________________
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
(ટી૦) હવે જીવ પ્રજ્ઞાપનાનું સ્વરૂપ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે—જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે’? આચાર્ય ઉત્તર આપે છે—જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે’—સંસારસમાપન્ન—જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપન્ન– જીવપ્રજ્ઞાપના. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના અનુભવ રૂપ સંસારને સમ્–એકીભાવ–તન્મયતા વડે પ્રાપ્ત થયેલા તે સંસારસમાપન્ન જીવો, તેઓની પ્રજ્ઞાપના—સ્વરૂપનું નિરૂપણ કરવું તે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. અસંસાર–મોક્ષને પ્રાપ્ત થયેલા તે અસંસારસમાપન્ન જીવો, તેઓના સ્વરૂપનું નિરૂપણ કરવું તે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપનો.I9|| || ઞસંસારસમાવપ્નનીવવપ્નવના ||
से किं तं असंसारसमावण्ण- जीवपण्णवणा? असंसारसमावण्ण- जीवपण्णवणा दुविहा पण्णत्ता । तं जहाअणन्तरसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा य परम्परसिद्ध - असंसारसमावण्ण- जीवपण्णवणा य
Ig−૮||
(મૂ0) અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના અને પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. ॥૮॥
(ટી૦) અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે —બે પ્રકારે છે. અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન– જીવપ્રજ્ઞાપના અને પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. તેમાં જેઓને સિદ્ધ થયાને એક પણ સમયનું અન્તર નથી– એટલે વર્તમાન સમયે સિદ્ધ થયેલા છે તે અનન્તર સિદ્ધો. તેઓના સ્વરૂપની પ્રરૂપણા તે અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના. જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઇત્યાદિ સમયોનું અન્તર પડ્યું છે તે પરમ્પર સિદ્ધો. વિવક્ષિત પ્રથમ સમયે જેઓ સિદ્ધ થયેલા હોય તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને બીજો સમય થયો હોય તે ૫૨, તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને ત્રીજો સમય થયો હોય તે ૫૨, એમ એક એક સમયની વૃદ્ધિ કરતા યાવત્ અનન્ત અતીત કાળ સુધી મોક્ષે ગયેલા તે બધા પરમ્પર સિદ્ધો કહેવાય છે. તાત્પર્ય એ છે કે વિવક્ષિત સિદ્ધના પ્રથમ સમયની પૂર્વે દ્વિતીયાદિ સમયોમાં યાવત અનન્ત અતીત કાળ પર્યન્ત મોક્ષે ગયેલા તે બધા પરમ્પર સિદ્ધો કહેવાય છે. I૮।।
.
से किं तं अणन्तरसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा? अणन्तरसिद्ध - असंसारसमावण्ण- जीवपण्णवणा पण्णरसविहा पण्णत्ता। तं जहा - १ तित्थसिद्धा, २ अतित्थसिद्धा, ३ तित्थगरसिद्धा, ४ अतित्थगरसिद्धा, ५ सयंबुद्धसिद्धा, ६ पत्तेयबुद्धसिद्धा, ७ बुद्धबोहियसिद्धा, ८ इत्थीलिंगसिद्धा, ९ पुरिसलिंगसिद्धा, १० नपुंसकलिंगसिद्धा, ११ सलिंगसिद्धा, १२ अन्नलिंगसिद्धा, १३ गिहिलिंगसिद्धा, १४ एगसिद्धा, १५ अणेगसिद्धा । से त्तं अनंतरसिद्धअसंसारसमावण्णजीवपण्णवणा । सू० - ९ ।।
(મૂ૦) અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્ન—જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પંદર પ્રકા૨ે છે. તે આ પ્રમાણે — ૧ તીર્થસિદ્ધ, ૨ અતીર્થસિદ્ધ, ૩ તીર્થંકરસિદ્ધ, ૪ અતીર્થંકરસિદ્ધ, ૫ સ્વયંબુદ્ધસિદ્ધ, ૬ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, ૭ બુદ્ધબોધિતસિદ્ધ, ૮ સ્ત્રીલિંગસિદ્ધ, ૯ પુરુષલિંગસિદ્ધ, ૧૦ નપુંસકલિંગ સિદ્ધ, ૧૧ સ્વલિંગસિદ્ધ, ૧૨ અન્યલિંગસિદ્ધ, ૧૩ ગૃહસ્થલિંગસિદ્ધ, ૧૪ એકસિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ. એ પ્રમાણે અનન્તરસિદ્ધ– અસંસારસંમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. ૯૫
(ટી૦) અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે કે —‘પંદર પ્રકારે છે.’ કારણ કે અનન્તર સિદ્ધો સિદ્ધાવસ્થાની પૂર્વે ઉપાધિ–વિશેષતાના ભેદથી પંદર પ્રકારના છે. તે પંદર પ્રકાર બતાવે છે – ‘તેં નહા’ ઇત્યાદિ. ‘તવ્ યથા’ એ શબ્દ પંદર ભેદ બતાવવા માટે છે.
(૧) તીસિદ્ધ-તીર્યતેઽનેન—જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ એટલે યથાવસ્થિત સર્વ જીવાજીવાદિ પદાર્થની
25