાં પ્રસ્તુત સ્પર્શના પ્રતિપક્ષ સ્પર્શ સિવાય બીજા સ્પર્શી લોકમાં પણ અવિરોધી જણાય છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે જ ભાંગાની સંખ્યા થાય છે, અને તે પણ સ્કૂલ ન્યાયને આશ્રયી કહેલી છે. જો એમ ન હોય તો એ વર્ણાદિમાં પ્રત્યેક વર્ણનું અનન્ત તારતમ્ય હોવાથી અનન્ત ભાંગા સંભવે. એ વર્ણાદિ પરિણામોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાલ જાણવી. હવે ઉપસંહાર કહે છે-“છે. R અનીવપન્નવા' એમ અજીવપ્રજ્ઞાપના કહી. II૬/. से किं तं जीवपन्नवणा? जीवपन्नवणा दुविहा पन्नत्ता। तं जहा-संसारसमावण्ण-जीवपन्नवणा य असंसारसमावण्ण-जीवपन्नवणा य ।।सू०-७।। (મૂળ) જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના. Iછો. 24.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy